SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તેવા ભાગ્યવંતોનું જ માનવજીવન અણમોલું અને આદર્શભૂત છે, એમ માની શકાય. જો કે વિકટ સંકટોની કાતીલ સંકડામણો કે અથડામણો અથવા ભયંકર મશીબતોના કારમાં અને કાળા કહેર વર્તાવતા આન્દોલનો હામે નક્કર ટક્કર ઝીલવી, તે સુકર નથી કિન્તુ દુષ્કર છે. છતાંય તે વિના વિધ્વજય શક્ય નથી અને એના વિના તે તે પૂજન-સેવનાદિ સાધનોનીય આરાધના શક્ય નથી તેમજ તે વિના મુખ્ય ધર્મની અને માનવજીવનની અમૂલ્યતાની પણ સંભાવના શક્ય નથી. આથી જો માનવજીવન દિવ્ય જીવન બનાવવાની તમન્ના હોય, તો તે તે નિયમોથી જીવન નિયમિત કરવાની જરૂર છે અને એ નિયમોનું ખડા થતા વિઘ્નોનો સામનો કરી વિજય મેળવી, પરિપૂર્ણ પાલન કરવાની આવશ્યક્તા છે. જેમ પેલા મહાનુભાવ સુશ્રદ્ધાળુ શ્રાવકે કર્યું તેમ, માલવ નામક (માળવા) દેશ છે. તેમાં શ્રી મંગલપુર નામનું નગર હતું. તત્સમીપે એક પલ્લી હતી, જે હજારો વિકરાલ રૂપધારિ ભિલ્લોથી સમાગુલ હતી. એ પલ્લીમાં કોઇ મહાનુભાવે કરાવેલું એક મનોરમ ચૈત્ય હતું. એ સુરમ્ય મન્દિરમાં ચતુર્થતીર્થેશ શ્રી અભિનન્દનસ્વામિની પ્રતિમા. બીરાજમાન હતી. પ્રભુજીની પ્રતિમા અતીવ અતિશયિની, ચમત્કારિણી અને શાન્તરસના અમૃતતુલ્ય નિ:સ્યદોને ઝરનારી, તેમજ દર્શન માત્રથી જ સંચિત પાતિકોને હરનારી હતી. વીતરાગતા દાખવતી ત્રિભુવનપતિની મૂર્તિ કયા કમનશીબને આનંદ તથા હર્ષપ્રદા ન બને ? જે નિપુણ્યક ભાગ્યહીનો હોય, તેઓને જ ભગવન્તની શાન્ત-રૂચિમય-પરમાણુઘટિત અનુપમ પ્રતિમા સખપ્રદા ન બને. પરન્તુ એમાં દોષ એ કમભાગિઓનો જ છે. જેઓ આવી અમીરસઝરતી પ્રતિમા નિહાળી ન શકે, નીરખીને હર્ષ-આનંદ પામી ન શકે, જે પાપિઓને કાળી નાગણ સમાન કે ક્રૂર રાક્ષસી સમાન માયાકુલમન્દિર ગૃહદેવીનું કાળું મુખ નિરખવું રુચે છે, એણીના ફોટા સાથે લઇ ક્રવાનું ગમે છે, તે હતભાગિઓને કેવલ વીતરાગતાદ્રાવક અને પાવિત્ર્યકારક પ્રભુની પ્રશાન્ત મુદ્રાએ વિરાજિત પ્રતિમાનું દર્શન રુચિકર નિવડતું નથી, તે ગુરુકર્મિ જીવોનું પાપ-નામ પણ કોણ લે ? અનાલમ્બન-ધ્યાન કરવાની દશા હજુ ઘણી છેટે છે. તે માટે તો હજુ કેટલાય ભવો કરવા પડશે, એ સમજવાની જરુર છે. જો નિરંજન અને નિરાકારનું જ ધ્યાન કરવું હોય, તો તે આ દશામાં સર્વથા અશક્ય છે. વિના વિષયની હયાતીએ કોઇનુંય જ્ઞાન થતું નથી. જેમ ઘટમાં રૂપ અને આકૃતિ છે તો એનો સાક્ષાત્કાર થાય છે, પરન્તુ આકાશવત્ એ જો રૂપરહિત હોત તો એનું પ્રત્યક્ષ ન થઇ શકત, તેમ જેનું ધ્યાન કરી લેવાનું છે અને અને જેનો સાક્ષાત્કાર કરી જે સ્વરૂપ બનવાનું છે, તેનો જો આકાર કિવા તેમાં રૂપ ન હોત તો હરગીજ તેનું ધ્યાન શક્ય નથી. જેમ આપણા માટે આકાશ પ્રત્યક્ષ શક્ય નથી, કારણ કે-એ રૂપરહિત છે, તેમ પ્રભુધ્યાન પણ અશક્ય છે. યદ્યપિ એઓ સર્વથા નિરંજન અને નિરાકાર છે. તથાપિ એમના ધ્યાનની સર્વથા અશક્યતા કે અસંભાવના ન થઇ જાય તે ખાતર પણ, સ્વયં એ પ્રભુ તથાવિધ હોવા છતાંય આપણી જ છે કે-આપણે તેમનો સાક્ષાત્કાર કરવા અને તેમના તુલ્ય થવા ખાતર તેમના બિંબમાં તે તે પ્રકારે સંભૂત આરોપ કરવો-એમને જ સાક્ષાત માનવા, સ્વીકારવા અને પૂજવા. એમના રૂપમાં એવી અદ્દભૂત શક્તિ રહેલી છે કે-એમના દર્શન માત્રથી જ અરૂપિ પદવી પ્રાપ્ત થાય. એમની Page 40 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy