SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કરી કહ્યું કે ભાઇ નથી. મારાથી નથી રહેવાતું માટે તમને લાવી છું. સુદર્શને પોતાના શીલના રક્ષણ કરવા માટે કહ્યું કે બેન હું નપુંસક છું, એમ કહી બારણા ખોલી બહાર નીકળી ગયો. તે વખતે પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ઉદયમાં છે. તેના બળે આવા સારા પરિણામ પેદા કરી પોતાના વ્રતની રક્ષા કરી શક્યો. ત્યારથી અભિગ્રહ દ્રઢ કર્યો કે કોઇના ઘરે જવું નહિ અને કોઇ બેનની સાથે વાતચીત કરવી નહિ. આ પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ કષાય ગણાય છે. આ કષાયની હાજરીમાં આયુષ્યનો બંધ પડે તો વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય કષાય પાંચમા, દેશવિરતિ ગુણસ્થાનકનાં પરિણામમાં રહેલા જીવો જ્યારે વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિનું વર્ણન સાંભળતા સાંભળતાં વીર્યોલ્લાસ પેદા થતાં મન-વચન-કાયાના વ્યાપાર વડે વ્રત-નિયમ-પચ્ચક્ખાણ ગ્રહણ કરે અને થોડા કાળ પછી આ કષાયનો ઉદય થતાં વીર્યોલ્લાસ મંદ પડી જાય કે તેના પ્રતાપે હીન પરિણામી પણ બની જાય અને મનમાં થયા કરે કે મેં ક્યાં આ નિયમ ગ્રહણ કર્યો, હવે મારાથી પળાતો નથી, નિયમ લીધો છે માટે તેનો ભંગ પણ થાય નહિ. આથી હવે લીધો છે તો પાલન કરી લ્યો. નિયમ લેતી વખતે કેટલા કાળ સુધી પાળવો તે મેં મનમાં ધારેલ ન હોવાથી થોડા દિવસ પાળી નિયમ છોડી દઉં તો મને દોષ લાગે કે નહિ ? મારો નિયમ ભાંગશે તો નહિને ? આ વિચારો કરી આ કષાયનો ઉદય જીવોને જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આવા વિચારો કરાવી આર્તધ્યાન પણ પેદા કરાવે છે. માટે આ કષાયનો ઉદય જીવોને પોતાના લીધેલા વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિમાં રસ ઓછો કરાવીને અતિચાર લગાડે છે. આથી અતિચાર દેશવિરતિપણું આ કષાયના ઉદયમાં હોય છે. આથી સાતિચાર દેશવિરતિવાળા જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવલોકનું પહેલા દેવલોકનું એટલે સૌધર્મ દેવલોકનું આયુષ્ય બાંધી શકે છે. પ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય કષાય આ કષાય પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયમાં વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરવાનો વીર્યોલ્લાસ જીવોને સારા રહે છે અને જે વ્રતાદિ લીધેલ હોય તેમાં અખંડ રીતે પાલન કરતાં કરતાં આગળ વધવાના ભાવ સુંદર ટકી રહે છે. માટે આ કષાયથી જીવો ષટ્ કર્મો સુંદર રીતે કરે છે. દેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમરૂપઃ । દાનંચેતિ ગૃહસ્થાનાં ષટ્ કર્માણિ દિને દિને || ૧ || ૧. શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરવી. ૨. ત્રિકરણ શુધ્ધિથી સુગરૂની સેવા કરવી. ૩. રોજ સ્વાધ્યાય કરવો. ૪. ઇન્દ્રિયોનો સંયમ કરવો. ૫. યથાશક્તિ તપ કરવો. ૬. સાતે ક્ષેત્રમાં યથાશક્તિ દાન કરવું. જેમ પુણીયો શ્રાવક શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના કાળમાં આ કષાયના ઉદયથી શ્રાવકપણામાં સુંદર આરાધના કરતો હતો. પહેલા સુખી શ્રાવક હતો. પછી ભગવાન મલ્યા, દેશના સાંભળી અને સંયમ લેવાની શક્તિ ન હોવાથી સર્વસ્વનો સ્વેચ્છાએ ત્યાગ કરી પોતે જેટલી મૂડીમાં કમાણી કરી પોતે Page 61 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy