SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામવાળો બનવો જોઇએ, એની પણ તમને કલ્પના આવી શકશે. આ ગ્રન્થિને ક્રમ ગ્રન્થિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ, એ જ કર્મગ્રન્થિ છે. જીવનું જે મોહનીય કર્મ, તે કર્મથી જનિત અવો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ હોય છે. આત્માના એ ગાઢ રાગ-દ્વેષના પરિણામને, જ્ઞાનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે, દર્શનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે અને અન્તરાય કર્મની સહાય પણ મળેલી હોય છે. મોહનીય નામના એક ઘાતી કર્મમાંથી જન્મેલો અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મ એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સહાયને મેળવી ચૂકેલો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ, અત્યન્ત દુર્ભેધ હોય છે. ગ્રન્થિ એટલે ગાંઠ. જેમ રાયણ આદિ વૃક્ષોની ગાંઠ ખૂબ જ કર્કશ, ગાઢ, રૂઢ અને મૂઢ હોય અને એ કારણે એ ગાંઠને લાકડાં ચીરનારાઓ પણ મહા મુશીબત ચીરી શકે છે, તેમ ગાઢ રાગ-દ્વેષના પરિણામ રૂપી કર્મભનિત એ જે ગાંઠ છે, તે કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હોઇને, જીવથી મહા મુશ્કેલીએ ભેદી શકાય એવી હોય છે. ગાંઠને ચીરવા જેવો વ્યાપાર સામાન્ય રીતિએ લાકડાં ચીરવાનો ધંધો કરનારાઓ પણ જ્યાં સુધી ગાંઠ આવે ત્યાં સુધી તો લાડાને ચીર્યા કરે છે, પણ ગાંઠ આવે એટલે એ લાકડાને ચીરવાનું બંધ કરી દે છે. કેટલાકો ગાંઠને ચીરવાનો પ્રયાસ આદરે છે અને ગાંઠ ઉપર કુહાડા માર માર કરે છે, પણ કુહાડાના ઘા જોરદાર નહિ મારી શકાવાથી કુહાડો ગાંઠ સાથે અથડાઇ અથડાઇને જ્યારે પાછો પડ્યા કરે છે, ત્યારે કંટાળીને એ ગાંઠને ચીરવાનું કામ તેઓ છોડી દે છે. એમાં, એવા પણ ચીરનારાઓ હોય છે કે-પોતાના કુહાડાની ધારને અતિશય તીક્ષ્ણ બનાવી દઇને, ગાંઠ ઉપર તેઓ કુહાડાના એવા તો જોરદાર ઘા કરવા માંડે, કે જેવા જોરથી તેમણે કોઇ લાકડા ઉપર કુહાડાનો ઘા કર્યો હોય નહિ; અને, એમના એ જોરદાર ઘાથી ગાંઠ ચીરાઇ જાય પણ ખરી. કર્મગ્રન્થિને ભેદવાની બાબતમાં, લગભગ એવું જ બને છે. કર્મગ્રન્થિના દેશે પહોંચેલા. આત્માઓમાં, કેટલાક આત્માઓ ત્યાં જ અટકી જાય છે અને છેવટ પાછા પડે છે. પાછા પડીને પણ પાછા તેઓ કર્મગ્રન્થિના દેશે આવે અને ગ્રન્થિદેશે આવીને કર્મગ્રન્થિને ભેદવાનો પુરૂષાર્થ કરે, એવા આત્માઓ પણ એમાં હોય છે. જ્યારે કેટલાક આત્માઓ એવા પણ હોય છે કે-જેઓ કર્મગ્રન્થિના દેશે આવીને, અનુકૂળતા પ્રાપ્ત થઇ જતાં એવા પુરુષાર્થશીલ બની જાય છે કે-તેઓ, કર્મગ્રન્થિને ભેદ્યા વિના અને કર્મગ્રન્થિને ભેદીને પણ પોતાના સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કર્યા વિના જંપતા જ નથી. ર્મગ્રન્થિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે. આ કર્મગ્રન્થિ, જીવ માત્રને અનાદિકાલની હોય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ઘણે અંશે ઘટી જવાથી કર્મગ્રન્થિ ઉત્પન્ન થવા પામતી નથી, પણ પ્રગટ થવા પામે છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની અથવા તો એથી અધિક હોય છે, ત્યાં સુધી તો એ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની. શકતો નથી. એટલી બધી એ ગૂઢ હોય છે. જ્યારે જીવનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્માની સ્થિતિ ખપતે ખપતે એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ રહે છે અને એ એક કોટાકોટિ સાગરોપમમાંથી પણ એ સાત કર્મોની સ્થિતિ જ્યારે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેલી, બધા જ જીવો, Page 100 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy