SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માઓનું અન્તઃકરણ ભાવદયાથી ભરપૂર બની જાય છે. અને ગમે તેવા પાપિનું પણ બુરૂં ચિન્તવવાનું પણ મન થતું નથી. તો તેનું બૂરૂં કરવાનું મન તો થાય જ શાનું ? સમ્યદ્રષ્ટિનો શ્રુતધર્મનો રાગ ભાવ શ્રાવકમાં શુશ્રુષા ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય છે. શ્રી જૈનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રૂષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રુષાનો અર્થ થાય ‘સાંભળવાની ઇચ્છા' પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યદ્શન પામ્યો. એટલે તત્ત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે-જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ. 24. એ શું ? મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપ આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યક્ત્વ કહે છે અને તત્ત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સમ્યક્ત્વનું કાર્ય કહે છે. સમ્યક્ હોય તો જ સાચું તત્ત્વશ્રદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્ત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સમ્યક્ત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણકહેવાય છે કે-તત્ત્વાર્થ શ્રદ્વાન એ સમ્યક્ત્વ છે, કારણ કે-સામગ્રીસંપન્ન અવસ્થામાં તત્ત્વાર્થશ્રદ્વાન રૂપ કાર્ય, સમ્યક્ત્વરૂપ કારણના યોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્ત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ માવેલા જીવાદિ તત્ત્વભૂત પદાર્થોનું શ્રદ્વાન. આવી તત્ત્વરૂચિ જન્મે, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્ત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્ત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ ઃ કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલું તત્ત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યદ્રષ્ટિ આત્મા સદ્બોધ મેળવવાને ખૂબ જ આતુર હોય છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યદ્રષ્ટિ આત્માઓને માટે તો સદ્બોધનું અવઘ્ય કારણ છે; આથી સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યદ્રષ્ટિ આત્માઓની ઇચ્છા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે. કામી આત્માઓને ગીતના શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાન્તાથી પરિવરેલો -એવા કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ કિન્નરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સમ્યદ્રષ્ટિનો ચારિત્રધર્મનો રાગ સમ્યદ્રષ્ટિ આત્માઓને જેમ શ્રુતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સમ્યદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યદ્રષ્ટિ આત્માઓના ચારિત્રધર્મ ઉપરના રાગની પ્રબલતાનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ, ભૂખ્યા Page 57 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy