SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે ત્યાં ઘણી સુખ સામગ્રી છે માટે નહિ પણ સારી રીતે ધર્મ કરી શકાય માટે.” આવું જે કહે-માને તેનું મન શુદ્ધ કહેવાય ! સાધપણું અને શ્રાવકપણું એવી ઉમદા ચીજ છે કે, તેનાથી જરા પણ ખોટું થાય તો તરત જ ગભરામણ થાય. ધર્મ કરનારા જ મજેથી અધર્મ કરે તો તે મહાપાપી છે. જે ધર્મ નથી કરતા તે તો અજ્ઞાન છે માટે ભલે ગમે તેમ જીવે. પણ મંદિર-ઉપાશ્રયે જનાર, સાધુની સેવા-ભક્તિ કરનાર મારે કેમ જીવવું તે કેમ ન સમજે ? મનશુદ્ધિ આવે તો દોષ પણ ગુણ થઇ જાય અને તે ન હોય તો ગુણ પણ દોષ થઇ જાય. તે વાત દ્રષ્ટાન્તથી સમજાવે છે કે, મનશુદ્ધિ નહિ કરનારા, ગમે તેટલો તપ કરતા હોય તો પણ તે નાવા છોડીને ભૂજાથી સાગર તરવા નીકળ્યા છે. ભૂજાથી સાગર તરાય ? મારે મુક્તિ વિના બીજું કાંઇ જ જોઇતું નથી-આટલી ઇચ્છા થઇ જાય તો મનશુદ્ધિ આવ્યા વિના ન રહે. [૨૦૪૨ ભાદરવા સુદ-૧૫ ગુરુવાર, તા.૧૮-૯-૮૬. શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઇ.] અનાદિકાળથી કર્મને પરવશ પડેલો જીવ કષાય અને ઇન્દ્રિયોને આધીન છે. તે બેની આધીનતા રહે તો તે સંસારમાં જ ભટકવાનો. અનાદિકાળથી આજ સુધી હું ભટક્યો તેનું ભાન” થાય અને હવે મારે ભટકવું નથી તેવો ભય પેદા થાય તો જીવનું ઠેકાણું પડે ! આ વાત જેના હૈયામાં ન બેસે તેનો ઉધ્ધાર કરવાની શક્તિ ખુદ શ્રી તીર્થંકરદેવોમાં પણ નથી. માટે સમજો કે-આ Page 69 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy