SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કરે, પણ ધર્મિઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો પણ ગુણના પૂજારી બનો દેવમાં વીતરાગતા, ગુરૂમાં નિગ્રંથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં ત્રણ ગુણ હોય, તો તે પૂજય અને એ ત્રણ ન હોય, તો કહો કે-એ અમારા નહિ. આ બધું ત્યારે જ બને કે-જયારે વિવેકના અભાવરૂપ જે અંધતા તેનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઇ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જોવાની છે અને તે હવે પછી જિનપ્રવચન એટલે શું ? : સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે-અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યો ગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડે છે. આ કહેવાનો આશય પણ એ જ છે કે- “કોઇ પણ રીતિએ સંસારવર્તિ પ્રાણીઓ ને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઇથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વિગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે- “ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર પચી જાય, તો આત્માને હે જે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એકે એક આજ્ઞા રૂચે. એ શિવાય તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા રૂચવી એ કઠીન છે. “દેવ અને મનુ ષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુ:ખ રૂપ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયો ગજન્ય છે, માટે એમાં લે પાવું જ જોઈએ.' –એવી બુદ્ધિ થાય તો જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે જેના યોગે આત્મા દુનિયાના પદાર્થો ની આરાધના અને આસક્તિથી પાછો વળે. ભોગવે પણ આધીન ન બને : કર્મને યો ગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સંયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય ક્યાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે. તો ફરજ કયી ? સમ્યગુદ્રષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ન ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓ ના કથનથી સમજીએ છીએ, છતાં કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન. સમ્યદ્રષ્ટિ પર કંઇ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને Page 226 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy