SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ कषायाणां तथा हृतिः । सानुबन्धा श्री जिनाज्ञा च, तत्तपः शुधमिष्यते ॥ અનંત ઉપકારી શાસ્રકાર પરમર્ષિ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર સમ્યપનું સ્વરૂપ સમજાવી રહ્યા છે કે - શ્રી જિનેશ્વર પરમાત્માઓ એવું પુન્ય આરાધી આવ્યા હોય છે, એવી તૈયારી કરી આવ્યા છે, આરાધનાનો તેઓ ઉચ્ચ અભ્યાસ બનાવી આવ્યા હોય છે. જેનું વર્ણન ન થાય. વર્ષીતપનો તપ આ અવસર્પિણીના પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામી ભગવાને આચર્યોં અને આજના દિવસે પારણું કર્યું. આ તપ એવી જાતિની આજ્ઞા મુજબનો છે કે નિર્દોષ આહાર પાણી મલે તો તેનો સંયમની સાધનામાં નિર્વાહ કરવો, જો નિર્દોષ અશન પાન ન મલે તો તેને માટે ઉપવાસ છે. તેથી આગળ અશન મલે પાન ન મલે તો અશનથી ચલાવવું; પાન મલે અશન ન મલે તો પાનથી ચલાવવું, અશન-પાન બેય ન મલે તો બેય વિના ચલાવવું એ જ મોટામાં મોટો તપ છે. પહેલી વાત એ છે કે ન ચાલે ત્યારે મેળવવા જાય છતાંય ન મલે તો તપ કરે કેટલો ભારે ઇચ્છાનિરોધ તપ ! ભગવાન શ્રી ઋષભદેવસ્વામીએ ફાગણવદી-૭ થી તપ શરૂ કરેલ. બીજા વર્ષના વૈશાખ સુદ-૩ના પારણું કર્યું. એ પરમ તારક દરરોજ ભિક્ષાએ જતા, લોક ભિક્ષા શું એ જાણતું ન હતું, ભગવાનને ખુદને બધા જગતના દાદા તરીકે પીછાણે, પ્રજાનો એ પુન્યપુરુષ પર પ્રેમનો પાર નહિ. ભગવાન ભિક્ષાએ જાય એટલે લોક પ્રાણથી પણ પ્યારી ચીજો સામે ધરે. ભગવાનને શું ખપે છે ? શું જોઇએ છે ? તે સહૃદયી લોક જાણે નહિ, એટલે પૂજ્યભાવથી લોક હીરા, પન્ના, આદિ કિંમતી ચીજ હોય તે આપે, પરંતુ ચાર જ્ઞાનના ધણી એવા ત્રિભુવનતિલક એ ચીજો તરફ આંખ સરખી ન કરે. પંરતુ પાછા આવી ધ્યાનમાં ઉભા રહે. આ રીતનો એમનો તપ ૧૩-૧૩ મહિના થયો. એ શ્રી જિનેશ્વર ભગવંતોના શાસનને સમર્પિત મુનિ ભગવંતો એ પરમ તારકોની આજ્ઞા મુજબ ચાલે. આપણે ત્યાં આજ્ઞાનું પાલન એજ એઓની મોટામાં મોટી ભક્તિ છે, પૂજા છે. જેના હૃદયમાં આ પ્રકારનું ભગવાન પ્રત્યે બહુમાન જન્મી જાય અને તેનું સમજણપૂર્વક આચરણ કરવા માંડે તો કામ થઇ જાય. જૈન શાસનમાં તપ શું છે શા માટે કરવાનો છે એ વાત આજે સમજાવવી છે. તપ એ મોટામાં મોટો ધર્મ છે ને ? જેનાથી બની શકે એ બધાએ કરવાનો છે. દાન-શીલ-તપ-ભાવના રૂપી જ્ઞાનીઓએ જે ધર્મ કહ્યો તે દરેકે શક્તિમુજબ આચરવાનો છે. બીજા કેમ નથી કરતા તેની ચિંતા કર્યા વગર હું ધર્મ નહિ કરું તો મારું શું થશે તેની જેને ચિંતા હોય તેને આ તપ કરવા જેવો લાગે. આપણે ધર્મ ન કરીએ તો ધર્મને શું નુક્શાન થવાનું છે ? ધર્મ તો અનંતકાલથી છે અને અનંતકાલ વિધમાન રહેવાનો છે. માટે આપણે ધર્મ ન કરીએ તો શું થશે તે ચિંતા હોય તે જ જીવ દાન-શીલ-તપ કરે ભાવના ભાવે તો લાભ થાય. Page 3 of 77
SR No.009188
Book TitleSamyak Tapnu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy