SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) આચારાંગ - આમાં સાધુના પરિસહ આદિ આચાર વગેરે વર્ણવેલ છે. (૨) સૂત્રકૃતાંગ - ( સૂયગડાંગ) તેમાં ૩૬૩ પાખંડીઓ (કુવાદીઓ) નું સ્વરૂપ વગેરે બતાવેલ છે. સ્થાનાંગ - (ઠાણાંગ) આમાં દશ સ્થાન (અધ્યાય) છે તેમાં પહેલામાં એક એક બોલ બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના જેના હોય તેની વ્યાખ્યા કરી છે. (3) (૪) સમવાયાંગ - એક બેથી સંખ્યાત અસંખ્યાત અનંત બોલની વ્યાખ્યા સાથે ૫૪ ઉત્તમ પુરૂષોના અધિકાર વગેરે છે. (૫) ભગવતી (અથવા વિવાહપ્રજ્ઞપ્તિ) આમાં ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્ન છે તેમજ સાધુ, સાધ્વી, શ્રાવિકા, વગેરે તેમ સૂક્ષ્મ ભંગજાલ-જીવ વિચાર આદિ બાબતોનું વિવેચન છે. (૬) જ્ઞાતા ધર્મકથા - દ્રષ્ટાંતો દ્વારા દયા-સત્ય વગેરેની પુષ્ટિ કરેલ છે. તથા તેમાં અનેક ધર્મકથાઓ છે. (9) ઉપાસકદશાંગ - આનંદ આદિ ૧૦ શ્રાવકોના અધિકાર છે. અંતગડ - મોક્ષગામી જીવો પ્રધુમ્નાદિના અધિકાર છે. (૮) (૯) અનુત્તરોવવાઇ - આમાં ૩૩ જીવો કે જે અનુત્તર વિમાનમાં ગયા છે અને એકભવ કરી મોક્ષે સીધાવશે તેનાં વર્ણન છે. (૧૦) પ્રશ્ન વ્યાકરણ - આમાં આશ્રયદ્વાર અને સંવરદ્વાર સંબંધી વિવેચન છે. (૧૧) વિપાકસૂત્ર - દુ:ખવિપાક અને સુખવિપાકના વર્ણન સાથે તેના દ્રષ્ટાંત તરીકે ઘણાના અધિકાર આપેલા છે. બાર ઉપાગ ઉપરના ઉપરાંત બારમુ અંગ નામે દ્રષ્ટિવાદ છે. આ બારે અંગ (એટલે શરીર) કહેવાય છે, અને તેના ઉપાંગ એટલે તે અંગના હાથ, પગ, આંગળી આદિ બાર છે તે નીચે પ્રમાણે :(૧) ઉવવાઇ - આમાં કેટલાંક મહાન પુરૂષોના ચરિત્ર, કેવલ સમુદ્દાત અને મોક્ષનાં સુખ વગેરે બાબતોનું વર્ણન છે. આ આચારાંગનું ઉપાંગ છે. - (૨) રાયપસેણી - આ સુયગડાંગનું ઉપાંગ છે. આમાં શ્રી કેશી સ્વામીનો પરદેશી રાજાની સાથે થયેલ સંવાદ છે. (3) જીવાભિગમ - આ ઠાણાંગનું ઉપાંગ છે. આમાં અઢી દ્વીપ, ચોવીસ દંડક આદિનું વર્ણન છે. (૪) પ્રજ્ઞાપના (પન્નવણા) - આ સમવાયાંગનું ઉપાંગ છે. આમાં સર્વ લોકનું સ્વરૂપ વગેરે છે. (૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ( પન્નતિ) - આ સમવાયાંગનું ઉપાંગ છે. આમાં જંબુદ્વિપનું ક્ષેત્ર, પર્વત વગેરે વિસ્તારથી વર્ણન છે. (૬) ચંદ્ર પ્રજ્ઞપ્તિ - જ્ઞાતાજીનું પહેલું ઉપાંગ છે. આમાં ચંદ્રમાના વિમાન, ગતિ વગેરે અધિકાર છે. (૭) સૂર્ય પ્રજ્ઞપ્તિ - જ્ઞાતાજીનું બીજું ઉપાંગ છે. આમાં સૂર્યના વિમાન વગેરેનું વર્ણન છે. (૮) કપ્રિયા - નિરિયાવલિકા શ્રુતસ્કંધ-ઉપાસક દશાંગનું ઉપાંગ છે. આમાં કોણિક પુત્રથી શ્રેણિક રાજાનું મૃત્યુ વગેરે બાબત છે. (૯) કપ્પવડંસિયા - અંતગડ દશાનું ઉપાંગ છે. આમાં શ્રેણીક રાજાના દશ પુત્ર દિક્ષા લઇ દેવલોકમાં ગયા છે તેનો અધિકાર છે. (૧૦) પુષ્ટ્યિા - અનુત્તરોવવાઇનું ઉપાંગ છે. આમાં ચંદ્ર સૂર્ય વગેરેની પૂર્વ કરણીનો, સોમલ બ્રાહ્મણ અને શ્રી પાર્શ્વનાથ સ્વામીનો સ્વાંદ વગેરે અધિકાર છે. Page 41 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy