________________
સાથે જ તે જીવને તિર્યંચાયુષ્ય ઉદયમાં આવે છે અને તેની સાથે એકેન્દ્રિય જાતિ નામકર્મ ઉદયમાં આવે છે તે જીવ જ્યાં જે સ્થાને ઉત્પન્ન થાય ત્યાં જે આહારના પુદ્ગલો હોય તે કાર્મણ શરીરથી ગ્રહણ કરે છે અને ગ્રહણ કરતાની સાથે જ ખેલ અને રસ રૂપે પરિણામ પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ એક સમયનો હોય છે.
આહાર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુલો ગ્રહણ કરતાં કરતાં અસંખ્યાત સમય સુધી. આ પ્રક્રિયા ચાલુ રાખી રસવાળા પુદ્ગલોને એકઠાં કરી એટલે સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય. આ પર્યાતિ એક અંતર્મુહૂર્તની હોય છે. આ અંતર્મુહર્તી અસંખ્યાત સમયવાળું જાણવું.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરતાં રસવાળા પુદ્ગલો જેટલા એકઠા થાય તેનાથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે એટલે એક સ્પર્શેન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમયવાળી એક અંતર્મુહુર્તની હોય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સમયે સમયે આહારને ગ્રહણ કરી રસ રૂપે પરિણમન કરતાં અસંખ્યાત સમય સુધી ક્રિયા કરે છે અને તેમાંથી રસવાળા પગલોથી જે શક્તિ પેદા થાય છે તેનાથી જગતમાં રહેલા શ્વાસોશ્વાસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ:શ્વાસ રૂપે છોડવાની શક્તિ પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે આ જીવો ચાર પર્યાપ્તિઓ કરે છે. જ જીવોનું આયુષ્ય વધારે હોય તે જીવો આહારના પગલોને ગ્રહણ કરતા કરતા રસવાળા પુગલોને બનાવતા સંગ્રહ કરતા દરેક પર્યાપ્તિને સરખે ભાગે આપતા પોતાનું જીવન જીવે છે અને આયુષ્ય નામના પ્રાણને પણ પુષ્ટ કરતા જાય છે.
જે એકેન્દ્રિય જીવો અપર્યાપ્તા નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા પરભવનું આયુષ્ય બાંધીને મરણ પામે છે પણ આ જીવો ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરતાં નથી. વિક્લેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને વિષે પર્યાતિઓનું વર્ણન:
આ જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે તે આ રીતે. કોઇપણ સ્થાનેથી જીવો મરણ પામી એટલે ભોગવાતા ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બેઇન્દ્રિયાદિપણાના આયુષ્યના ઉદ્યને પામે છે તે જે ક્ષેત્રમાં એ આયુષ્ય ભોગવવાનું હોય તે સ્થાનમાં-તે ક્ષેત્રમાં જાય છે ત્યાં જે પુદ્ગલોનો આહાર મલે તે પુદ્ગલોનો આહાર ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમન પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાતિનો કાળ એક સમયનો હોય છે.
આ રીતે આહારને સમયે સમયે ગ્રહણ કરતો પરિણામ પમાડતો અસંખ્યાત સમય સુધી પ્રયત્ન વિશેષ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી તેમાંથી શરીર બનાવવાની શક્તિ પદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિનો કાળ અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્તનો હોય છે.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં રસવાળા પુદગલોનો જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાતિથી જીવો પર્શના અને રસનેન્દ્રિય બે ઇન્દ્રિય પેદા કરે છે.
Page 107 of 161