SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જરા શંકાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને દયા લાવીદૂર કરો.” આનંદસૂરિ બોલ્યા, “ભદ્ર, શી શંકા છે ? તે ખુશીથી પ્રગટ કર.” મુમુક્ષુ બોલ્યો- ભગવન્, આપે કહ્યું કે, આ દશમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ ખંડરૂપ લોભનું અસ્તિત્વ રહે છે, તો તેનું શું કારણ છે ? તે સમજાવો. આનંદમુનિએ ઉત્સાહથો જણાવ્યું, ભદ્ર, એ વાતનું સ્પષ્ટીકરણ આગળ થઇ શકશે; કારણકે, આઠમા, નવમા, દશમા, અગીયારમા અને બારમા ગુણસ્થાનોને એક બીજાની સાથે પરસ્પર સંબંધ રહેલો છે, તેથી બારમા સોપાન સુધી સામાન્ય વિવેચન કરી પછી તને બધી સમજુતી આપીશ, એટલે તારી શંકા તદન પરાસ્ત થઇ જશે. મમક્ષએ પ્રાંજલિ થઇને કહ્યું, “ભગવન, આપનો મારીપર અનુગ્રહ છે. તેથી હું આપની પાસેથી નિઃશંક થઇ ઉત્તમ લાભ સંપાદન કરીશ. હવે આગળની સૂચનાઓ કૃપા કરી દર્શાવો અને સમજાવો.” અગ્યારમું ઉપશાંત મોહ ગુણસ્થાન આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણિવાળા જીવોજ આવી શકે છે. ઉપશમ સમકીતી જીવો અથવા ક્ષાયિક સમકીતી જીવો હોય છે. પહેલા ત્રણ સંઘયણવાળા જીવો આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. આ ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પતન પામે છે એટલે જે રીતે મોહનીય કર્મનો ઉપશમ કરીને ચઢયા હોય એ રીતે પાછા ઉતરે છે અને ઉપશમ સમકીતી જીવો ચોથા ગુણસ્થાનકે આવી બીજ ગુણસ્થાનકે જઇ પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત થઇ શકે છે અને યાવત્ નિગોદમાં પણ જાય છે. હાલ નરકમાં અગ્યારમેથી પડેલા અસંખ્યાતા છે. નિગોદમાં અનંતા રહેલા છે. જે જીવોનું આયુષ્ય અગ્યારમાં ગુણસ્થાનકે પૂર્ણ થઇ જાય તે જો પહેલા સંઘયણવાળા જીવો. હોય છે તે મરણ પામી અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને જે બીજા, ત્રીજા સંઘયણવાળા જીવો હોય છે તે મરણ પામીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે પણ અનુત્તરમાં ઉત્પન્ન થતાં નથી. આ જીવોને મોહનીય કર્મની અટ્ટાવીશ પ્રકૃતિઓમાંથી એકેય પ્રકૃતિનો ઉદય હોતો નથી પણ સત્તામાં કેટલાક જીવોને મોહનીયની ર૮ હોય છે. કેટલાક જીવોને અનંતાનબંધિ ૪ કષાય વિના ૨૪ની સત્તા હોય છે અને કેટલાક જીવોને દર્શન સપ્તક વિના એકવીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. દર્શન મોહનીયની-સમ્યકત્વ મોહનીય-મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય આ ત્રણની સર્વથા ઉપશમના હોવા છતાં એટલે ઉપશમ હોવા છતાં ત્રણેયનો અંદરો અંદર સંક્રમ ચાલુ હોય છે. એડાશ સોપાના (ઉપશાંતમોહ ગુણસ્થાન) શુદ્ધ હૃદયમાં પરમાત્માનું જ ચિંતવન કરનારા અને આ વિશ્વની ક્ષણિક સ્થિતિને માનનારા મહાનુભાવ આનંદસૂરિ મેઘના જેવી વાણીથી બોલ્યા-ભદ્ર, આ અગીયારમાં સોપાન ઉપર દ્રષ્ટિ કર. આ સોપાન ઉપશાંતમોહ નામના ગુણસ્થાનથી ઓળખાય છે. ઉપશમકજ મુનિ ઉપશમ મુર્તિરૂપ સહજ Page 181 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy