________________
ણ બે પ્રકાર છે : “૧-પ્રત્યેક અને ર-સાધારણ .’ જેમ વનસ્પતિકાયના મૂખ્યતયા બે પ્રકાર છે તેમ પંચેદ્રિય-તિર્યંચોના પણ મૂખ્યતયા-'૧-જલચર, ૨-ખેચર અને ૩સ્થલચર.” આ ત્રણ પ્રકાર છે. તેમાં સ્થલચર' પણ “૧-ચતુષ્પદ, ૨-ઉર:પરિસર્પ, ૩-ભુજ પરિસર્પ.' આ ત્રણ પ્રકારના છે. આ સઘળાય પ્રકારના તિર્યંચોની યોનિ, કુલકોટિ અને વેદનાના સ્વરૂપનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે
"तिर्यग्गतौ पृथिवीकायजन्तूनां सम योनिलक्षा द्वादश कुलकोटिलक्षा: स्वकायपरकायशस्त्राणि शीतोष्णादिका वेदना?" તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા પૈકીના -
(૧) “પૃથિવીકાય” ના જતુઓની યોનિ સાત લાખ છે,
કુલકોટિ બાર લાખ છે, પૃથિવીકાય જીવોને નાશ કરનારાં શસ્ત્રો બે પ્રકારનાં હોય છે એક સ્વકાયશસ્ત્રો અને બીજા પરકાય શસ્ત્રો : અર્થાત્ એ જીવોનો નાશ અકાય આદિ અન્યથી થાય છે તેમ પૃથિવીકાયથી પણ થાય છે અને શીત તથા ઉષ્ણ આદિ વેદનાઓ પણ પૃથિવીકાયના જીવોને અનેક પ્રકારની હોય છે.
(૧) સ્થાવર જીવો : “સ્થાવર નામકર્મ” ના ઉદયથી ગમનાગમન કરવા માટે સર્વથા અશક્ત છે : એ જીવો અનંતજ્ઞાનીઓ શિવાય કોઇને પણ પ્રત્યક્ષ નથી : જે આત્માઓ અનંતજ્ઞાની પરમ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માના શાસનને પામેલા છે તેજ આત્માઓ એ જીવો ની શ્રદ્ધા કરી શકે છે : અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માના શાસનથી પર રહેલા આત્માઓ, ગમે તેવા ડાહ્યા ગણાવા છતાં પણ એ જીવોની રક્ષા કરવાનું નથી સમજી શક્યા, કારણ કે-ન હાલી-ચાલી શકે તેવા પણ જીવો છે એ વાત જ તેઓ અજ્ઞાનના યોગે નથી જાણી શકતા અને મિથ્યાત્વના ઉદયથી નથી માની શકતા. બલિહારી છે એ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોની કે-જે વિશ્વહિતૈષીઓ એ “એવા પણ જીવો છે' એમ સમજાવીને અહિંસાનો
મ અને અજોડ રાજમાર્ગ ઉઘાડો કર્યો છે : એ રાજમાર્ગે તે જ આત્માઓ ચાલી શકે છે કે જે આત્માઓ, એ પરમાત્માઓની આજ્ઞા મુજબના સંયમના અને તપના ઉપાસક બને છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ અહિંસા, સંયમ અને તપ એ મોક્ષમાર્ગના આરાધકોજ સારી રીતિએ સમજી શકે છે અને યથાર્થ રીતિએ આચરી શકે છે. સંપૂર્ણ અહિંસાના ઉપાસક થવાને ઇચ્છતા આત્માઓ, સંપૂર્ણ અહિંસાનું યથાર્થ પાલન કરી શકે તે માટે એ અનંત ઉપકારી પરમાત્માએ સ્થાવર જીવો કેટલા પ્રકારના અને કેવી રીતિએ રહ્યા છે એ વિગેરે ઘણી જ ઝીણવટ પૂર્વક સમજાવ્યું છે.
સ્થાવર જીવોના મુખ્ય પ્રકાર પાંચ છે. (૧) પહેલો- પૃથિવીકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં સ્ફટિક રત્ન, મણિ, રત્ન, વિદ્રમ આદિ અને કનો સમાવેશ થાય છે.
Page 14 of 234