________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૮૩ નિમિત્તની હાર થઈ, હવે થોડીક વારમાં નિમિત્ત હારી જશે અને તે પોતે પોતાની હાર સ્વીકારી લેશે.
સમ્યગ્દર્શન સુધી તો વાત આવી છે કે-સમ્યગ્દર્શનથી જ જીવને સુખ થાય છે અને સાચા નિમિત્તો હોવા છતાં સમ્યગ્દર્શન ન હોવાને લીધે જ જીવને દુઃખ છે. સમ્યગ્દર્શનની વાત સ્વીકાર્યા પછી હવે સમ્યક્યારિત્ર સંબંધી નિમિત્ત તરફની દલીલ મૂકે છેઃ
સમ્યકદર્શ ભયે કહા, ત્વરિત મુક્તિમેં જાહિં? આગે ધ્યાન નિમિત્ત હૈ, તે શિવકો પહુંચાહિં. ૩૮
અર્થ- સમ્યગ્દર્શન થવાથી શું તરત જ જીવ મુક્તિમાં જાય છે? (ના) આગળ પણ ધ્યાન નિમિત્ત છે, તે શિવપદમાં (મોક્ષ) પહોંચાડે છે-આમ નિમિત્તની દલીલ છે. ૩૮.
નિમિત્ત કહે કે સમ્યગ્દર્શનથી જ જીવને સુખનો ઉપાય પ્રગટે છે એ વાત સાચી સમ્યગ્દર્શનથી મુક્તિનો ઉપાય થાય પણ નિમિત્તના લક્ષે રાગાદિ ભાવથી મોક્ષનો ઉપાય ન થાય. આ રીતે, પંચમહાવ્રતની ક્રિયામાં ધર્મ થાય, દેવ-ગુરુ-શાસ્ત્ર કે પુણ્યથી લાભ થાય, તીર્થકર ગોત્રનો ભાવ સારો એવા પ્રકારની ઊંધી માન્યતાની દલીલ તો હવે નિમિત્તે છોડી દીધી છે પણ ઉપરની દશામાં નિમિત્તનો આધાર છે એવી દલીલ કરે છે.
સમ્યગ્દર્શન પછી પણ નિમિત્તનું જોર છે. એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ થઈ જતી નથી, સમ્યગ્દર્શન પછી પણ ધ્યાન કરવું પડે છે; એ ધ્યાનમાં ભેદનો વિકલ્પ ઊઠે છે-રાગ થાય છે, માટે તે પણ નિમિત્ત આવ્યું કે નહિ? આત્માની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com