________________
ધર્મ વધે અને અધર્મ થતો અટકે, તે ભાવનાને ક્ષણ પણ અલગ કરે, એવો નિર્ભીક કોણ હોય ? ત્રીજા મહાવ્રતનો પ્રેમી તો એવી ભાવનાને આત્મા સાથે એકમેક જ કરી દે. ગુરૂની આજ્ઞા માનવાની જરૂર :
૫- ત્રીજા મહાવ્રતની પાંચમી ભાવના- “અનુજ્ઞાપિત પાનાન્નાશન' -આ નામની છે. આ ભાવનાનો પરમાર્થ એ છે કે “સૂત્રોક્ત વિધિથી પ્રાસુક, એષણીય અને કાનીય એવા મળેલા પાન અને અન્નને લાવ્યા બાદ, આલોચના પૂર્વક ગુરૂ સમક્ષ નિવેદન કરીને, ગુરૂની અનુજ્ઞા પામ્યા પછી જ માંડલીમાં અથવા તો એકલા એનું પાન અથવા ભોજન કરવું જોઇએ.’ શુદ્ધ રીતિએ મળેલા અન્ન-પાનનો ઉપયોગ પણ ગુરૂની આજ્ઞા વિના કરવો, એ પ્રભુશાસનમાં ચોરી છે. કોઇ પણ જાતિનાં ધર્મોપકરણોનો પણ પરિભોગ ગુરૂની આજ્ઞા વિના કરવો, એય આ શાસનમાં ચોરી મનાય છે. આ કારણે- “કોઇ પણ વસ્તુનો ભોગ કે ઉપભોગ મારા જીવનમાં મારાથી ગુરૂની આજ્ઞા વિના ન થવો જોઇએ. આવી મનોદશા સાધુ માત્ર કેળવવી જોઇએ અને એ જ આ ભાવનાનું રહસ્ય છે. આવી સમર્પિત મનોદશા વિના સાધુપણું અને વિશેષતયા ત્રીજું મહાવ્રત, એ જીવનમાં શુદ્ધ રીતિએ જીવાવું એ શક્ય નથી. સ્વચ્છંદી આત્માઓ માટે આ ભાવના ભયંકર છે. રસલપટો અને સુંદરતાના શોખીનો સમજે છે કે-રસલપટતાના પોષણ માટેની અને સુંદરતાના શોખને ખીલવનારી આજ્ઞા મળવી એ શક્ય નથી, પણ લોકમાં જો સારી રીતિએ પૂજાવું હોય તો ગુરૂની પાસે રહેવું અતિશય જરૂરી છે. આથી તેઓ ગુરૂની સાથે તો રહે, પણ તેમનો લગભગ એવો નિશ્ચય જ હોય છે કેઆપણી ઇચ્છામાં આડે આવે એવી ગુરૂની આજ્ઞા તરફ ધ્યાન જ આપવું નહિ.” આવી મનોદશાના. સ્વામી સ્વચ્છેદિઓ હોય છે. એવા સ્વચ્છ%ચારિઓ ગુરૂની આજ્ઞા માનવા માટેની ફ્રજ પાડનારી. આ ભાવનાની છાયામાં પણ રહેવાનું પસંદ ન કરે એ સ્વાભાવિક છે. એવાઓ માટે ગુરૂકુલવાસ હોવા છતાં, ન હોવા કરતાંય ભયંકર છે. એવાઓ ગુરૂકુલવાસમાં રહેવા છતાં પણ, ગુરૂની આશાતના જ કરનારા છે ગુરૂની આજ્ઞાની દરકાર જ નહિ રાખનારા અને ઇરાદાપૂર્વક આજ્ઞાથી વિરૂદ્ધ વર્તનારા તથા સાધુવાસમાં પણ ગૃહસ્થાચારને જ જીવનારા, એ ગુરૂના ભયંકર દ્રોહિઓ જ છે. એવામાં આ ભાવના સામે હલ્લો જ કરે. ‘વાત વાતમાં ગુરૂને પૂછવાની જરૂર શી ?' –આવું આવું બોલીને તેઓ ગુરૂની આજ્ઞાનો જ સમુદાયમાંથી નાશ કરનારા બને છે ગુરૂ ઉપર પક્ષપાત આદિના આરોપો ચઢાવીને ગુરૂને જ અકિંચિકર બનાવી દઇ, એ સ્વચ્છેદિઓ સમુદાયમાં સ્વચ્છેદાચારનું જ સામ્રાજ્ય પ્રવર્તાવનારા હોય છે. આ દશા સાધુપણાથી વંચિત બનાવી સાધુપણાને દુર્લભ બનાવે છે. આજ્ઞામય જીવન જીવવામાં જ કલ્યાણ છે.” -એવી ભાવનાથી રંગાઇ ગયા વિના, કોઇ પણ રીતિએ કલ્યાણ નથી. આવી ભાવનાવાળો જ આ પાંચમી ભાવના આત્મસાત્ કરી શકે. ગુરૂની આજ્ઞા વિના, એક પણ વસ્તુનો ઉપયોગ, એ ત્રીજા મહાવ્રતની ઉપર કારમો હલ્લો છે. ત્રીજા મહાવ્રતની રક્ષા માટે ગુરૂઆજ્ઞા એ એક અમોધ સાધન છે. એની ઉપેક્ષા, એ ત્રીજા મહાવ્રતની ઉપેક્ષા છે. ત્રીજા મહાવ્રતની રક્ષાને ઇચ્છતા આત્માએ તો, સદગુરૂની આજ્ઞાને જ દીવાદાંડી બનાવવી જોઇએ.
ચોથા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
Page 91 of 211