SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એક ચોખાના દાણા જેટલી જગ્યામાં જેટલા તેઉકાયના જીવો રહેલા હોય તે દરેકનું શરીર ખસખસ ના દાણા જેટલું કરવામાં આવે અને જંબુદ્વીપમાં મુકીએ તો એકલાખ યોજનવાળો જંબુદ્વીપ પણ નાનો પડે. એક તણખાના નાનામાં નાના કણીયામાં તેઉકાય જીવોના અસંખ્યાતા શરીરો હોય છે એક એક શ૨ી૨માં એક એક બાદર પર્યાપ્તા તેઉકાય જીવ હોય છે અને તેજ અવગાહનાની સાથે ને સાથે જ બાદ૨ અપર્યાપ્તા તેઉકાય જીવો સદા માટે અસંખ્યાતા અસંખ્યાતા તે અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશના જેટલા રહેલા હોય છે માટે તે જીવો સાતે નારકીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે માટે શક્ય હોય તો આ જીવોના ઉપયોગ વગર જીવન જીવતા બનવું જોઇએ. ન જ થઇ શકે તો જેમ બને તેમ તેનો ઉપયોગ જેટલો ઓછો થાય એવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ તોજ હિંસાના પાપથી બચી અહિંસાના પરિણામના સંસ્કારો દ્રઢ કરી શકાય એ પ્રયત્ન કરતા કરતા નિરાબાધ જે મોક્ષ સુખ તેની પ્રાપ્તિ કરી શકાય. આખો સંસાર જે ચાલે છે તે અગ્નિકાય અને અકાય ઉપર ચાલે છે એની હિંસા સંસારમાં રહેલા જીવને થવાની જ એના વિના સંસારમાં જીવવું શક્ય જ નથી માટે અભયકુમારે નગરના બધા માણસોને ભેગા કરીને પૂછ્યું હતું કે આ ત્રણ સોના મહોરોના ઢગલા જે છે તે એક એક લાખ સોનામહોરોના છે તે એને જ આપવના છે કે જે જીવનભર કાચાપાણીનો ત્યાગ કરે, અગ્નિનો ત્યાગ કરે અને સ્ત્રીનો ત્યાગ કરે. આખા ટોળામાંથી કોઇપણ તૈયાર થયા નહિ ત્યારે સંયમનો સ્વીકા૨ ક૨ના૨ કઠીયારાએ આ ત્રણે ચીજનો ત્યાગ કરેલ છે એમ જણાવી અભયકુમારે લોકોમાં તેના પ્રત્યે અહોભાવ જગાડ્યો આથી લક્ષ્ય રાખીને જેમ બને તેમ અગ્નિકાયના ઓછા ઉપયોગથી જીવાય તેવો પ્રયત્ન કરવો ખાસ જરૂરી છે માટે જ્ઞાની ભગવંતોએ સૂક્ષ્મ બુધ્ધિથી આ જીવોને જાણવા યોગ્ય કહેલા છે. શ્રી સુયગડાંગ સૂત્રમાં અગ્નિકાયની વિરાધનામાં છએ કાયની વિરાધના થાય છે એવો ઉલ્લેખ આવે છે. આ જીવોની યોનિ સાત લાખ હોય છે. तथा तेजस्कायस्य सप्त योनिलक्षाः त्रयः कुलकोटि लक्षाः पूर्ववदे दनादिकं, ૩- ‘તેજસ્કાય’ જીવની યોનિ સાત લાખ છે, કુલકોટિ ત્રણ લાખ છે અને તેજસ્કાય જીવોને પણ વેદના વિગેરે ‘પૃથિવીકાય’ અને ‘અકાય’ ના જીવોની માફક હોય છે. ‘તેજસ્કાય’ ના ત્રાસના પ્રકારો ‘અકાય’ ના ઉપદ્રવોનું વર્ણન કર્યા પછી ‘તેજસ્કાય’ જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કરતાં એજ આરાધ્યપાદ આચાર્ય ભગવાન્ ફ૨માવે છે કે "तेजस्कायत्वमाप्ताश्व, विध्याप्यन्ते जलादिभिः / घनादिभिः प्रफुटयन्ते, ज्वाल्यन्ते चेन्धनादिभिः //9// Page 34 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy