________________
તેમને અવશ્ય ખાત્રી થાય કે-સ્વપરના કલ્યાણનો આ જ એક વાસ્તવિક માર્ગ છે. સુન્દર ભવિતવ્યતા તથા લઘુકમિતાના યોગે મોક્ષનું અર્થિપણું હોય, એ માટે સધર્મને શોધવાની તીવ્ર વૃત્તિ હોય અને આગ્રહરહિતપણું આદિ હોય, તો આ શાસનની યથાર્થવાદિતા સમજાવી મુશ્કેલ નથી. હવે આ રીતિએ જન્તુઓની કાળજી ધરાવનાર આ શાસને, જન્તુઓને અભયદાન દેવા માટે જ દીક્ષિત થયેલા મુનિઓનું શરીર, કે જે ધર્મશરીર છે. તેની રક્ષા માટે ખૂબ જ કાળજી કરી છે. મા જેમ પોતાના બચ્ચાને ખાડા-ટેકરા કુદવાની મના કરે, તેમ ઉપકારિઓએ પણ મુનિઓને ખાડા-ટેકરાવાળા વિષમ માર્ગોને નહિ લંઘતાં, થોડું અધિક ચાલવું પડે તો તેમ કરીને પણ, એવા પ્રદેશોને નહિ લંઘવા એમ ફરમાવ્યું છે: કારણ કે-એવાં લંઘન આદિ કરવામાં ધર્મશરીરને હાનિ પહોંચવાનો સંભવ છે. એને હાનિ પહોંચવાથી મોક્ષમાર્ગ રૂ૫ રત્નત્રયીની આરાધનામાં વિઘ્ન આવવાનો પણ સંભવ છે. વળી તેવી રીતિએ લંધવામાં જીવદયાના હેતને પણ નુકશાન પહોંચે, તો તે અસંભવિત નથી. આ રીતિએ જન્તુઓની અને સંયમસાધક શરીરની પણ રક્ષા માટે આ પ્રથમ સમિતિ અતિશય જરૂરી છે, એમાં શંકાને અવકાશ છે?
સ. જરા પણ નહિ ! હવે ઉપકાર આદિના નામે, કેટલાકો રેલવિહાર આદિની જે વાતો કરે છે, તે કેવી લાગે છે?
સ. આવા ઉત્તમ આચારના પાલનનું જ્યાં વિધાન છે, ત્યાં એ વસ્તુઓનો વિચાર પણ ભયંકર છે.
ઉત્તમ આચારને માનનારા આમ જ માને છે અને વર્તે છે, પણ પાપાત્માઓ આવા માર્ગની પણ અવગણના કરીને ઉન્માર્ગે ચાલે છે અને એનો પ્રચાર કરવાનું પણ કારમું પાપ આચરે છે. રાત્રિના સમયે ભટકનારા અને રેલવિહાર આદિના કરનારા વેષ ધારિઓ જ્યારે સન્માર્ગનો પણ વિરોધ કરે છે, ત્યારે તેઓ દયાના પરિણામથી પણ પરવરેલા હોય એવા લાગે છે. એવાઓને આ સમિતિનું વર્ણન પણ ખટકે, એ સ્વાભાવિક જ છે.
સ. તેવા પાપી આત્માઓને ખટકે, કેમકે-તેમનું પાપ ઉઘાડું પડી જાય ને ? મારા જેવાને તો આ બહુ જ ગમે છે.
જે આત્માઓ કોઇ પણ કુલમાં ઉત્પન્ન થવા છતાં પણ, તથા પ્રકારની યોગ્યતાને ધરનારા હોય છે અને સમ્યગ્દર્શનને પામેલા નહિ હોવા છતાં પણ, તે આત્માઓને આવાં વિધાનો રૂચિકર નિવડે તે સ્વાભાવિકજ્જ છે. ધોર મિથ્યાત્વમાં સબડતા વેષધારિઓને અને તેવા બીજા પણ અયોગ્ય આત્માઓને આવાં વિધાનો ન રૂચે. એવા પામરોની તો કોઇ દશા જ જૂદી હોય છે. કેટલાકો તો દેવ-ગુરૂ-ધર્મની સાથે કુટીલ રમત રમવાને ટેવાઈ ગયેલા હોય છે અને તમે કહ્યું તેમ પોતાનું પાપ ઢાંકવા આદિના ઇરાદે પણ સદગુરૂઓની સપ્રવૃત્તિઓને નિન્દનારા હોય છે. બાકી સાચું યતિજીવન જીવવાને માટે આ સમિતિના પાલનની પણ આવશ્યકતા છે, એ નિર્વિવાદ વાત છે. આ વિધાન મુનિઓને માટે છે, છતાં ગૃહસ્થોને ય બોધપાઠ રૂપ છે. પૌષધમાં તો પાંચેય સમિતિના પાલનનું જ ગૃહસ્થોને માટે ય વિધાન છે, પરન્તુ તે સિવાય પણ ગૃહસ્થોએ ચાલતી વેળાએ ઉપયોગ રાખવો એ લ્યાણકર છે. ઉત્તમ ગૃહસ્થો પણ નીચી દ્રષ્ટિએ ચાલનારા હોય છે. નીચી દ્રષ્ટિએ ચાલવામાં શીલને પણ લાભ છે અને ઉપયોગ રાખવામાં આવે તો જીવદયાનું પાલન પણ છે. આથી ગૃહસ્થોએ પણ આનો શક્ય અમલ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. હવે શાસ્ત્રવિધિ મુજબ એવા પ્રકારના ઉપગ પૂર્વક ચાલતા પણ મુનિથી કથંચિત્ પ્રાણિનો વધ
વો, એ અસંભવિત વસ્તુ નથી : પરન્તુ ઉપકારિઓ ફરમાવે છે કે-એવા પ્રકારના ઉપયોગ પૂર્વક
Page 156 of 325