________________
નરકમાં જવુંજ પડે છે. ઘોર પાપકર્મોના પ્રતાપે નરકમાં પડેલા આત્માઓની દુર્દશા કેવા પ્રકારની થાય છે એનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે તે હવે પછી
નીચતમ નરગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઇથી સમજી શકાય તે માટે ટીકાકર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતેજ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવા માંગે છે અને એ ખાતર શરૂઆતમાંજ એ ઉપકારીએ ફરમાવ્યું કે :
“नारकतिर्यनरागरलक्षणावतस्त्रो गतयो" નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે.”
' અર્થાત સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર. ચાર ગતિમાં જ સમગ્ર સંસારનો સમાવેશ થઇ જાય છે. સંસારમાં વસતા આત્માઓ પૈકીનો કોઇ પણ આત્મા એવો નથી કે જે આત્મા, એ ચારે ગતિઓ પૈકીની કોઈ પણ એક ગતિમાં વસતો ન હોય. ઇચ્છા હોય કે ન હોય તે છતાં પણ કર્મપરવશ આત્માને એ ચાર ગતિઓ પૈકીની કોઇ પણ એક ગતિમાં વસવું જ પડે છે.
નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગદર્શન
ટીકાકાર મહર્ષિની અભિલાષા :
સૂત્રકાર પરમર્ષિ શ્રીસુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય પામે એ હેતુથી આ “ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના આ બીજા સૂત્રદ્વારા, સંસારવર્તિ પ્રાણીઓને કર્મની પરવશતાથી કે મને પણ ભોગવવા પડતા કર્મવિપાકનું વર્ણન કરવા માગે છે એ વાત તો આ બીજા સૂત્રની અવતરણિકા અને“d
dહ7' આ સૂત્રાવયવ દ્વારા જાણીએ જ છીએ. સૂત્રકાર પરમર્ષિના એ આશયને સારામાં સારી રીતિએ ફળરૂપ બનાવવાના હેતુથી ટીકાકાર મહર્ષિ પોતેજ, ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા જીવો કેવી કેવી દુર્દશામાં સબડે છે એનું કિંચિત્ વર્ણન કરવાને ઇચ્છે છે એજ કારણે ચાર ગતિઓ પૈકીની સૌથી અધમ એવી જે નરકગતિ, તેની યોનિઓની સંખ્યા, કુલકોટિઓની સંખ્યા, તેમાં પડેલા જીવોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ કેટલી છે તેનું અને નારકી જીવોની વેદનાઓ કેટલા પ્રકારની છે તેનું વર્ણન કર્યા બાદ પણ તે મહર્ષિએ સૂચવ્યું છે કે:
‘લેશથી કહેવાની ઇચ્છાવાળાની વાણી, નરકમાં પડેલા આત્માઓની વેદનાઓનું વર્ણન કરવાને અશક્ત છે તો પણ કર્મવિપાકના આવેદનથી સંસારવર્તિ પ્રાણીઓને વૈરાગ્ય થાય એવી રીતિનું સામાન્ય વર્ણન કરવાની તો અમારી અવશ્ય અભિલાષા છે.' વેદનાઓનો સહજ ખ્યાલ :
એજ અભિલાષાને અનુસરીને નરકના આત્માઓ કેવી કેવી વેદનાઓ કેવા કેવા પ્રકારે ભોગવી રહ્યા છે તેનો સહજ ખ્યાલ આપતાં ટીકાકાર પરમર્ષિ છે શ્લોકોથી ફરમાવે છે કે
Page 107 of 234