________________
નિદ્રાનો ઉદય થાય તો પોતાના બળ કરતાં આઠગણું અધિક બળ પેદા થઇ જાય છે માટે તે પકડી શકાતા નથી. આ નિદ્રાના ઉદયવાળા જીવો મોટેભાગે નરકગામી હોય છે એટલે નરકમાં જવાવાળા હોય છે માટે આવા જીવો સાથે કોઇ વ્યવહાર કરાય નહિ. સાધુપણામાં આવા જીવો કદાચ આવી ગયા હોય તો તેમને સમજાવીને ઘરે રવાના કરવાનું વિધાન છે કારણ કે કોઇવાર કોઇ સાધુની સાથે કષાય થઇ ગયો હોય તો. રાતના આ નિદ્રાના ઉદયકાળમાં સાધુની હત્યા કરી નાંખે એવું બને માટે તેઓને રખાતા નથી.
આના ઉપરથી વિચાર એ કરવાનો કે બીજા દિવસનું આગળના દિવસોનાં પ્લાનીંગ કરી રાખવામાં આવે છે તે કરી રખાય નહિ અને એવા પ્લાનીંગ રાખી વિચારીને સુવાય નહિ એ માટે મનુષ્ય જન્મ મલ્યા છે ? યાત્રા માટેનાં પ્લાનીંગ એકલી યાત્રાના નથી હોતા માટે રાતના સુતા પહેલા ન કરાય તો સારું જો યાત્રા. સાથે વહેવારની વાતો વિચારે તો પાપાનુબંધિ પુણ્ય બંધાય છે.
રાતના વિચારમાં ટેન્શન કરવા થકી બીજા સાથે સુનારાનેય ચિંતાને ટેન્શન પેદા કરાવે એવું બને છે માટે એ વિચારણાઓ રાતના કરવાનો નિષેધ છે. બાકી તો જે થવાનું છે તે તે પ્રમાણે જ થવાનું છે. આપણા વિચાર મુજબ થવાનું નથી તો શા માટે આવી વિચારણાઓ કર્યા કરવી.
આ પાંચે નિદ્રામાંથી આપણને કયી નિદ્રાનો ઉદયકાળ ચાલે છે તે આપણે વિચારવાનું છે. નિદ્રા અને પ્રચલા અભ્યરસવાળી છે એ નિદ્રા લાવવી આપણા હાથની વાત છે જ્યારે બાકીની ત્રણ અધિક રસવાળી હોય છે.
દર્શનાવરણીયની નવ પ્રકૃતિઓનો બંધ પહેલા અને બીજા ગુણસ્થાનકે ચાલુ જ હોય છે. ઉદય છઠ્ઠા સુધી નવેનો ચાલુ જ હોય છે.
નિદ્રા નિદ્રા-પ્રચલા પ્રચલા-થીણધ્ધી આ ત્રણ સિવાય દર્શનાવરણીયની છ પ્રકૃતિઓનો બંધ ત્રીજાથી. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચાલુ જ હોય છે અને નિદ્રા પ્રચલા સિવાય બાકીની ચાર પ્રકૃતિઓનો બંધ આઠમાના બીજાથી દશમા સુધી સતત ચાલુ હોય છે. જ્યારે છનો ઉદય સાતમાથી બારમાના ઉપાજ્ય સમય સુધી હોય છે. ચારનો ઉદય બારમાના અંત સમયે જ જીવોને એકજ સમયે હોય
છે.
અશાતા વેદનીય
લાભાંતરાય કર્મના ઉદયથી અનુકૂળ પદાર્થોને બદલે પ્રતિકૂળ પદાર્થોની પ્રાપ્તિ થયા કરે લાભને બદલે ગેરલાભ મેળવી પોતાના આત્માને જીવ દુ:ખી કરતો જાય તે અશાતાવેદનીય કહેવાય છે. જેમ જેમ મહેનત કરે તેમ તેમ સળતાની જગ્યાએ નિળતા પ્રાપ્ત થયા કરે તે અશાતા વેદનીય કર્મ કહેલ છે. શરીરમાં રોગાદિ પેદા થતાં જાય-રોગ સહન ન થતો હોય-તેનો અંતરમાં બળાપો રહ્યા કરતો હોય તેનેય અશાતા વેદનીય કર્મ કહ્યું છે.
અનુકૂળ પદાર્થોમાં જીવને સંતોષ અને આનંદની લાગણીને બદલે અસંતોષ જ રહેતો હોય તે પણ અશાતાનો ઉદય ગણાય છે. જીવને સહન કરવાને બદલે ગ્લાની પેદા થાય તે પણ અશાતાના ઉદયથી જો જીવ સહન કરવાની ટેવ ન પાડે તો સંતોષાદિ પેદા થવાને બદલે અસંતોષ આદિ પેદા થાય-થયા કરે એ પણ અશાતાનો ઉદય. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે અશાતા વેદનીય ત્રણ પ્રકારે જીવને હેરાન કરે.
(૧) શરીરમાં રોગાદિ પેદા થાય ત્યારે સહન કરવાને બદલે ગ્લાનિ પેદા થાય તે અશાતા. (૨) અંતરાય કર્મના ઉદયથી કામમાં સફળતાને બદલે નિષ્ફળતા મળતી જાય તેનાથી ગ્લાનિ પેદા
Page 44 of 126