________________
ફ્રીને તને પ્રાર્થના કરીએ છીએ કે-સંસારસાગરમાં સેતુ સમાન નમસ્કાર પ્રત્યે તું લેશ પણ શિથિલા (આદરવાળો) બનીશ નહિ. (૬૮) કારણ કે- જન્મ-જરા-મરણથી વધારે ભયંકર સ્વરૂપવાળા આ સંસાર-અરણ્યને વિષે મંદપુણ્યવાળા જીવોને આ નવકાર પ્રાપ્ત થતો નથી. (૬૯).
રાધા-પુતલી સ્પષ્ટપણે વિંધવી એ દુર્લભ નથી, ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા ગગનતલને વિષે વું એ દુર્લભ નથી, પણ એક નવકારને પામવો એ જ દુર્લભ છે. (૭૦) સર્વત્ર-કોઇ પણ કાળે અને સ્થળે વિધિ રૂપી ધનવાળા પુરૂષે “આ જ એક શરણ છે.' –એમ માનીને નવકારને સ્મરવો જોઇએ, તો પણ આરાધનાકાળે-મરણ સમયે તેને વિશેષ સ્મરવો જોઇએ. (૭૧) આ નવકાર એ આરાધના. રૂપી પતાકાને ગ્રહણ કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે તથા દુર્ગતિઓના દ્વારોને રોકવા માટે મોટી અર્ગલા છે. (૭૨) અન્ય કાળે પણ આ નવકાર નિત્ય ભણવા લાયક, ગણવા લાયક, સાંભળવા લાયક અને સારી રીતે અનુપ્રેક્ષા-ચિન્તન કરવા લાયક છે, તો પછી મરણકાળ માટે તો પૂછવું જ શું ? (૭૩) ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી જેમ શેષ વસ્તુને છોડીને આપત્તિનિવારણ માટે સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે (૭૪) તથા ભયંકર રણસંકટ વખતે સુભટ જેમ કાર્ય કરવાને સમર્થ એક જ અમોધ શસ્ત્રને ધારણ કરે છે : (૭૫) એ રીતે અંતકાળે અગર પીડા સમયે તગત મનવાળા પણ સકલા દ્વાદશાંગ શ્રુતસ્કંધને સવિસ્તર ચિંતવવા માટે સમર્થ થતા નથી. (૭૬) તેથી મરણ સમયે દ્વાદશાંગને છોડી. સમ્યફ પ્રકારે આ પંચપરમેષ્ઠિ નમસ્કાર જ તેઓ વડે કરાય છે, કારણ કે-તે દ્વાદશાંગનો જ અર્થ છે. (૭૭) સઘળુંએ દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિના હેતુ માત્ર છે. નવકાર પણ તે જ કારણસ્વરૂપ હોવાથી દ્વાદશાંગાથે કેમ નહિ ? (૭૮) તે માટે તગતચિત્ત અને વિશુદ્ધ લેશ્યાયુક્ત બનીને આત્માને કૃતાર્થ માનતા તે નવકારનું જ સમ્યગ રીતિએ વારંવાર સ્મરણ કરવું જોઇએ. (૭૯) કોણ એવો સકર્ણ, મરણ વખતે રણમાં જયપતાકા ગ્રહણ કરનાર સુભટની જેમ કર્ણને અમૃતના છંટકાવ તુલ્ય નવકારનો આદર ન કરે ? (૮૦)
પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર પવન જેમ જલન શોષવી નાખે, તેમ સકલ ફ્લેશજાલને છેદી નાખે છે. (૮૧) અંત સમયે સંવિગ્ન મન વડે, અમ્મલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યક પ્રકારે સંપૂર્ણ નવકારને સ્વયં ઉચ્ચારણ કરે, એ ઉત્સર્ગવિધિ છે. અથવા બળ ઘટવાથી જો તેમ કરવા સમર્થ ન હોય, તો પરમેષ્ઠિઓના નામને અનુસરનારા “WHISHI' એવા પાંચ અક્ષરોને સમ્યફ પ્રકારે વારંવાર પરાવર્તન કરે. જો કોઇ કારણે તેમ કરવા પણ અશક્ત હોય, તો “37એવા એક અક્ષરનું ધ્યાન કરે : કારણ કે-બે અક્ષર વડે અરહંત, અશરીરથી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે મુનિવરો સહિત થયેલા છે. એ પાંચેય નામોની. આદિમાં રહેલા અક્ષરોની સંધિના પ્રયોગથી આ ઓંકાર બનેલો છે, એમ સર્વજ્ઞપરમાત્માઓએ ક્રમાવેલું છે. એનું ધ્યાન કરનાર નિશ્ચ પાંચેય પરમેષ્ઠિઓને સ્પષ્ટપણે ધ્યાયા છે અથવા જે એ (એક અક્ષર) નું ધ્યાન કરવાને પણ અસમર્થ છે, તે પાસે રહેલા કલ્યાણમિત્રોના સમુદાય પાસેથી પંચ નવકારને સાંભળે. અને સાંભળતી વખતે હૈયામાં આ પ્રમાણે ભાવના કરે. (૮૨ થી ૮૯) આ નવકાર એ સારની ગાંઠડી છે, આ નવકાર એ કોઇ દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે, આ નવકાર એ મને ઇષ્ટનો સમાગમ છે અને આ નવકાર એ એક પરમ તત્વ છે. (૯૦) અહો છો ! આજે હું ભવસમુદ્રના તટને પામ્યો છું. અન્યથા, ક્યાં હું ક્યા આ અને ક્યાં મારો એની સાથેનો સમાગમ ? (૯૧) હું ધન્ય છું, કે જેણે અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ય ચિન્તામણિ એવો પાંચ પદવાળો નમસ્કાર પ્રાપ્ત કર્યો ! (૯૨) શું હું આજે સર્વ અંગોને વિષે અમૃતપણા વડે પરિણત થયો છું અથવા અકાળે જ શું કોઇ વડે સકલ સુખમય કરાયો છું ? (૯૩) એ રીતે પરમ શમરસાપત્તિપૂર્વક આચરેલો નમસ્કાર, શીતધારણ (શીતોપચાર) નો પ્રયોગ જેમ વિષને હણે તેમ કિલષ્ટ કર્મોને હણી નાંખે છે (૯૪) અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વ મર્યો છે, તેણે સુખને આમંચ્યું છે. અને
Page 9 of 51