________________
કરે, પણ ધર્મિઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો પણ ગુણના પૂજારી બનો દેવમાં વીતરાગતા, ગુરૂમાં નિગ્રંથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં ત્રણ ગુણ હોય, તો તે પૂજય અને એ ત્રણ ન હોય, તો કહો કે-એ અમારા નહિ.
આ બધું ત્યારે જ બને કે-જયારે વિવેકના અભાવરૂપ જે અંધતા તેનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઇ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જોવાની છે અને તે હવે
પછી
જિનપ્રવચન એટલે શું ? :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે-અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યો ગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડે છે. આ કહેવાનો આશય પણ એ જ છે કે- “કોઇ પણ રીતિએ સંસારવર્તિ પ્રાણીઓ ને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઇથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વિગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે- “ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર પચી જાય, તો આત્માને હે જે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એકે એક આજ્ઞા રૂચે. એ શિવાય તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા રૂચવી એ કઠીન છે. “દેવ અને મનુ ષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુ:ખ રૂપ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયો ગજન્ય છે, માટે એમાં લે પાવું જ જોઈએ.' –એવી બુદ્ધિ થાય તો જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે જેના યોગે આત્મા દુનિયાના પદાર્થો ની આરાધના અને આસક્તિથી પાછો વળે. ભોગવે પણ આધીન ન બને :
કર્મને યો ગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સંયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય ક્યાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે. તો ફરજ કયી ? સમ્યગુદ્રષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ન ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓ ના કથનથી સમજીએ છીએ, છતાં કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન. સમ્યદ્રષ્ટિ પર કંઇ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને
Page 226 of 234