SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરમાં સાત પ્રહર સુધી કાઉસ્સગ ધ્યાને રહેલા હતા. ચક્રવર્તિઓ જ્યારે છ ખંડ સાધવા નીકળે છે ત્યારે અટ્ટમનો તપ કરી દેવને સાધે છે. તે આ કષાયના ઉદયથી ઉપવાસ-અટ્ટમ આદિ કરી શકે છે. એવી જ રીતે સમકીતની હાજરીમાં જીવો શ્રાવકની દિનચર્યાની ક્રિયાઓ કરતાં કરતાં પોતાના કર્મો ખપાવી શકે છે. છતાંય ગુણસ્થાનક પાંચમું ગણાતું નથી તથા નંદીષેણ મુનિએ વેશ્યાને ત્યાં રહીને રોજ દશને પ્રતિબોધ કરવાનો નિયમ કર્યો. દશ પુરૂષોને જ્યાં સુધી પ્રતિબોધ કરી સંયમ અપાવવા ન મોકલે ત્યાં સુધી આહાર, પાણી માઢામાં મુકવા નહિ. આ અભિગ્રહ કરવાનો અભિલાષ અને એનું પાલન આ કષાયના ઉદયથી કરી શકતા હતા. આ કષાયમાં મોટેભાગે શુભ લેશ્યાના પરિણામ રહ્યા કરે છે. આંશિક શુધ્ધ પરિણામના અનુભવના કારણે શુભ પ્રવૃત્તિઓ કરવાનું લક્ષ્ય વિશેષ રીતે પેદા થયા કરે છે. આ સંસ્કારના પ્રતાપે આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવલોકમાં વૈમાનિક દેવોનું આયુષ્ય બાંધે છે. અપ્રત્યાખ્યાનીય સંજવલન ક્યાય - આ કષાયનો ઉદય પણ ચોથા ગુણસ્થાનકે હોય છે. આ કષાયના ઉદયકાળમાં પોતાના ભોગાવલી કર્મોને નાશ કરવા માટે તથા “અવિરતિ અતિ ભયંકર છે તેનાથી અત્યાર સુધી કેટલાય ભવોની પરંપરા વધારીને તે ભવોમાં દુ:ખો ભોગવીને માંડ મનુષ્ય જન્મ મેળવ્યો છે.” માટે તે અવિરતિનો નાશ કરવા માટે, વર્તમાનમાં મળેલ સાહ્યબી સંપત્તિનો સર્વથા ત્યાગ કરીને, સંયમનો સ્વીકાર કરી, નિરતિચારપણે સંયમનું પાલન સારી રીતે કરી શકે છે. છતાંય તે જીવોને વિરતિના પરિણામ પ્રાપ્ત થતાં નથી. આ અવિરતિનાં નાશના માટે પોતાની શક્તિ મુજબ જ્ઞાનનો અભ્યાસ કરીને તેમાં પોતાના આત્માને સ્થિર રાખવા પ્રયત્નો કરે છે. તેમજ સંયમની ક્રિયામાં અપ્રમત્ત ભાવ પેદા કરીને એકાગ્ર ચિત્તે પાલન કરે છે. છતાંય વચમાં વચમાં અવિરતિના ઉદયનો કષાય હોવાથી ભોગાવલી કર્મના વિચારો પેદા પણ થઇ જાય છે. આથી ચોથા. ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામ પ્રાપ્ત થતાં નથી. જેમ કે નંદીષેણ મુનિએ જ્યારે ભગવાનની દેશના સાંભળી તે સાંબળીને પરિણામ પામી અને આ કષાયના ઉદયથી સંયમ લેવાની પ્રબળ ભાવના પેદા થઇ, તેના કારણે ભગવાન પાસે સયમ આપો એમ માંગણી કરી ત્યારે ભગવાને કહ્યું કે નંદીષેણ હજી તારે ભોગાવલી કર્મ બાકી છે ત્યારે નંદીષેણે કહ્યું કે ભગવાન્ ! આપ જણાવો છો તે વાત બરાબર જ છે. પણ તે ભોગાવલી કર્મને જો અહીં રહીને ખપાવવાના હશે તો તેની સાથે સાથે બીજા ભોગવવા લાયક કર્મો કેટલા બંધાઇ જશે તો પછી મારો છૂટકારો ક્યારે થશે. ! તો મારી વિનંતી છે કે એ ભોગાવલી કર્મોને ખપાવવા માટે આપ મને સંયમ આપો તો હું ત્યાં રહીને જ્ઞાન અભ્યાસ કરી તપ વગેરેનું આચરણ કરી, સંયમના ધ્યાનમાં સ્થિર રહીને તે ભોગાવલી કર્મોનો નાશ કરી શકીશ. તો આપ કૃપા કરીને મને સયમ આપો ! વિચારો કે ભોગાવલી કર્મો નિકાચીત છે એમ કેવલી. ભગવંત- ખૂદ ભગવાન કહે છે તો પણ સમકીત સાથે છે એટલે ભોગાવલી ક છે માટે સંસાર ભો સંયમ લઇશ. એવો જરાય વિચાર અંતરમાં આવતો નથી. પણ અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયનો ઉદય છે તેના કારણે વિચારનાં પરિણામો એટલે કે અધ્યવસાયો પેદા થાય છે કે અહીં રહીને ભોગાવલી કર્મોને ખપાવીશ તો સાથે નવા બીજા કેટલા ભોગવાલી બંધાશે ! મારો સંસાર ક્યારે છૂટશે... આ વિચારથી. સંયમની ઉત્કંઠા કેટલી છે ! અવિરતિ પ્રત્યે ગુસ્સો પણ કેટલો છે ! વિરતિ પ્રત્યેનો રાગ કેટલો તીવ્ર છે અને અવિરતિ પ્રત્યેનો દ્વેષ પણ કેટલો તીવ્ર છે ? આ સાંભળીને ભગવાને લાભનું કારણ જાણીને સંયમ આપ્યું. Page 35 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy