________________
આત્મસુખને જ પ્રાપ્ત કરવાને મથનારાઓ માટે જ આ શક્ય છે. દુન્યવી સુખની કાંક્ષાવાળા આત્માઓ કદાચ સાધુ વેશમાં રહેલા હોય, તો પણ તેઓ મનોમિથી સદા પર રહે છે અને અનેક રીતિએ રીબાયા કરે છે. આ ત્રણ પ્રકારની મનોગમિઓનો એક જ શ્લોક દ્વારા ખ્યાલ આપતાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
"विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तन्झै मनोगुप्तिरुदाह्यता ||१||" અર્થાતુ- મનોગુણિના સ્વરૂપને જાણનારા મહાપુરૂષોએ “કલ્પના જાલની વિમુકિત, સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરતું'-આવા પ્રકારનું જે મન, તેને મનોગમિ ફરમાવી છે.
આર્ત અને રૌદ્ર ધ્યાનનો અનુબન્ધ કરનારી કલ્પનાઓની જાળથી મુકત એવું જે મન-તેનું નામ પ્રથમ પ્રકારની મનોગુમિ : શાસ્ત્રાનુસારિણી, પરલોકને સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી માધ્યચ્ય પરિણતિ રૂપ બનેલું હોઇ સમપણામાં સુપ્રતિષ્ઠિત બનેલું જે મન-તેનું નામ બીજા પ્રકારની મનોગુપ્તિ : અને કુશલ તથા અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધાવસ્થામાં થનારી આત્મારામતાવાળું જે મન-તે ત્રીજા પ્રકારની મનોગુમિ છે. બે પ્રકારની વાસુદ્ધિ
હવે બીજી છે-વાગૂમિ એના પ્રકાર બે છે.
૧- મુખ, નેત્રો, ભૃકુટિનો વિકાર, અંગુલિઓથી વગાડવામાં આવતી ચપેટિકા તથા પત્થરનું ફેબ્ધ, ઉચા થવું, બગાસું ખાવું અને હુકાર-આ આદિ ચેષ્ટાઓના ત્યાગપૂર્વક મૌન રહેવાનો અભિગ્રહ કરવો, એ પહેલા પ્રકારની વચનગુક્તિ છે. જેઓ મૌનની પ્રતિજ્ઞા કરવા છતાં પણ, ચેષ્ટા આદિથી પોતાનાં પ્રયોજ્યોને સૂચવે છે, તેઓનું મૌન નિષ્ફળ જ છે : કારણ કે-મૌનનો જે હેતુ છે તે ચેષ્ટા આદિ દ્વારા પ્રયોજનોને સૂચવવાથી સરતો નથી. વાણીથી થતાં કામો ચેષ્ટા આદિથી કરનારાઓનું મૌન, એ નામનું જ મૌન છે. પ્રથમ પ્રકારની વાન્ગતિ રૂપ મૌન, સંસારની પ્રવૃત્તિઓમાં મશગુલ થયેલાઓ માટે શક્ય નથી. આત્માલ્યાણમાં હેતુભૂત એવું ઉમદા જાતિનું મૌન તો, સાંસારિક પ્રવૃત્તિઓથી પર રહેલા આત્માઓ માટે જ શક્ય છે. આત્મહિતમાં બાધક એવી પૌગલિક પ્રવૃત્તિઓમાં પોતાને અને બને તેટલા પ્રમાણમાં બીજાઓને પણ જોડનારા આત્માઓ, આવા મૌનના ભાવને સમજવા માટે પણ નાલાયક છે.
૨- હવે બીજા પ્રકારની વાગુપ્તિ તત્ત્વજ્ઞાનની વાચના દેવામાં, તત્ત્વજ્ઞાનના સમ્બન્ધમાં પ્રશ્ન કરવામાં અને કોઇએ કરેલા પ્રશ્નનો ઉત્તર દેવામાં, લોક અને આગમનો વિરોધ ન આવે એ રીતિએ મુખવક્સિકાથી મુખનું આચ્છાદન કરીને બોલતા એવા પણ મહાત્મા, વાણીના નિયત્રણવાળા જ મનાય છે. આત્મકલ્યાણ કરનારી વાણી વિધિ મુજબ બોલવી, એ પણ વચનગુમિ છે. પહેલી વચનગુણિ એ છે કે બોલવું જ નહિ અને બીજી વચનગુમિ એ છે કે-બોલવું પણ તે તાત્વિજ્જ અને તે પણ લોક તથા આગમનો વિરોધ ન આવે એ રીતિએ તથા મુખવગ્નિકાથી મુખનું આચ્છાદન કરીને જ. અર્થાતુ-નહિ બોલવું એ જેમ વચનગુક્તિ છે, તેમ હિતકર એવું વચન અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ બોલવું એ પણ વચનગુમિ છે. અવસરે બોલવું જ જોઈએ.
આ બન્નેય પ્રકારની વચનગુમિઓને જાણ્યા પછી સમજાશે કે-વાગૂમિનું સ્વરૂપ એલું ન બોલવું એ જ નથી, પણ સર્વથા વાણીનો નિરોધ એ જેમ વાગૂમિનું સ્વરૂપ છે, તેમ સમ્યભાષણ કરવું એ પણ
Page 162 of 325