________________
ઉત્કૃષ્ટ-૧૦૦૦૦ (દશ હજાર) વર્ષ.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ. ૨૦. કિમાહાર - ૩-૪-૫-૬ દિશાનો આહાર હોય.
લોકના અગ્રભાગે ત્રણ દિશાનો કાટખૂણીયા ભાગમાં ચાર દિશાનો નિષ્કુટમાં પાંચ દિશાનો અને સનાડીમાં તથા ત્રસ નાડીની બહાર રહેલા બાકીના જીવોને છ દિશિનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકી અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે માટે આ સંજ્ઞા હોતી નથી પણ સૂક્ષ્મ રૂપે આ સંજ્ઞા કહેવાય છે.
૨૨, ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇદ્રરિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ, અસન્ની, સન્ની મનુષ્યમાં જાય.
૨૩. આગતિ - વનસ્પતિકાય રૂપે દશ દંડકવાળા જીવો આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચો, અસન્ની સન્ની મનુષ્યો. ૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય. સાધારણ વનસ્પતિકાય જીવોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય, ઉત્કૃષ્ટથી, અંગુલના અસંખ્યાતમા ભાગની. ૩. સંઘયણ - નથી.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હુડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાની, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ.
અશાતા વેદનીયના ઉદયથી વેદના. છેલ્લા અંતર્મુહૂર્તે મરણ પહેલા મરણ સમુદ્ઘાત અને પૂર્વભવે સાધારણનું આયુષ્ય બાંધી મરવાના છેલ્લા અંતર્મુહૂર્તે તીવ્ર કષાયમાં વિદ્યમાન હોય અને મરણ પામી એ કષાય સાથે લઇ સાધારણમાં ઉત્પન્ન થાય ત્યાં એક અંતર્મુહૂર્ત કષાયની તીવ્રતાનો પરિણામ રહેલા હોય ત્યારે કષાય સમુદ્દાત કહેવાય. બાકીના સમયોમાં એ સાધારણના જીવોને આવો તીવ્ર કષાય હોતો નથી. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ કાયયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
Page 126 of 161