________________
दिव्यो ध्वनिश्चामरमासनं च | भामण्डलं दुन्दुभिरातपत्रं
તવ્ર તિહાર્યુખિ નિવેશ્વરાળામ્ ।।”
આ ભાવાર્થવાળું પ્રાકૃત પધ નીચે મુજબ છે. "कंकिल्लि ? कुसुमवुट्टी २ देवज्झुणि ३ चामरा ४ डडसणाई ५ च । भावलयं ६ मेरि ७ छत्तं ८ जयंति जिणपाडि हेराई //”
આ પદ્યમાં અશોક વૃક્ષને બદલે ‘કંકિપ્લિ’ એવો દેશ્ય શબ્દ, સુરપુષ્પવૃષ્ટિને બદલે કુસુમવૃષ્ટિ, ભામંડળને બદલે ભાવલય, દુન્દુભિને બદલે ભેરિ અને આતપત્રને બદલે છત્ર એમ સમાનાર્થક શબ્દો પ્રાકૃતમાં આપેલા છે.
આ ઉપરથી જોઇ શકાશે કે- ઇન્દ્રધ્વજને પ્રાતિહાર્ય તરીકે અત્ર ગણાવેલ નથી; તેમ છતાં આવો એક ઉલ્લેખ પ્રાચીન ભારતવર્ષ (ભાગ બીજો)ના ૫૯મા પૃષ્ઠમાં છે. એટલે જ્યાં સુધી એના લેખક મહાશય કોઇ વિશિષ્ટ પ્રમાણ રજુ ન કરે ત્યાં સુધી એ તેમની સ્કૂલના છે એમ માન્યા વિના બીજો કોઇ માર્ગ જણાતો
નથી.
અત્ર એ ઉમેરવું આવશ્યક જણાય છે કે- ૩૪ અતિશયો પૈકી દેવકૃત ૧૯ અતિશયોમાં ઇન્દ્રધ્વજનો ઉલ્લેખ છે આ વાતનું શ્રી હેમચન્દ્રસૂરિકૃત વીતરાગસ્તોત્રના ચતુર્થ પ્રકાશનું નિમ્નલિખિત દ્વિતીય પધ સમર્થન કરે છે :
(૧૦) આ પધ પયવણસારુ દ્વારના ૪૯મા ધારની પહેલી ગાથારૂપે ત્યાં અપાયેલું છે. એનો ચાલુ ગાથાક ૪૪૦ નો છે. વિશેષમાં શ્રી પ્રધુમ્નસૂરિકૃત વિયારસાર (વિચારસાર) ની ૪૬૧મી ગાથામાં ૧૦૦મા પૃષ્ઠમાં આ પદ્ય કઇક ફેરફાર સાથે નીચે મુજબ ઉપલબ્ધ થાય છે.
“किंकिल्ली 9 कुसुमवुट्टी २ दिव्वझुणी ३ चामरा ४ डडसणाहं च ५ भामंडल ६ भेरि ७ छत्तं ૮ નયંતિ નિળપાડિહેરાર્ડ /&//
(૧૧) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિકૃત દેશીનામમાલા (૨,૧૨; ગા. ૪૦૪) માં અને દેશ્ય શબ્દ તરીકે નિર્દેશેલ છે. ‘òત્તિ' શબ્દ સુપાહનાહચરિય (ગા. ૧૪૦, ૫૯૨) માં તેમજ પ્રાકૃતદ્વયાશ્રયરૂપ કુમારપાલચરિત્રમાં પણ નજરે પડે છે. ‘ ન્નિ' એવો શબ્દ માણિકયચંદ દિગંબર જૈન ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલા અને ઉભયભાષા કવિચક્રવર્તી શ્રી હસ્તિમલ્લે રચેલા મૈથિલીકલ્યાણના ચોથા અકના પ્રારંભમાં પૃ. ૬૦-૬૧ માં નીચે મુજબના ઉલ્લેખમાં ઉપલબ્ધ થાય છે :
“णिरंतरुप्फुल्लरतकंकेल्लिकुसुमथवविब्भमो”
આજ કર્તાએ રચેલા વિક્રાન્તૌરવ નામના નાટકના ૨૮મા પૃષ્ઠમાં પણ ‘કંકેલિ’ શબ્દ નજરે પડે પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે.
છે.
“थव अस अणिविडकंकेल्लि आइ”
(૧૨) આના બે અર્થો પયવણસાર દ્વારની વૃત્તિની ૧૦૮મા પત્રમાં સૂચવાયા છે : (અ) બીજા બધા ધ્વજોની અપેક્ષાએ અતિમહત્ત્વનો હોવાથી ઇન્દ્રધ્વજ અને (આ) ઇન્દ્રપણું સૂચવનાર હોવાથી ઇન્દ્રધ્વજ.
(૧૩) આ રહ્યો એ ઉલ્લેખ :
“દેવરચિત જે આઠ પ્રાતિહાર્ય ઉત્પન્ન થાય છે તે આઠમાંનું એક પ્રાતિહાર્ય આ ઇંદ્રધ્વજ પણ છે. તેમજ જો ઇંદ્રધ્વજને બદલે બોધિવૃક્ષનું ચિન્હ પ્રાતિહાર્યોમાંનું એક લેખવામાં આવે છે.”
(૧૪) પ્રાચીન ભારતવર્ષ (ભાગ બીજો) ના ૫૯માં પૃષ્ઠમાં આઠ પ્રાતિહાર્યોનાં નામ ટિપ્પણમાં નીચે મુજબ નિર્દેશાયાં છે :
“૧. અશોક વૃક્ષ, ૨. ફૂલની વૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડળ, ૭.
Page 54 of 65