________________
આત્મા એ ભાવુક દ્રવ્ય છે ! :
ફલાણા વિષય કેમ સેવે, એની કાળજી સમ્મદ્રષ્ટિ રાખે કે કેમ છૂટે એની કાળજી રાખે ? વિષયમાં પડેલા પણ સમ્યગુદ્રષ્ટી હોય, તે ઇતર વિષયથી બચે એમાં સહાયક થાય કે ઇતરને વિષયમાં હોમવામાં સહાયક થાય ? કોઈ વિષયને તજવા તૈયાર થાય ત્યારે-તમે વિષયો અનુભવ્યા છે કે નહિ ? -એમ સમ્યદ્રષ્ટિ પૂછે ? અગ્નિની આગળ મીણનો ગોળો મૂકવો, એ મીણના ગોળાનો નાશ કરવા જેવું છે. આજના કહેવાતા સુધારકો અને પોતાને સમ્યગુદ્રષ્ટિ તરીકે ઓળખાવનારાઓ મીણના ગોળાને ગોળા તરીકે રાખવા માટે અગ્નિ આગળ મકી અ એવા છે. મીણનો ગોળો ગમે તેવો મજબૂત, પણ અગ્નિ આગળ તો ઢીલો જ. શાસ્ત્રો આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. વજાદિક કેટલાંક દ્રવ્ય અભાવુક છે, જેમાં કાણું ન પડે, પરિવર્તન ન થાય, પણ આત્મા એ તો ભાવક દ્રવ્ય છે. પરીક્ષા થાય, પણ ક્યી રીતે ? :
શ્રી તીર્થંકરદેવ જેવા પણ નિયમા ઘર તજે ત્યારે કેવલજ્ઞાન થાય. એમના જેવાને ઘર તજવું પડે. અટવીઓ લંઘવી પડે. ઉપસર્ગ સહેવા પડે. તપ કરવા પડે ત્યારે કેવલજ્ઞાન થાય અને તમને -અમને એમ ને એમ જ થાય એમ ? જ્ઞાની કહે છે કે-કોઇ અપવાદને બાદ કરીએ તો સંયોગને આધીન થયા વગર આત્મા પ્રાયઃ રહે નહિ. માટે યાદ રાખો કે-અંકુશ વગર કોઇને ન ચાલે. મુનિઓ માટે પણ કેટલા અંકુશ છે ? શ્રી વીતરાગ જેવા ચારિત્રાવાળા પણ પડતા વાર ન લાગે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના ઘરમાં નજ મૂકાય. વિરાગીને એક સેકંડ પણ વિષયમાં રહેવાની સલાહ સમ્મદ્રષ્ટિ આત્મા ન આપે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના સંયોગમાં એક સેકંડ પણ રહેવાનું કહેવું, એને સમ્યદ્રષ્ટિ ઇષ્ટ ન માને, તો પછી સમ્યગુદ્રષ્ટિઓના સમુદાયનો એવો કાયદો તો કેમ જ હોય ? અને એવો કાયદો થાય ત્યાં સમ્યકત્વ કેમ રહે ? ઘણાઓ કહે છે કે- “આટલામાં શું ?' હું કહું છું કે-કુવાના કીનારેથી જરા પગ ખસે તો શું થાય ? આથી વિરાગીની પરીક્ષાનો નિષેધ નથી, એની પરીક્ષા જરૂર થાય, પણ સુસંયોગમાં રાખીને ! એવા સારા સંયોગમાં જોડીને થાય ! એની ભાવના ચઢે એવી કાળજી રાખવી જોઈએ પણ એને વિષયના સંસર્ગમાં મૂકવાની ભાવના તો નજ હોવી જોઇએ. છતી સાહાબીએ ત્યાગી કેમ ? :
સમદ્રષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઇએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાદ્રષ્ટિપણું છે. જાણે ખરો અને અવસરે પણ કહે નહિ એ જાણપણું મોહના ઘરનું છે. શાસ્ત્ર કહ્યું કે-મિથ્યાદ્રષ્ટિનો સુંદર પરિણામ પણ અસુંદર છે અને મિથ્યાદ્રષ્ટિની ક્ષમા, શાંતિ તથા સમતા એ પણ મોહની મૂચ્છ છે સમ્યગુદ્રષ્ટિ છે કે જે વર્તમાન સમયના તુચ્છ સુખની ખાતર ભવિષ્યનું હિત તોડવા ન ઇચ્છે. છતી સાહ્યબીએ દીક્ષા લેવી એટલે વિદ્યમાન હાથીઘોડા અને પાટહવેલી છોડીને ભિક્ષા માગવા નીકળવાનું છે, વસ્તી પણ માગી મળે, કોઇ આપે તો રહેવાય અને ન આપે તો ન રહેવાય. છ ખંડના માલિકો છ ખંડની સાહ્યબી
Page 228 of 234