SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ (૪) સંખ્યાતવર્ષની ઉદીરણા (૫) ક્રમપૂર્વક સંક્રમણ (૬) લોભના સંક્રમનો અભાવ (9) બંધાયેલા દલિકોની ૧ આવલીકા ગયાબાદ ઉદીરણા થાય છે અને તે વખતે નપુંસકવેદનો પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણાકારે ઉપશમ કરે છે. અંતઃકરણમાં પ્રવેશ કર્યા પછી મોહનીય કર્મનો બંધ સંખ્યાતગુણ હીન થાય છે અને બીજા કર્મોનો બંધ ક્રમસર અસંખ્યગુણહીન થાય છે. પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદને શમાવે છે. પછી સ્ત્રીવેદનો સંખ્યાતમો ભાગ ઉપશમ પામે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય આ ત્રણે ઘાતી કર્મોનો બંધ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય છે ત્યાર બાદ સંખ્યાતગુણહીનપણે બાંધે છે. ત્યારબાદ કેવળજ્ઞાનાવરણીય સિવાયની જ્ઞાનાવરણીય ૪ પ્રકૃતિ, કેવળ દર્શનાવરણીય સિવાયની દર્શનાવરણીયની ૩ પ્રકૃતિ અને અંતરાયની પાંચ પ્રકૃતિઓ એમ ૧૨ પ્રકૃતિઓનો ૧ સ્થાનીય રસબંધ કરે છે. આ પ્રકૃતિઓનો રસ સર્વઘાતી કરે છે પણ ક્ષેણીએ ચડેલા જીવો દેશઘાતી રૂપે બાંધે છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત કર્યાપછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યારપછી હાસ્યાદિક ૬ અને પુરૂષવેદની સાથે ઉપશમના શરૂ કરીને ક્રમસર ઉપશમાવે છે. પછી ક્રોધ-માન-માયા અને બાદર લોભને ઉપશમાવે છે. બાદરલોભને ઉપશમાવતાં ઉપશમાવતાં લોભવેદન કાળના ત્રણ ભાગ કરે છે. (૧) અશ્વકરણ અદ્ધા : એટલે કે આમા અપૂર્વ સ્પર્ધકો કરે છે અને અત્યંત હિનરસવાળા બનાવે છે.(૨) કિટ્ટીકરણ અધ્ધા : આમાં પ્રવેશ કરીને કિટ્ટી કરે છે અને અત્યંત હીન રસ કરે છે તથા વર્ગણાઓમાં મોટું અંતર પાડે છે એટલે રસાણુઓ ૧-૧ ક્રમથી વધતા હોય તેમ ન કરતાં રસાણુઓ સંબંધી મોટું અંતર પાડે છે. આ બે ભાગ મા ગુણસ્થાનકે હોય છે. આ બે ભાગનો કાળ પૂર્ણ થયે ૯મું ગુણસ્થાનક સમાપ્ત થાય છે ત્યારે ટ્ટિીરૂપ લોભ ઉપશમાવ્યા વગરનો રહે છે અને જીવ ૧૦મા સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. (૩) કિટ્ટી વેદન-અધ્ધા : જે કિટ્ટીઓ બનાવેલી છે એના હજારોવાર અનંતા અનંતા ટુકડા કરીને વેદે છે અનુભવે છે અને દશમા ગુણસ્થાનકના છેલ્લા સમય ઉપશમાવે છે. આ ઉપશમ થતો હોય ત્યારે ઘાતી કર્મનો બંધ એટલે જ્ઞાન-દર્શન અંતરાય કર્મનો બંધ ૧ અંતર્મુહૂર્તનો થાય છે. વેદનીય કર્મનો ૨૪ મુહૂર્તનો થાય છે. નામ તથા ગોત્ર કર્મનો ૧૬ મૂહૂર્તનો થાય છે. ત્યાર પછી જીવ ૧૧મા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. અહિં મોહનીયકર્મની બધી પ્રકૃતિઓ શાંત થાય છે. જેના કારણે સંક્રમણ ઉર્તના, અપવર્તના, ઉદીરણા, નિદ્વત, નિકાચના તથા ઉદયપ્રવર્તના નથી પણ ફ્ક્ત દર્શનત્રીકમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનું સંક્રમણ અને અપવર્તના ચાલુ હોય છે. પાછો જો કાળ ન કરે તો ૧૧મું ગુણસ્થાનક પૂર્ણ થયે જે ક્રમથી જીવ ચડ્યો છે તેજ ક્રમથી નિયમા છે એ પડતાં પડતાં છટ્ટે-૫મે-૪થે ગુણસ્થાનકે પણ અટકી શકે છે અને જો કદાચ ન અટકે તો પડતો પડતો ૨જે ગુણસ્થાનકે જઇને નિયમા પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. કોઇક જીવ ૭ લવ આયુષ્ય બાકી રહે ત્યારે અધૂરી શ્રેણીએ પાછો ફરી ક્રમસર પડતો ૭મે Page 186 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy