________________
યતિ મહાત્માઓ અનેક વિશિષ્ટ ગુણોના સ્વામી હોય છે. સાચા યતિઓ તેઓ જ છે, કે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જે રત્નત્રય-તેનાથી સહિત હોય. આ ત્રણ રત્નોમાંથી પ્રથમનાં બે રત્નો તો ચતુર્થ ગુણસ્થાનકવર્તી આત્માઓની પાસે પણ હોઇ શકે છે. શ્રી જિનોક્ત તત્ત્વોની રૂચિવાળા પણ વિરતિમાં નહિ આવેલા જીવો જ્ઞાન અને દર્શનએ બે રત્નોથી સર્વથા હીન સંભવે જ નહિઃ પરન્તુ અહીં તો રત્નત્રયની વાત છે. ત્રીજું રત્ન સમ્યક્રચારિત્ર છે. સાવધ યોગો એટલે સપાપ વ્યાપારો-તેના ત્યાગને સમ્યક્રચારિત્ર કહેવામાં આવે છે, પણ તે ત્યાગ જ્ઞાન અને શ્રધ્ધાન પૂર્વકનો હોય તો ! જ્ઞાન અને શ્રદ્ધાનથી હીન એવા ત્યાગને સમ્યક્રચારિત્ર રૂપે ગણી શકાય જ નહિ. મુનિઓનું સમ્યક્રચારિત્ર સર્વ સપાપ વ્યાપારોના જ્ઞાન તથા શ્રદ્ધાન પૂર્વકના, ત્યાગ રૂપ હોય છે. આ ચારિત્ર મૂલ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું કહેવાય છે.
સ. સાધુના મૂલ ગુણ કયા અને ઉત્તર ગુણ કયા?
ઉત્તર ગુણોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા આવે છે, કે જેનું વર્ણના અત્રે થઇ ગયું છે, જ્યારે મૂલ-ગુણો તરીકે પાંચ મહાવ્રતો ગણાય છે અને તેનું વર્ણન આજે કરવાનું રહે છે. સાધુઓનું મૂલ-ગુણ રૂપ જે સમ્યક્રચારિત્ર છે, તે પાંચ પ્રકારનું છે. મૂલ-ગુણ રૂપ એ ચારિત્રને પાંચ પ્રકારનું જે કહેવાય છે, તે વ્રતભેદના કારણે કહેવાય છે, ગુણ સ્વરૂપભેદના કારણે કહેવાતું નથી.
સ. એ શું ?
મહાવ્રતો પાંચ છે, માટે મૂલ-ગુણ રૂપ ચારિત્રને પાંચ પ્રકારનું કહેવામાં આવે છે. સાચા યતિઓ, એ પાંચેય મહાવ્રતોને ધરનારા હોય. મુનિઓ મહાવ્રત રૂપ જે મહાભાર, તેને ધારણ કરવામાં એક ધુરન્ધર હોય છે. મહાવ્રતોનો ભાર સામાન્ય કોટિનો નથી. મહાવ્રતોના મહાભારને વહવો, એ સામાન્ય આત્માઓથી શક્ય નથી. યતિધર્મમાં અનુરક્ત એવા પણ આત્માઓ, સંહનનાદિ દોષને કારણે, મહાવ્રતોના મહાભારને ધરવા માટે સમર્થ બની શકતા નથી. મહાવ્રતોના મહાભારને સ્વીકારવા માટે આત્માએ લાયક બનવું જોઇએ અને તેનું આરોપણ કરનાર ગીતાથી ગુરૂએ પણ તેની યોગ્યા-યોગ્યતા સંબંધી પરીક્ષા કરવી જોઇએ. એ તરફ બેદરકાર બનેલા. આત્માઓ કલ્યાણને બદલે અકલ્યાણને પામે, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. વિરાધનાની ભયંકરતાને નહિ સમજનારા સ્વેચ્છાચારી આત્માઓ આ વસ્તુને સમજી શકે એ શક્ય નથી. વળી. ઉપકારના સ્વરૂપને નહિ સમજનારાઓ પણ, અજ્ઞાન આદિના કારણે ભૂલ કરે એ શક્ય છે. આથી કલ્યાણના અર્થી આત્માઓએ તો પોતાને મહાવ્રતોના મહાભારને વહેવા માટે યોગ્ય બનાવવાની પણ તકેદારી રાખવી જોઇએ. મહાવ્રતો તરીકે ગણાતા મહાગુણો પાંચ છે : એક અહિંસા, બીજું સબૂત, ત્રીજું અસ્તેય, ચોથું બ્રહ્મચર્ય અને પાચમું અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતો છે અને આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ પણ અહીં આપણે સંક્ષેપથી જોઇ લઇએ. પહેલું મહાવ્રત - અહિંસા
પ્રથમ અહિંસાવ્રતનું સ્વરૂપ દર્શાવતાં, ઉપકારી મહાપુરૂષ હિંસાનું સ્વરૂપ દર્શાવી, તેના નિષેધ રૂપ અહિંસાને પ્રથમ મહાવ્રત તરીકે ઓળખાવે છે. પ્રમાદના યોગથી ત્રસ જીવોના અગર તો સ્થાવર જીવોના જીવિતવ્યનો નાશ કરવો, એનું નામ હિંસા છે. એવી હિંસા ન કરવી, એનું નામ અહિંસા છે
Page 68 of 211