________________
મનુષ્યનું આયુષ્ય બંધાય છે તે અનાર્ય ક્ષેત્રનું અથવા આર્ય ક્ષેત્રમાં ધર્મ સામગ્રીની પ્રાપ્તિ ન થાય એવા ક્ષેત્રોનું આયુષ્ય પ્રાયઃ બાંધી શકે છે. જ્યારે છેલ્લા બે કષાયોથી આયુષ્ય જે બંધાય તેમાં આર્ય દેશાદિ ક્ષેત્રાદિ અને ધર્મ સામગ્રીની પ્રાપ્તિ આદિ અનુકૂળ સામગ્રી પૂર્વકનું મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે.
પાંચ અનુત્તરવાસી દેવો.
આ દેવોને નિયમા ચોથું ગુણસ્થાનક જ હોય છે. એટલે આ દેવો નિયમા સમકતી હોય છે. આ કારણથી આ જીવોને અપ્રત્યાખ્યાનીય કષાયનો જ ઉદય હોય છે. પ્રાયઃ કરીને આ દેવોને અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયોનો ઉદય હોય છે. પણ અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિનો ઉદય હોતો નથી. આથી આ દેવો પોતાના જીવનકાળ સ્વાધ્યાયમાં તત્વની વિચારણામાં પૂર્વભવમાં જેટલો અભ્યાસ કરીને આવ્યા હોય તેમાં પોતાનો કાળ પસાર કરે છે.
આ ક્રોધાદિ ચાર કષાયોનું જે વર્ણન કર્યું તેના શ્રીસ્થાનાંગ સૂત્રને વિષે કુલ ૫૨ (બાવન) ભેદો પાડેલા છે તે આ પ્રમાણે.
ક્રોધ કષાયના - ૧૦ ભેદો, માન કષાયના-૧૧ ભેદો, માયા કષાયના-૧૭ ભેદા અને લોભ કષાયના ૧૪ ભેદો કહેલા છે.
આ જે ભેદો અહીં કહેવાશે તે જુદા જુદા જીવોને પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી કેવા કેવા પરિણામ થાય છે. અથવા એ ક્રોધાદિ કષાયોનો રસ જીવોએ કેવો કેવો જુદો જુદો બાંધેલો હોય છે તેની વિચિત્રતા રૂપે જણાવવા માટે આ ભેદો કહેલા છે. આ દરેક ભેદો અપ્રશસ્ત કષાય રૂપે અને પ્રશસ્ત કષાય રૂપે પણ હોઇ શકે છે.
ક્રોધ ક્યાયના ૧૦ નામો
૧. ક્રોધ :- જેના ઉદયકાળમાં જીવોને કૃત્ય (કરવા લાયક) અને અંકૃત્ય (ન કરવા લાયક) નું ભાન ન રહે તે.
૨. કોપ :- જેના ઉદયથી જીવો પોતાના સ્વભાવથી ચલિત થાય એટલે કે જે વિચારોમાં રહેલા હોય તે વિચારોમાંથી જીવોને ચલિત કરે તે.
૩. રોષ :- ક્રોધની પરંપરા - એટલે કે જેવો ક્રોધ ઉદયમાં આવેલો હોય તેવોને તેવો વારંવાર ઉદયમાં ચાલ્યા જ કરે એવી રીતે જે ક્રોધ ઉદયમાં રહ્યા કરે તે રોષ કહેવાય છે.
૪. દ્વેષ :- જેનાથી પોતાને કે બીજાને દૂષણ અપાય એટલે કે પોતાના છતાં દોષ બોલે અને બીજાના અછતાં દોષો પ્રગટ કરવા એકબીજાને જણાવવા તે દ્વેષ પરિણામ કહેવાય છે. અનાદિ કાળથી ભટકતાં એવા જીવોને બીજાનાં છિદ્રો જોવાની-દેખવાની અને તે દેખીને જેની તેની પાસે પ્રગટ કરવાની જે વિચારણાઓ ચાલ્યા કરે છે તે ક્રોધના ભેદનો એક પ્રકાર દ્વેષ રૂપે જ્ઞાની ભગવંતોએ કહેલ છે.
૫. અક્ષમા :- અસહનશીલતા. કોઇ પણ બાબતમાં જરાય સહન જ ન થાય દરેક બાબતમાં જીવને ઓછું પડ્યા જ કરે અને આ અસહનશક્તિ એટલે સહન કરવાનો અભ્યાસ પાડ્યો ન હોય તો તેમાં ઓછ લાવતા લાવતા આ કષાય અંતરમાં ચાલ્યા જ કરે એટલે સહન નહિ કરવાની જે વૃત્તિ તે અક્ષમા.
૬. સંજ્વલન :- વારંવાર ક્રોધથી બળવું તે એટલે કે ક્રોધાદિ કષાયનું જરાક નિમિત્ત મલે અને
Page 46 of 161