________________
शापप्रसादनिर्मक्ता स्तथापि शिवहेतवः । त्रिकोटिशुद्धशास्त्रार्थ-देशका: परमेश्वरा: ।।३।। ये पूज्या: सर्वदेवानां, ये ध्येया: सर्वयोगिनाम । ये चाज्ञाकारणाराध्या, निर्द्धन्द्धफलदायिनः ||४||
मिथ्यादर्शनास्येन, लोकेडनेन स्ववीर्यत: ।
દેવા: પ્રણાદ્રિતા મદ્ર ! ન જ્ઞાયને વિશેષત: ||ll” હે ભદ્ર ! આ મિથ્યાદર્શન નામના મહત્તમે પોતાના પરાક્રમથી આ લોકમાં ઘણો જ ભયંકર જુલમાં કર્યો છે. કારણ કે-તેણે જે મહાદેવો વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે. કિલષ્ટકરૂપ કલાઓથી રહિત છે, સઘળીય પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફ્ટ નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ એશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષ છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી શુદ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વ દેવોના પૂજ્ય છે, જે મહાદેવો સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવો આજ્ઞારૂપ કારણથીજ આરાધવા યોગ્ય છે તથા નિર્બદ્ધ ફ્લને એટલે મુક્તિ સુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના વીર્યથી એવી રીતિએ પ્રચ્છાદિત કરી નાખ્યા છે કે-જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.”
અધર્મને ધર્મ મનાવવાનું અને સધર્મને આચ્છાદિત કરવાનું સામર્થ્ય.
જે રીતિએ ‘મિથ્યાદર્શન' નામના મહામોહના મહત્તમમાં, જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવોનું સામર્થ્ય છે; તેજ રીતિએ તેનામાં અધર્મને ધર્મ મનાવવાનું અને શુદ્ધધર્મને આચ્છાદિત કરવાનું પ્રબળ સામર્થ્ય છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે
દિરથાન, મોઢાન, ઘરાદાનું મુહુર્મ | स्नानं पानं च धूमस्य, पझ्चाग्नितपनं तथा ।।१।।
तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम् । યતેરેojદે પિuડો, મીતવાઘ મહાર: શા
वापीकृपतडागादि-कारणंच विशेषत: । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहते: ।।३।। कियन्तो वा मणिध्यन्त, भूतमईनहेतवः | રહેતા: શુદ્વમાવેન, યે ઘર્મા વિદીશા: II૪TI
सर्वेडपि बलिनाडनेन, मुग्धलोके प्रपश्वत: ।
તે મિથ્યાદર્શનાવેન, મદ્ર ! ભયા પ્રવર્તિતા: IIII” કુદેવ, કુગુરૂ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરમ્ભ, પરિગ્રહ અને વિષયકષાયમાં રક્ત બનેલાઓને ગુરૂ તરીકે સ્વીકારી તેઓને પાત્રબુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું
Page 41 of 65