________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૮૪
સાચી ઓળખાણ પછી સ્થિરતા થતાં ભલે મહાવ્રતાદિના વિકલ્પને છોડી દો, પરંતુ વસ્તુને ધ્યાનમાં ધારવી તો પડશેને? વસ્તુમાં સ્થિરતા કરવા જતાં રાગમિશ્રિત વિચાર આવ્યા વગર રહેશે જ નહિ. માટે રાગ પણ નિમિત્તરૂપે આવ્યો કે નહિ? જુઓ નિમિત્ત ક્યાં સુધી પહોંચ્યું ? ઠેઠ સુધી નિમિત્તની જરૂર પડી છે-એથી નિમિત્તનું જ જોર છે-આ નિમિત્તની છેલ્લી દલીલ છે.
નિમિત્તે જે દલીલ કરી તે ભેદના પક્ષની દલીલ છે, સમ્યગ્દર્શન પછી સ્થિરતા કરતાં વચ્ચે ભેદનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી, વચ્ચે વિકલ્પરૂપ વ્યવહા૨ આવે છે એ વાત ખરી છે, પરંતુ તે વિકલ્પ મોક્ષમાર્ગમાં કિંચિત્ મદદગાર નથી; નિમિત્તદષ્ટિવાળો તો તે વિકલ્પને જ મોક્ષમાર્ગ સમજી લે છે એ જ દૃષ્ટિની ભૂલ છે.
આત્માના સ્વભાવને દૃષ્ટિવંત જીવ અભેદના પક્ષથી સમજે છે એટલે જે ભેદ પડે અને રાગ થાય તેને તે જાણે છે પણ મોક્ષમાર્ગમાં મદદગાર૫ણે તેને સ્વીકારતા નથી અને નિમિત્તની પક્કડવાળો અજ્ઞાની ભેદના પક્ષથી વાત કરે છે, તેને અભેદસ્વભાવનું ભાન નથી એટલે તે એમ માને છે કે ધ્યાન કરતા વચ્ચે ભેદભંગનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી માટે તે વિકલ્પ જ ધ્યાનમાં મદદગાર છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં જ અંતર છે.
એક ગુણને લક્ષમાં લઈને વિચાર કર્યા વગર ધ્યાન થશે નહિ અને એક ગુણને લક્ષમાં લઈને વિચાર કરવો તે તો ભેદ ભંગ છે. એ ભેદ-ભંગ વચ્ચે આવે જ છે-માટે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com