SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. ધ્યેય વગરના કામના કહેવાય ? તે મૂરખા કહેવાય કે ડાહ્યા કહેવાય ? તમે બધા તો ભણેલા ગણેલાં છો દુનિયાનું કોઇ કામ ધ્યેય વિના કરતા નથી અને અહીં કોઇ જ ધ્યેય નથી તે ચાલે ? મૂળ વાત એ છે કે સામગ્રી સારી મલી હોય પણ પાપનો ઉદય જોરદાર જીવંત હોય તેનો સંસારનો રસ જીવતોને જાગતો જ હોય. તે ધર્મ પણ સારા કુળમાં જન્મ્યો, ટોળામાં રહેવું પડે માટે કરે પણ ધર્મ સારા થવા કદિ કરે નહિ. તેને ધર્મનો સાચો રસ તો જાગે જ નહિ. આ સંસારનું સુખ આત્માનું નિકંદન કાઢનાર છે. તે સુખ જ ધર્મ પામવા દેતું નથી, ધર્મ પામ્યા પછી પાળવા દેતું નથી, છેક અગિયારમે ગુણઠાણેથી આત્માને પટકે છે. કર્મને ખબર છે કે, આ જીવ જાય છે તો તેને ધર્મ નહિ પામવા દેવાની શક્તિ મારામાં છે. સઘળાંય કર્મોમાં મોહ પ્રધાન છે માટે મોહને રાજા કહેવાય છે. જેનો મોહ મરે નહિ તે બધાને જનમ લેવો પડે. શ્રી અરિહંત પરમાત્માને પણ કેમ જનમવું પડે ? તેમનો પણ મોહ-મોહનીય કર્મ જીવતો હતો માટે. તમને બધાને પુણ્યથી જનમ મળે તે યાદ છે પણ જનમ પાપના ઉદયથી થાય તે યાદ નથી. માટે તમે જન્મને ઉજવો તે બીજા હેતુથી ઉજવો છો. આ જનમ મરણથી બચાવનાર છે, જન્મનો નાશ કરનાર છે, જન્મ ઘટાડનાર છે તે માટે જન્મની ઉજવણી કરો તો વખાણ પણ કરાય. તમે તમારી વર્ષગાંઠ શા માટે ઉજવો છો ? જનમ જ જીવને સંસારમાં ભટકાવનાર છે. જન્મનો નાશ તેનું નામ જ મોક્ષ છે. એકવાર મર્યા પછી જનમવાનું નહિ તે જ ઉત્તમ કોટિનું મરણ છે. સમજુ જીવ મરણને અપમંગલ ન માને પણ મરણને મંગલરૂપ માને. તે વિના સદ્ગતિ કે મુક્તિમાં ન જવાય. મરણ જેવું તેવું કરાય, જન્મ તો પરાધીનતાથી લેવો પડે. મરણને સારું બનાવવું તે કોના હાથમાં છે ? આજે તો બધા જ ભાગ્યશાલીઓ મરણથી ગભરાય છે. મરવું તે આપણા હાથમાં છે, જનમવું તે આપણા હાથમાં નથી. કર્મ જ્યાં નાંખે ત્યાં જનમવું પડે, નહિ તો તમે દરિદ્રીને ઘેર, સામાન્યને ઘર જન્મો ? તમને ક્યાં જનમવું તેમ પૂછવામાં આવે તો તમે ક્યાં જન્મ લેવાનું પસંદ કરો ? તમારે તો ઘણું ઘણું મળે ત્યાં જન્મ જોઇએ છે. પણ તે તમારા હાથમાં નથી. જ્યારે મરણ સારું બનાવવું તે હાથમાં છે. તો મરણથી ગભરાવું તે જરૂરી છે ? મરણથી ગભરાય તે ડાહ્યો કહેવાય કે ગાંડો કહેવાય ? આજે તો જરાક દુ:ખ આવે તો હાય વોય કરે, મરી ગયો. તેમ કહે : તેવા ધર્મહીન જીવે તોય શું ફાયદો ? તમે વધારે જીવો તો શું કરો ? આ જનમ પાપ કરવા. માટે નથી પણ ધર્મ કરવા માટે જ છે. આ જન્મના પાપમાં જ ઉપયોગ કરે તેનો જન્મ ન વખાણાય અનાર્યદેશ-જાતિ-કુલમાં જનમનારાને મોટેભાગે દુર્ગતિમાં જ જવા માટે મનુષ્યજન્મ મળે છે. તેવી રીતે અનંતીવાર જન્મ પામી અનંતીવાર નરકાદિ દુર્ગતિમાં ભટક્યા. આપણે પણ તે માટે જ જમ્યા છીએ ? મનુષ્યજન્મ અને પાપ તે બેનો મેળ ખાય ? આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુલમાં જન્મેલા અને આર્યસંસ્કાર પામેલાઆનો સિદ્ધાંતો હોય છે કે, સંસાર છોડ્યા વિના મરાય જ નહિ. તેમને ત્યાં પણ ચાર આશ્રમ છે. તે ય ઘર-મ્બારાદિ છોડી, સર્વત્યાગી થઇને જ મરે, જ્યારે આપણે ત્યાં તો શાએ આઠ વર્ષે દીક્ષાનું વિધાન કર્યું છે. શ્રાવકકુળમાં જન્મેલો આઠ વર્ષે દીક્ષા ન પામે તો રોજ વિચારે કે- “હું ફ્લાઇ ગયો, ઠગાઇ ગયો, મોહે મને ફ્સાવી દીધો છે.' તમે આ વિચાર કરો છો ? તમારા ઘરે જે સંતાન જન્મે તે ય પાપ જ કરવ ( ' ' Page 60 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy