SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ फलमउलं कडुअरसं, तें चेव निसेवए जीवो || १२८ || को दुक्खं पाविज्जा ? कस्स व सुक्खेहिं विम्हओ हुज्जा ? હો વ ન લમિન મુ ં ? રામોસા નફ ન હુબ્બા || 2o ||” અને મોક્ષના અભિલાષને આસક્ત-રાગી થાય છે તે “આ જીવ સમ્યક્ત્વને પામતો નથી, સમ્યક્ત્વ પામવા છતાં પણ જે સંવેગને સંસારથી ઉદાસીનભાવ પામતો નથી અને માત્ર શબ્દાદિ પાંચે ઇન્દ્રિયોના વિષય સુખોમાં જ આ રાગ-દ્વેષનો જ દોષ છે.” તેથી ઘણા ગુણોનો નાશ કરનાર, સમ્યગ્દર્શન-સમ્યચારિત્ર આદિ મૂળ ગુણ તથા પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોનો પણ નાશ કરનાર એવા રાગ-દ્વેષ રૂપ જે પાપ તેને વશ નહિ થવું જોઇએ. જેવો અનર્થ અનિગૃહીત-નહિ રોકેલા રાગ અને દ્વેષ કરે છે તેવો અનર્થ, સારી રીતના હેરાન-પરેશાન કરેલો અને પાછો સમર્થ એવો શત્રુ પણ કરતો નથી. આ લોકમાં શરીર-મન સંબંધી કલેશો, અપયશ અને જ્ઞાનાદિગુણોનો વિનાશ કરે છે અને પરલોકમાં પણ શરીર-મન સંબંધી અનેક દુઃખોને આપનારા આ રાગ-દ્વેષ છે. અહો મહા આશ્ચર્યની વાત છ કે- આ અકાર્ય છે, આ રાગ-દ્વેષ મહા અનર્થકારી છે. તેના વિપાક-ફ્લ ઘણાં અને અતિ કડવા છે એમ પણ જાણતો એવો જીવ વારંવાર તે બેને જ સેવે છે માટે તેવા જીવને ધિક્કાર હો, ધિક્કાર હો. જો રાગ અને દ્વેષ જ ન હોત તો કોણ દુઃખ પામત ? કોણ સુખમાં વિસ્મય પામત ? અને કોણ મોક્ષન ન પામત ? - ‘ રબ્બન રા’ - રંજિત થવું તે રાગ છે. ઇચ્છાદિ પર્યાયો વડે આત્મા રંજિત થાય છે તે બધા રાગના જ પર્યાયવાચી નામો છે. વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજે શ્રી પ્રશમરતિમાં પણ કહ્યું છે કે “इच्छा मूर्च्छा काम: स्नेहो गार्ध्यं ममत्वमडभिनन्दः | મિલાપ કૃત્યનેતિ રામપર્યાયવવનાનિ || ૭૮ ||” વિચારીએ તો વિશિષ્ટ અર્થમાં માયા અને લોભની મુખ્યતાવાળી તથા માનની પણ દશાવાળી વૃત્તિઓથી આત્માને જે જે વસ્તુ કે વ્યક્તિ વિશેષ પ્રત્યે જે મનોજ્ઞભાવ-પ્રેમભાવ ઉત્પન્ન થાય છે તે રાગ કહેવાય છે.‘ ëતે નવ ાનેન કૃતિ રાઃ / કૃતિ ત્લા // મહામહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજાએ આ અંગે શ્રી દ્રાવ્યલોકપ્રકાશમાં કષાય દ્વારના નિરૂપણમાં કહ્યું છે કે “क्रोधोडप्रीत्यात्मको मानोडन्येर्ष्यास्वोत्कर्षलक्षण: । मायाडन्यवझ्चनारुपा, लोभस्तृष्णाभिगृध्नुता || ४१० || चत्वारोऽन्तर्भवन्त्येते, उभयोर्देषरागयोः । आदिमौ द्वौ भवेद् द्वेषो, रागः स्यादन्तिमौ च तौ || ४११ || स्वपक्षपातरुपत्वान्मानोऽपि राग एव यत् I તતસ્ત્રયાત્મણે રાનો, દ્વેષ: મેઘસ્તુ વેવલમ્ || ૪૭૨ ||” રાગની કારમી અવસ્થાનો અનુભવ કરનાર જીવ રાગને દૂર કરવા ઇચ્છે તે સહજ છે. બોલવા માત્રથી રાગ દૂર થઇ જાય એવું નથી. ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલા જીવને પણ પાડનાર હોય તો સૂક્ષ્મ Page 37 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy