________________
ભાવના હોય છે રાગથી રંગાયેલી એ ભાવનાઓ જેઓના હૃદયમાં રહેલી છે તેવા જીવોને વસ્તુનો નિર્ણય ક્યાંથી થાય ? અથત થતો નથી. પહેલું અણુવ્રત...
અલસા ભવતા કાર્યો પ્રાણિવધે પંગુલાઃ સદા ભવત |
પરતતિષ બધિરા-જાત્યન્ધા: પર કલબેવુ || ભાવાર્થ :- હે ધર્મ જિજ્ઞાસુઓ ! તમારે જો સંગતિ મેળવવાની ઇચ્છા હોય તો શ્રેષ્ઠ જનોને નિંદિત એવા નીચ કાર્યમાં આળસુ બની નિરૂધોગી થાઓ, તેમજ પ્રાણીઓનો વધ કરવામાં હંમેશા પાંગળા બનો, પરપીડાઓમાં બધિરતા ધારણ કરો, અને પર સ્ત્રીઓને વિષે જન્માંધની માલ્ક પ્રવૃત્તિ કરો અથતિ તેમની ઉપેક્ષા કરો. બીજું અણુવ્રત....
અસત્યમપ્રત્યય મૂલ કારણે કુવાસના સર્દ સમૃધ્ધિ વારણમ્ |
વિપત્રિદાન પરવંચનોર્જિત કૃતાડપરાધ કૃતિભિર્વિવર્જિતમ્ II ભાવાર્થ :- અવિશ્વાસનું મૂલ કારણ, ખરાબ વાસના ઓનું નિવાસ સ્થાન, સમૃધ્ધિઓને નિવારવામાં અર્ગલા સમાન, વિપત્તિઓનાં મૂલ હેતુ, અન્ય જનોને છેતરવામાં અતિદક્ષ અને અપરાધોના ખજાના રૂપ એવું અસત્ય વચન જ્ઞાની પુરૂષોએ સર્વથા ત્યાગ કરેલું છે. ત્રીજું અણુવ્રત....
યન્નિવર્તિત કીર્તિ ધર્મ નિધનં સર્વાગતાં સાધનં || પ્રોનીલ વધ બંધનં વિરચિત કિલષ્ટાશયો બોધનમ્ ||
દોર્ગત્યેક નિબંધનું કૃત સુગ-ત્યાગ્લેષ સંરોધનમ્ |
પ્રોત્સર્પત પ્રધનં જિબ્રૂક્ષતિ ન - ધીમાનદત્ત ધનમ્ || ભાવાર્થ :- જે ચોરીનું ધન પ્રસિધ્ધ એવી કીર્તિ અને સંપત્તિનો નાશ કરે છે તેમજ સર્વ દુ:ખોનું સાધન વધ તથા બંધનને પ્રગટ કરનાર, કિલષ્ટ આશયોને ઉત્પન્ન કરનાર, દુર્ગતિનું મુખ્ય કારણ, સુગતિ-મોક્ષ સુખના સમાગમનો રોધ કરનાર અને સંગ્રામાદિકનો ભય ઉપજાવનાર છે તેવા અદત્તદ્રવ્યને ગ્રહણ કરવાની કયો બુદ્ધિમાન ઇચ્છા કરે ? ચોથું અણુવ્રત...
યસ્તુ સ્વદાર સંતોષી વિષયેષુ વિરાગવાન્ |
ગૃહસ્થોડપિ સ્વશીલેન યતિકલ્પ: સ કયતે || ભાવાર્થ :- જે પુરૂષ કામાદિક વિષયોમાં વિશેષ રાગનો ત્યાગ કરી પોતાની સ્ત્રી વિષે સંતોષ માની પ્રવૃત્તિ કરે છે તે ગૃહસ્થ કોટિમાં વર્તતો હોવા છતાં પણ પોતાના શીલ વડે મુનિ સમાન ગણાય છે. પાંચમું અણુવ્રત....
વ્યાક્ષેપસ્ય નિધિમંદસ્ય સચિવ શોકસ્ય હેતુ કલેઃ |
કેલી વેશ્મ પરિગ્રહ: પરિઘતે ર્યોગ્યો વિવિક્તાત્મ નામ્ // ભાવાર્થ :- પ્રશમ-શાંતિ ગુણનો એક કટ્ટો દુશ્મન, અધેર્યનો ખાસ મિત્ર, મોહ રાજાને વિશ્રાંતિનું સ્થાન, પાપરાશિની જન્મભૂમિ, આપત્તિઓનું મુખ્ય સ્થાન, અસદ્ ધ્યાનનું ક્રીડા વન,
Page 25 of 211