SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આચાર્યનમસ્કાર ધન્યપુરૂષોને ભવનો ક્ષય કરાવનાર થાય છે તથા હૃદયમાં અનુધ્યાન કરાતો તે ચિત્તની વિસ્ત્રોતસિકા ગમનનો નિવારનાર થાય છે. ૨. આચાર્યનમસ્કાર એ રીતે મહા અર્થવાળો માનેલો છે, કે જે મરણાવસર પ્રાપ્ત થયે છતે નિરન્તર અને વારંવાર કરાય છે. ૩.. આચાર્યનમસ્કાર એ સર્વ પાપનો પ્રણાશ કરનાર છે અને સર્વ મંગલોનું મૂળ છે. ૪..” આચાર્ય મહારાજના છત્રીસ ગુણો “पडिरुवाइ चउद्धस,खंती आई य दसविहो धम्मो, बारस य भावणाओ, सूरिगुणा हूंति छत्तीसं ||१||" ભાવાર્થ :- પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, યુગપ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી અર્થાત સર્વશાસ્ત્રના જાણકાર) ૩, મધુર વચનવાળા ૪, ગંભીર ૫, ધૈર્યવાન્ ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલું નહિ ભૂલનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાળા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચપલ ૧૩, અને પ્રશાંત હૃદયવાળા ૧૪ એ પ્રતિપાદિક ચૌદ ગુણ. (૧) ક્ષમા, (૨) આર્જવ, (3) માર્દવ, (૪) મુક્તિ , (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચન, (૧૦) બ્રહ્મચર્ય એ ક્ષમાદિક દસ પ્રકારનો યતિધર્મ, (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) અને ધર્મ-એ બાર ભાવના. એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ છે. બીજ પણ આચાર્ય મહારાજના છત્રીશ ગુણો (૧) પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયમાંથી, પોતાને અનુકૂળ હોય, તેના ઉપર રાગ ન કરે, અને પ્રતિકૂળ હોય તેના ઉપર દ્વેષ ન કરે. નવવિધ કૃમિ ધારણ કરનાર (૧) સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાને રહેનાર. (૨) સ્ત્રીની કથા, વાર્તા, સરાગે, પ્રીતિયુક્ત કરે નહિ. (૩) જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બ્રહ્મચારી પુરુષ બે ઘડી સુધી ન બેસે. પુરુષને આસને સ્ત્રી પણ ત્રણ પહોર ન બેસે. (૪) સ્ત્રીના અંગોપાંગ સરાગે નિરખે નહિ. (૫) ભીંત પ્રમુખને આંતરે સ્ત્રી, પુરુષ, બન્ને સૂતા હોય અથવા કામ વિષે વાતો કરતા હોય ત્યાં બેસી રહે નહિ. (૬) પૂર્વ અવસ્થામાં સ્ત્રી સાથે કરેલ કામક્રીડાનું સ્મરણ કરે નહિ. (૭) સરસ, સ્નિગ્ધ આહાર લે નહિ. (૮) નીરસ આહાર પણ અતિ માત્રામે વજન ઉપર લે નહિ. (૯) શરીરની શોભા વિભૂષા કરે નહિ. ચાર sષાચા ક્રોધાદિક ચાર કષાય, તે ચારિત્રના ઘાતક પરિણામવિશેષ જાણવા, તેનાથી મુક્ત થવું તે. પાંચ મહાવ્રતો Page 34 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy