________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫
• S૯.
ઉપાદાન-નિમિત્ત સંવાદ ભેદના રાગની મદદથી જ મોક્ષ થાય છે એમ નિમિત્તની દલીલ છે. આ દલીલમાં હવે પરની કાંઈ લપસપ રાખી નથી હવે તો અંદરમાં જે વિકલ્પરૂપ વ્યવહાર વચ્ચે આવે છે તે વ્યવહારને મોક્ષમાર્ગ તરીકે જે અજ્ઞાની માને છે તેની આ દલીલ છે. હવે ઉપાદાન તેની (નિમિત્તની) દલીલનું ખંડન કરે છે
છોર ધ્યાનકી ધારના, મોર યોગકી રીતિ; તોર કર્મ, જાલકો, જોર લઈ શિવ પ્રીતિ. ૩૯.
અર્થ - ઉપાદાન કહે છે કે ધ્યાનની ધારણાને છોડીને, યોગની રીતને સમેટીને, કર્મની જાળને તોડીને, જીવ પોતાનો પુરુષાર્થ વડે શિવપદની પ્રાપ્તિ કરે છે. ૩૯. ' અરે નિમિત્ત ! ભેદનો વિકલ્પ ઊઠે તેને તું મોક્ષનું કારણ કહે છે પરંતુ તે તો બંધનું કારણ છે, જ્યારે તે વિકલ્પને જીવ છોડે છે ત્યારે જ મોક્ષ થાય છે. સમ્યગ્દર્શન પછી ધ્યાનનો વિકલ્પ આવે છે પરંતુ તે છોડીને મુક્તિ થાય છે. તે વિકલ્પ રાખીને કદી મુક્તિ થઈ શકતી નથી. ધ્યાનની ધારણા છોડીને એટલે કે “સ્વભાવમાં ઠરું' એનો વિકલ્પ ઊઠે તે વિકલ્પ છોડીને અભેદસ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, માટે એકલા ઉપાદાનના જોરથી જ કાર્ય થાય છે, પરંતુ નિમિત્તથી કાર્ય થતું નથી. અહીં ઉપાદાન તે નિશ્ચય અને નિમિત્ત તે વ્યવહાર એ રીતે લીધું છે. સ્વભાવમાં એકાગ્રતારૂપ અભેદ પરિણતિ તે નિશ્ચય છે, તે જ ઉપાદાન છે, તે જ મોક્ષનું કારણ છે અને ભેદરૂપ વિકલ્પ ઊઠે તે વ્યવહાર છે, તે નિમિત્ત છે, તે મોક્ષનું કારણ નથી. ધ્યાનની ધારણા છોડવાથી કેવળજ્ઞાન થાય છે, તેમ જ કેવળજ્ઞાન થયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com