________________
જ્ઞાની ભગવંતોએ ચાર ભેદ કહેલા છે.
(૧) અનંતાનુબંધિ અનંતાનુબંધિ (૨) અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય (૩) અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીયા (૪) અનંતાનુબંધિ સંજવલન કષાય
આ ચારમાંથી મનુષ્ય અને તિર્યંચના જીવો જ્યારે પહેલા અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયમાં વિધમાન હોય ત્યારે આયુષ્ય બાંધે તો નરકનું આયુષ્ય બાંધે છે. માટે આ કષાય ન આવે તેની સતત કાળજી રાખવી.
(૯) કૃષ્ણ લેશ્યા.
જગતમાં જેમ ગ્રહણ કરવા લાયક પુદ્ગલોની વર્ગણાઓ અનંતી અનંતી રહેલી છે તેમ આ કૃષ્ણા લેશ્યાના પુગલોની પણ અનંતી અવંતી વર્ગણાઓ રહેલી છે. આત્મા જે પુદગલો વડ લેપાય તે વેશ્યા કહેવાય છે. આ પુદ્ગલો જુદા જુદા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આદિના કારણે છ પ્રકારનાં હોય છે.
તેમાં અત્યંત ખરાબ વર્ણાદિવાળા જે પુદ્ગલો આત્માની સાથે એકમેક થાય ત્યારે તે પુદ્ગલો કૃષ્ણ લેશ્યાવાળા કહેવાય છે. એટલે ગણાય છે.
આ પુદ્ગલો આત્માની સાથે અકમેક થતાં વિચારોનું પરિવર્તન કરી નાખે છે. માટે તે પુદ્ગલોની અસરથી વિચારો જીવના કેવા પ્રકારના થાય છે તે જણાવે છે. ખર = કર્કશ પરિણામ બને. કોઇપણ વિચારોમાં સ્થિરતા ન આવે અને સારા વિચારોને નષ્ટ કરે ઝઘડા એટલે કજીયો કરવાવાળા વિચારો થાય.
પુરૂષ એટલે કઠોર વિચાર બને. અતિ ચંડ - અત્યંત ક્રોધી સ્વભાવવાળા વિચારો.
દુર્મુખ = સારા વિચારોથી રહિત માઠા મુખવાળો એટલે અતિશય વેર બુદ્ધિને ધારણ કરવાના સ્વભાવવાળો અંતરમાં કરૂણા એટલે દયા વિનાનો. અત્યંત અભિમાની બીજાની હત્યા કરનારો, બીજાના વિચારોને તોડી નાખનારો તેમજ આચારથી ભ્રષ્ટ થયેલો હોય છે.
આમાંના કોઇ લક્ષણના વિચારો અંતરમાં ચાલતા હોય તો સમજવું કે કૃષ્ણ લેશ્યાના વિચારો ચાલે છે. આ કૃષ્ણ લેશ્યાના અસંખ્યાતા ભેદો થાય છે. જઘન્ય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા-મધ્યય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા અને ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ વેશ્યા એમ ત્રણ ભેદો પડે છે. જઘન્ય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે જીવો સમકીત ગુણની પ્રાપ્તિ કરતાં હોય છે ત્યારે શુભલેશ્યા જ હોય છે. પણ સમકીત આદિ ગુણપ્રાપ્તિ પછી અશુભ લેશ્યાના પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કહેલી છે.
નરક ગતિ - નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ લેશ્યાના વિચારોમાં થાય છે. (૧૦) નીલ ગ્લેશ્યા.
આ લેશ્યાના પુદ્ગલો પણ જગતમાં જેમ ગ્રહણ કરવા લાયક વર્ગણાઓનાં પગલો હોય છે તેમ સ્વતંત્ર આ નીલ ગ્લેશ્યાના પુગલો પણ છે. તે પુદ્ગલોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ તેને અનુરૂપ હોય છે અને તે આત્માની સાથે જ્યારે એકમેક થાય છે ત્યારે તે જીવોના વિચારો તે પુદ્ગલ રૂપે પેદા થાય છે. આ લેશ્યાના અધ્યવસાયો એટલે પરિણામો અસંખ્યાતા હોય છે તેને ઓળખવા માટે જ્ઞાની ભગવંતોએ ત્રણ ભેદ પાડેલા છે. જઘન્ય પરિણામવાળા. મધ્યમ પરિણામવાળા અને ઉત્કૃષ્ટ પરિણામવાળા નીલ ગ્લેશ્યાના પગલા
Page 96 of 126