SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મજેથી આચરે તે ઉન્નય માન કષાય ગણાય છે. (૧૧) ઉન્નામ - અભિમાનથી પ્રતિ નમન ન કરવું તે. અભિમાન અને ગર્વ અંતરમાં એટલો બધો પેદા થયેલો હોય કે કોઇને વારંવાર નમસ્કાર કરવો. હોય તો તે કરે નહિ. એને વળી આપણે નમસ્કાર કરવાનું શું પ્રયોજન ? જરૂર હશે તો તે નમતો આવશે, એવા વિચારોમાં રહીને પોતાનું જીવન જીવવું તે ઉન્નામ માન કષાય કહેવાય. માયાના ૧૭ ભેદો (૧) માયા - કપટ હૈયામાં દુષ્ટ ભાવ, મેલાપણું રાખવું તે. (૨) ઉપધિ – બીજાને ઠગવા માટે હૈયામાં વંચક ભાવ એટલે કે લુચ્ચાઇવાળો ભાવ રાખવો તે. એટલે કે હૈયામાંથી સરલ સ્વભાવ દૂર કરીને ઠગવાનો ભાવ રાખીને બીજા પ્રત્યે વચન બોલવું. વર્તન કરવું તે ઉપધિ. (૩) નિવૃતિ - આદરથી બીજાની વંચના કરવી તે. એટલે કે જે માણસને ઠગવો હોય તે માણસને પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા કરાવીને તેના પ્રત્યે આદરભાવ રાખીને એટલે દેખાડીને તેનો વિશ્વાસઘાત કરવો એટલે કે તેને ઠગવો તે નિકૃતિ કહેવાય છે. (૪) વલય - વક્ર સ્વભાવ. બીજાની પાસે વક્રતાનો સ્વભાવ બતાવીને તેને પોતાના વિશ્વાસમાં લેવો અને મજેથી ઠગવો તે. (૫) ગહન - ન સમજાય તેવી માયાજાળ. એવી રીતે સામા માણસને ઠગવાનો પ્રયત્ન કરે કે જેથી સામો ગમે તેવો હોંશિયાર હોય તો પણ તેને ખબર ન પડે એવી રીતે ઠગવું તે ગહન. (૬) નુમ - સામા માણસને ઠગવા માટે નીચતા આચરવી પડે તો નીચતાના આશ્રય લઇ ઠગવા તે નૂમ. (૭) કલ્ક - હિંસાદિ નિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય. એટલે બીજાને છેતરવામાં લાભ થતો હોય અને તેને માટે જે કાંઇ હિંસાદિ થાય તો તે કરીને પણ છેતરવાનો પ્રયત્ન કરવો તે. (૮) કુરૂક (કુરૂપ) ભૂંડ ચાળા. બીજા માનવો સારા વ્યવહાર કરવાથી ન ઠગાય તો ભૂંડા ચાળા અથવા ભૂંડી ચેષ્ટાઓ કરીને પણ સામાને ઠગવા માટે પ્રયત્ન કરવો અને પોતાના લાભને પ્રાપ્ત કરવો તે કુરૂપ. (૯) દંભ - બીજાને ઠગવા માટે બહારથી ઠાઠ-માઠ દેખાડી સારી સજાવટ કરી તથા અમો કેવા. સારા માણસો છીએ એવો દેખાવ કરી બીજાને ઠગવા તે. (૧૦) કૂટ - કપટ જાલ. પોતાના વિશ્વાસમાં લઇને પછી માયાની જાળ પાથરી ઠગવાનો પ્રયત્ન કરવો તે. (૧૧) જેહમ - વંચના માટે મંદતા. બીજાને ઠગવાના ન્હાનાથી પોતે નાનો થઇ જાય, દગાબાજ દૂગુના નમે તેની જેમ દીન બનીને બીજાને ઠગવા તે જેમ કહેવાય છે. (૧૨) કિલ્બિષ - ખરાબ ચેષ્ટાઓ દ્વારા બીજાને ઠગવાનો પ્રયત્ન કરવો તે. ભાંડ-ભવૈયા વગેરેની ચેષ્ટાઓ કરતાં કરતાં બીજાને ઠગવા. તે કિબિષ માયા કહેવાય છે. Page 72 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy