________________
આ કષાયનો ઉદય હોય છે ત્યારે કષાય સમુદ્દાત હોય છે. બાકીના સમયે જીવોને કષાય સમુદ્દાત હોતો
નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ યોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્રયોગ અને પર્યાપ્ત અવસ્થામાં ઔદારિક યોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - નિરંતર એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - નિરંતર અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભાવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષ.
૧૯. પર્યાપ્તિ - આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ૬ દિશાનો હોય છે કારણ કે આ જીવો ત્રસનાડીમાં રહેલા હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકી અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ હોવાથી સૂક્ષ્મ સંજ્ઞા રૂપે
હોય છે.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકમાંથી વનસ્પતિમાં આવે છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છ.
૭. બેઇન્દ્રિય જીવોને વિષે વર્ણન :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૧૨ યોજન. (એક યોજન = ૮
માઇલ)
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટું.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. ૮. ઇન્દ્રિય-૨. સ્પર્શના, રસના ઇન્દ્રિય.
Page 128 of 161