________________
દ્રઢ કરશું તો પાછા ત્યાં જવું પડે તેવો કર્મબંધ થયા કરશે એમ જ્ઞાનીઓ કહે છે માટે ચેતવાનું છે. આ એકઇન્દ્રિય અધિક મલી તેનું ફળ જ્ઞાનીઓએ કહ્યું તે લખ્યું છે.
આ જીવો એક સાથે ઉત્પન્ન થાય તો એક બે સંખ્યાતા કે અસંખ્યાતા એક સાથે ઉત્પન્ન થાય છે અને એક સાથે એક બે સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે.
આ જીવોનું ઉત્પત્તિ સ્થાન :- અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોમાં જ્યાં જ્યાં પાણી હોય છે તે પાણીમાં માટીનો સંયોગ થાય ત્યાં અને પંચેન્દ્રિય તિર્યંચોના એંઠા આહારમાં ઉત્પન્ન થયા કરે તેમજ દ્વીપોને વિષે મનુષ્યોના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થો જો અડતાલીશ મિનિટથી અધિક કાળ સુધી એવાને એવા પડ્યા રહ્યા હોય તેમાં આ જીવો ઉત્પન્ન થાય છે. એઠા વાસણોમાં, એંઠા પાણીના ગ્લાસમાં, પાણીના માટલા જ્યાં મુકેલા હોય ત્યાં, એંઠું પાણી ઢોળાયેલું હોય તેમાં, માટલામાં એઠા ગ્લાસ નાખેલા હોય તો તેમાં, એંઠા વાસણો ચોકડીમાં અડતાલીશ મિનિટથી અધિક કાળ રાખવામાં આવ્યા હોય તેમાં, મેલા લૂગડા ધોવા માટે પલાળી રાખ્યા હોય તેમાં તેમજ વાસી રસોઇમાં થયેલા- રોટલી, રોટલા વગેરે એક રાત રાખ્યા પછી પોચા થાયખાવામાં આનંદ આવે છે પણ તેમાં આ બેઇન્દ્રિય જીવો અસંખ્યાતા પેદા થયેલા હોય છે. મૈથુનની ક્રિયામાં અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો પેદા થતા હોય છે તથા દ્વિદળમાં એટલે કાચા દહીં, છાશ અને દૂધ ગરમ કર્યા વગરના હોય તે કાચા કહેવાય છે. તેની સાથે કઠોળ અને કોઇપણ પ્રકારની દાળ તેની સાથે ખાવામાં આવે તો તેમાં આ બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થયા જ કરે છે. આ વાત કેટલાક માનતા નથી પણ તેમાં માન્યા વગર છૂટકો પણ થતો નથી. એકવાર કોઇ મહાત્માએ આ વાત વ્યાખ્યાનમાં કરી તેમાં કોઈ નહિ માનનાર જીવ આવેલો તેને ખાનગી મહારાજ પાસે આવીને વાત કરી પછી મહારાજ અને તે ભાઇ કોલેજમાં લેબોરેટરીમાં ગયા અને ત્યાં તે ભાઇ કાચી છાશ અને સાથે રાંધેલા મગ લઇને આવેલો તે વખતે માઇક્રોસ્કોપ કાચ હાથમાં રાખી આંખેથી જોવા માટે રાખીને એક નાના કાચ ઉપર બે ત્રણ મગના દાણા મૂક્યા અને એક ટીપું છાશ નાંખો અને માઇક્રોસ્કોપ કાચથી જોયું તો ક્ષણવારમાં હલતા ચાલતા જીવો દેખ્યા તે જોતાની સાથે જ પેલા ભાઇએ કહ્યું મહારાજ આજે ખબર પડી બાકી અત્યાર સુધી તો આવા કાચે કાચા જીવો ચાવીને ઘણી વાર ખાધા છે. હવે જંદગીમાં કોઈ દિ નહિ ખાવું એમ નિયમ કર્યો માટે આ બધી બાબતનો પ્રેક્ટીકલ ઇલાજ વારંવાર ન કરાય કારણકે જીવોની ઉત્પત્તિ થાય અને તેની હિંસા થાય તેનો દોષ લાગે છે જ્ઞાનીઓએ આ વાત પોતાના જ્ઞાનથી અનાદિકાળથી જોયેલી છે માટે શ્રધ્ધા રાખી માન્ય કરતાં શીખવું જોઇએ તોજ કલ્યાણ થશે. એવી જ રીતે ખીચડીની સાથે કાચી છાશનો ઉપયોગ ન થાય. ચણાના લોટનો ઉપયોગ પણ ન થાય અને શીખંડની સાથે ચણાના લોટવાળી કઢી ન ચાલે અને કોઇ કઠોળ કોઈ દાળ કે કોઈ ગોટા ભજીયા વગેરે ન ચાલે તેનો ખાસ ઉપયોગ રાખવો જોઇએ. આ જીવોની ઉત્પત્તિ જોત જોતામાં જલ્દી એટલી થાય છે કે સંખ્યાત-અસંખ્યાતા પેદા થઇ જાય છે.
મોટાભાગના તિચ્છલોકમાં ઉત્પન્ન થાય છે. આધોલોકમાં કુબડી વિજયમાં રહેલા મનુષ્યો આદિના અશુચિ પદાર્થોમાં તથા હજાર યોજન ઉંડા જળાશયોમાં રહેલા તિર્યંચોના મળમૂત્ર આદિમાં, પાણીમાં પેદા થાય અને ઉર્ધ્વલોકમાં પાંડકવન સુધી આ જીવો ઉત્પન્ન થઈ શકે છે. દેવલોકમાં રહેલી વાવડીઓના પાણીમાં આ
Page 69 of 234