________________
આ પર્યાસિનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે.
ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયા બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા. પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરી જે શક્તિ પેદા કરે છે તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ:શ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસ રૂપે પરિણમન પમાડી અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરીને જે શક્તિ પેદા કરે છે તેમાંથી જગતમાં રહેલા ભાષા. વર્ગણાના પદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવી એને વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
જે બેઇન્દ્રિયાદિ જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ પરભવનું આયુષ્ય બાંધવાની યોગ્યતા પેદા કરીને ત્યાં આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરીને આયુષ્યનો બંધ કરે અથવા ભાષા પર્યાતિ શરૂ કરી આયુષ્યનો બંધ કરી શકે છે અને એ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર અવશ્ય મરણ પામે છે. સન્ની જીવોને વિષે પર્યાપ્તિઓનું વર્ણન:
જે જીવો પોતાના ભોગવાતાં આયુષ્યને પૂર્ણ કરીને સન્ની મનુષ્ય કે તિર્યંચ રૂપે ઉત્પન્ન થવાના હોય તેઓને તે આયુષ્ય ઉદયમાં આવે છે અને જે સ્થાનમાં તે આયુષ્ય ભોગવવાનું હોય ત્યાં તે ક્ષેત્રમાં જાય છે. ત્યાં જે આહારના પુદ્ગલો મલે તે આહારના પુગલોને ગ્રહણ કરી ખલ અને રસ રૂપે પરિણામ પમાડી જે શક્તિ પેદા થાય છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે.
આહાર પર્યાપ્તિ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાતા સમય સુધીમાં જેટલી શક્તિ પેદા થાય તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમય વાળી અંતર્મુહુર્ત કાળની હોય છે.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી ખલ-રસવાળા પુદ્ગલો બનાવી રસવાળા પુદગલોનો સંગ્રહ કરે છે. આ પ્રક્રિયા અસંખ્યાત સમય સુધી કરતાં રસવાળા પુદ્ગલોનો જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી ખેલ રસ રૂપે પરિણમાવી. રસવાળા પુદગલોનો સંગ્રહ કરતો જાય છે. આ પ્રક્રિયા અસંખ્યાતા સમય સુધી કરે છે તેમાં જેટલી શક્તિ પ્રાપ્ત થાય તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવવાની અને નિ:શ્વાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં જે શક્તિ પેદા થાય તેનાથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી ભાષા એટલે વચન રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તેને ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
ભાષા પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમયમાં જેટલી શક્તિ પેદા થાય તેનાથી જગતમાં રહેલા મન વર્ગણાના પુગલોને ગ્રહણ કરી
Page 108 of 161