SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેનાથી પેદા થાય છે. આથી આવા સંસ્કારોનું પોષણ કરતાં જાય છે એટલે કર્મબંધ પણ વિશેષ થતો જાય છે. એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમનો બંધ કરે છે ત્યારે આ જીવો એનાથી પચાસ ગણો અધિક એટલે પચાસ સાગરોપમ મોહનીય કર્મનો બંધ કર્યા કરે છે. આથી આ જીવોને આહાર સંજ્ઞા આદિ ચારે સંજ્ઞાઓ સતેજ જોરદાર થતાં મમત્વબુધ્ધિ પણ જોરદાર હોય છે. પુણ્યોદયથી ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય અને તેનો ઉપયોગ જેમ જેમ કરતો જાય તેમ તેમ કર્મબંધ વિશેષ કરીને તે ઇન્દ્રિયને દુર્લભ બનાવતો જાય છે. આ તેઇન્દ્રિયપણાના સ્વભાવને લઇને આવેલું પંચેન્દ્રિયપણું પામેલા કેટલાય જીવોમાં આ સ્વભાવ જોવા મળે છે કે ગમે તેટલા સારા રસાસ્વાદવાળા આહારના પુદ્ગલો-પદાર્થો આપવામાં આવે તો પણ તે જીવો ખાતા પહેલા તે પદાર્થોને હાથમાં લઇને નાકથી સુંઘશે. પોતાને ગંધ સારી લાગશે તોજ ખાશે નહિ તો મને ભૂખ નથી આજે ઠીક નથી ઇત્યાદિ બહાના કાઢી માયામૃષાવાદ નામનાં પાપનું આચરણ કરીને ભૂખ્યો રહી બહાર ગમે ત્યાં પોતાને મન ગમતું ભોજન ખાઈ લેશે. આ સ્વભાવવાળા જીવો મોટા ભાગે તે ઇન્દ્રિય પણામાંથી આવેલા હોય છે અને પ્રાયઃ કરીને ત્યાં ઉત્પન્ન થવાવાળા હોય છે. એમ જ્ઞાની ભગવંતો કહે છે. આઠ સ્પર્શ અને પાંચ રસ એમ તેર વિષયોમાં સુગંધ અને દુર્ગધના સ્વભાવના કારણે સારા નરસા પણાની વિશેષ ઓળખ કરતો પોતાનો સંસાર વધારતો જાય છે. આજના વૈજ્ઞાનિકોએ પણ તેઇન્દ્રિય જીવો એટલે કીડીઓ કેવી કેવી હોય છે અને ક્યા સંસ્કારથી પોતાનું જીવન જીવતી હોય છે તે પણ બહાર પાડેલ છે તેની કેટલી જાતો જગતમાં હોય છે તે જેટલી તેઓએ જાઈ એટલી લખેલ છે તે આ પ્રમાણે જાણવું. એડવર્ડ વિલ્સન લખે છેકે કીડીઓની આઠ હજાર આઠસો જાતો જગતમાં છે અને જેની એક કરોડ અબજ જેટલી વસ્તી રહેલી છે. આફ્રીકા-અગ્નિ એશિયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયાના ઘટાટોપ જંગલોમાં વૃક્ષોની ઘટામાં વસાહત ઉભી કરનારી કીડીઓની એક જાતને વણકર કીડી કહેવાય છે. તેના લાર્વા દ્વારા ઉત્પન્ન રેશમના સુંદર તાંતણા દ્વારા આ કીડીઓ સેંકડો અને હજારો પાંદડાઓ અને ડાળીઓને બાંધી આકાશી વસાહત રચે છે. કીડીઓની વસાહત તો એક કિલ્લો હોય છે. તેમાં કીડીઓ રૂપે સૈનિકો હોય છે. કીડીઓ રૂપે બાંધકામના કારીગરો હોય છે. પરિચારિકાઓ હોય છે અને અન્ય તજજ્ઞો (તે બાબતના જાણકારી હોય છે તે બધાનું એક જ ધ્યેય હોય છે કે કીડીઓને ઉત્પન્ન કરનારી રાણીને બચાવવી અને પ્રજનન કરાવતી રાખવી જેથી કીડીઓની નવી નવી વસાહતો બનતી રહે. દુનિયામાં કીડીનું શું મહત્વ છે? જમીનથી તેની ભાગ્યેજ ૦.૦૪ ઇંચ ઉંચાઈ હોય છે. આ વાત વૈજ્ઞાનિકે જાયેલી લખાય છે. જૈન શાસન તો ત્રણ ગાઉ ઉંચાઇના શરીરવાળી વધારેમાં વધારે હોય એમ માને છે. એક માણસના વજનના દશ લાખમા ભાગથી પણ તેનું વજન ઓછું છે. (હોય છે) કીડી એકલી નથી હોતી કીડીઓતો અસંખ્ય છે. તેની ૮૮૦૦ તો જાતો છે. ધ્રુવ પ્રદેશ સિવાય પૃથ્વીની જમીન પર સર્વત્ર તે પથરાયેલી છે તેની વસ્તી એક કરોડ અબજ છે. આ બધી કીડીઓનું ભેગા મળીને વજન કરવામાં આવે તો બે અબજ પાઉન્ડથી પણ વધારે થાય છે. કીડીઓ અને ઉધઈ મળીને આખી પૃથ્વીની સપાટી પરની માટીને ઉથલાવે છે. આમ તેને હવાના સંપર્કમાં લાવે છે તેને ફળદ્રુપ બનાવે છે. આ ઉપરાંત અનેક વનસ્પતિઓનાં બીજને દુર દુર Page 72 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy