________________
અધ્યવસાયો હોય છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉધ્યમાં જીવો આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી સન્ની. પંચેન્દ્રિય તિર્યચોમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે.
જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી એક અંતર્મુહૂર્ત એક સમય અધિકથી શરૂ કરી ત્રણ પલ્યોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા સમયોના આયુષ્ય બાંધવાના અધ્યવસાય સ્થાનો મધ્યમ કષાયના હોય છે.
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં મનુષ્ય આયુષ્ય બાંધે છે. જઘન્યથી એક અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમનું બાંધી શકે છે. આથી જઘન્ય એક અંતર્મુહૂર્ત એક સમય અધિક-બે સમય અધિક યાવત્ . ત્રણ પલ્યોપમ સુધીમાં જેટલા સમયો થાય એટલા અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયના મધ્યમ પરિણામવાળા આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો થાય છે.
અનંતાનુબંધિ સંજ્વલન કષાયની હાજરીમાં આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધા કરે છે. જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. આથી દશ હજાર વરસ એક સમય અધિક-બે સમય અધિક આદિ કરતાં કરતાં યાવત ૧૮ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા અનંતાનુબંધિ સંજવલન કષાયના મધ્યમ કષાયના આયુષ્ય બંધના અધ્યવસાય સ્થાનો પ્રાપ્ત થાય છે.
બીજા ગુણસ્થાનકે આ જીવોને અનંતા-અપ્રત્યા. અનંતા-પ્રત્યા. અને અનંતા-સંજ્વલન કષાય ઉદયમાં હોય છે એમાં આયુષ્યનો બંધ કરે તો અનંતા-અપ્રત્યા. થી તિર્યંચનું આયુષ્ય બાંધે અનંતા-પ્રત્યા. કષાયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્ય આયુ બાંધે છે અને અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્ય બાંધે છે.
ત્રીજા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય છે.
ચોથા ગુણસ્થાનકે અપ્રત્યા-અનંતા, અપ્રત્યા-અખત્યા, અપ્રત્યા-પ્રત્યા. અને અપ્રત્યા-સંજવલના એમ ચારેય કષાયનો ઉદય હોય છે. આ ચારેય કષાયથી આયુષ્યનો બંધ થાય તો આ જીવો નિયમ દેવાયુષ્યનો બંધ કરે છે.
- પાંચમાં ગુણસ્થાનકે આ જીવોને પ્રત્યાખ્યાનીય- અનંતાનુબંધિ-પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય સંજ્વલન એમ ચારેય કષાયો ઉદયમાં હોઇ શકે છે. અને આ ચારે કષાયમાં વિધમાન જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવાયુષ્ય બાંધે છે. આ તિર્યંચમાં રહેલા જીવોને પણ પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયના ઉદયથી અનંત | વિશુદ્ધિ પેદા થતાં મનથી સર્વ સાવધનાં પચ્ચક્ખાણ કરી અનશન કરી સર્વવિરતિ જેવા પરિણામને પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય ગતિને વિષે
ગુણસ્થાનકમાં જે કષાયોનું સામાન્યથી વર્ણન કરી દશમાં ગુણસ્થાનક સુધી કષાયો જણાવ્યા છે તે પ્રમાણે વર્ણન સમજવું. દશમાના અંતે સર્વથા કષાયોનો ક્ષય કરી જીવો બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યાં અંતર્મુહર્ત રહી પછી જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. દેવગતિને વિષે
Page 68 of 126