SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રત્યાખ્યાનીય- અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય તેમાં અનંતા-અનંતામાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે. અનંતા. અપ્રત્યા. માં આયુષ્ય બાંધે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાંથી કોઇપણનું બાંધી શકે છે. અનંતા. પ્રત્યા. માં આયુષ્ય બાંધે તો મનષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું બાંધે. અનંતા. સંજ્વલનમાં આયુ બાંધે તો મનુષ્યનું આર્યદેશાદિ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય એવું યાવત્ તીર્થંકરની માતા થઇ શકે એવું આયુષ્ય બાંધી શકે છે. વિકલેન્દ્રિય જીવોને અનંતા. અનંતા-અનંતા. અપ્રત્યા-અનંતા. પ્રત્યા. અને અનંતા. સંજ્વલન એમ ચાર કષાયો હોય છે. તેમાં અનંતા. અનંતા. કષાયથી એકેન્દ્રિયનું નિગોદનું આયુષ્ય બાંધી શકે છે. અનંતા. અપ્રત્યાથી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચમાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે. વિકલેન્દ્રિયપણામાંથી મનુષ્ય થાય તે જીવો તે ભવમાં મોક્ષે જતાં નથી. વધારેમાં વધારે સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરી શકે છે. અસન્ની અપર્યાપ્તા તથા સન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને અનંતા. અનંતા-અનંતા અપ્રત્યા-અનંતા. પ્રત્યા-અનંતા. સંજ્વ. એમ ૪ કષાયો હોય છે તેમાં અનંતા. અનંતા. કાયમાં આયુષ્યનો બંધ કરે તો નિગોદનું આયુ બાંધી શકે છે. અનંતા. અપ્રત્યા. કષાયમાં આયુ. બાંધે તો એકેન્દ્રિયથી પંચે. તિર્યંચ સુધીમાંથી કોઇનું પણ આયુ બાંધી શકે છે. અનંતા. પ્રત્યા. કષાયમાં મનુષ્યનું અનાર્ય ક્ષેત્રાદિનું અને અનંતા. સંજ્વમાં મનુષ્યનું આર્ય ક્ષેત્રાદિનું ધર્મ સામગ્રી સંપન્ન રૂપે આયુ બાંધી શકે છે. અસન્ની પર્યા. તિર્યંચોને અનંતા. અનંતા-અનંતા-અપ્રત્યા.-અનંતા. પ્રત્યા. અને અનંતા. સંજ્વલન એમ ૪ કષાયો હોય છે. તેમાં અનંતા અનંતાનુબંધિ કષાયમાં આયુષ્યનો બંધ કરે તો પહેલી નારકીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બાંધી શકતા નથી. અનંતા. અપ્રત્યાખ્યાનીય કષાયથી આયુષ્યનો બંધ કરે તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચપણામાંથી કોઇનું પણ આયુષ્ય બાંધી શકે છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચનું વધારેમાં વધારે આયુષ્યનો બંધ કરે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું બાંધી શકે છે. અનંતા. પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે. અનંતા. સંજ્વલન કષાયથી આયુષ્યનો બંધ કરે તો દેવનું આયુષ્ય જઘન્યથી દશ હજાર વરસનું અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય બાંધી શકે છે. સન્ની પર્યાપ્તા - તિર્યંચના જીવોને પહેલા ગુણસ્થાનકે ચારેય કષાય હોય છે. અનંતા. અનંતા અનંતા. અપ્રત્યા. અનંતા. પ્રત્યા. અનંતા. સંજ્વલન. અનંતા. અનંતાનુબંધિ કષાયથી આ જીવો એકથી સાત નારકીમાંથી કોઇપણ નરકનું આયુષ્ય બાંધી શકે છે. જઘન્ય આયુષ્ય - ૧૦ હજાર વરસ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું બાંધે છે. આથી દશ હજાર વરસથી એક સમય અધિક અધિક કરતાં તેત્રીશ સાગરોપમ સુધીનાં જેટલા સમયો થાય એટલા સમયો જેટલા અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાયના મધ્યમ પરિણામના આયુષ્ય બાંધવાની યોગ્યતાવાળા Page 67 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy