SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીંદ્રિયજાતિ, (૯) ટીંદ્રિય જાતિ, (૧૦) ચતુરિંદ્રિય જાતિ, (૧૧) એકેંદ્રિય જાતિ, (૧૨) આતપનામ, (૧૫) ત્રણ સત્યાનદ્ધિ અને (૧૬) સ્થાવર ત્યાનધિં નામ-આ કર્મની સોળ પ્રકૃતિનો ક્ષય પ્રથમ ભાગમાં કરે છે. બીજા ભાગમાં અપ્રત્યાખ્યાન કષાય તથા પ્રત્યાખ્યાન કષાયની ચોકડીનો ક્ષય કરે છે. ત્રીજા ભાગમાં નપુંસક વેદનો ક્ષય કરે છે. ચોથા ભાગમાં સ્ત્રીવેદનો ક્ષય કરે છે. પાંચમાં ભાગમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા -એ નોકષાયનો ક્ષય કરે છે. છઠ્ઠા ભાગમાં અતિ નિર્મળ ધ્યાનના પ્રભાવથી પુરૂષ વેદનો ક્ષય કરે છે. સાતમા ભાગમાં સંજ્વલન ક્રોધનો ક્ષય કરે છે અને આઠમા ભાગમાં સંજ્વલન માનનો અને નવમા ભાગમાં સંજ્વલન માયાનો ક્ષય કરે છે. વત્સ, એ ઉત્તમ સૂચના દર્શાવાને માટે નવ રેખાઓનો દેખાય કેવો મનોહર આપેલો છે ? તેની ઉપર જે બાવીશ ઝાંખા તિલકો દેખાય છે, તે એવું સૂચવે છે કે, આ ગુણસ્થાનમાં વર્ણનારો જીવ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા આ ચારનો વ્યવચ્છદ હોવાથી બાવીશ પ્રકૃતિનો બંધ કરે છે. જે છાસઠ અને પાત્રીશ અંશુઓ ભાયમાન થાય છે, તે ઉપરથી એવી સૂચના દર્શાવી છે કે, એ સોપાન પર રહેલા મુનિને છ પ્રકારના હાસ્યનો ઉદય વચ્છેદ થવાથી તે છાસઠ પ્રકૃતિને વેદે છે અને નવમા અંશમાં (ભાગમાં) માયા પર્યત પ્રકૃતિઓનો ક્ષય કરવાથી પાંત્રીશ પ્રકૃતિનો વ્યવચ્છેદ થાય છે. અને જેથી એકંદર એકસોકસની સંખ્યા દેખાય છે, તે એવું સૂચવે છે કે, પેલી જે પાંત્રીશ પ્રકૃતિનો વ્યવચ્છેદ થવાથી અહિં એકસો ત્રણ પ્રકૃતિની સત્તા છે. વત્સ, આ પ્રમાણે આ સોપાનની ચમત્કારી બીના છે. અહીં વર્તનારા ક્ષેપકને એવો કોઇ ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે કે, જેને માટે અનુભવી મહાત્માઓ ઉત્તમ આશય દર્શાવે છે.” મમક્ષએ મગ્ન થઇને જણાવ્યું - “ભગવન, આપની વાણી યથાર્થ છે. આ સોપાનની સમદ્ધિ પ્રાપ્ત કરવાને હૃદયમાં ઉત્તમ ભાવનાઓ પ્રગટ થાય છે અને હૃદયના પરિણામ ત્યની પુષ્ટિને ધારણ કરે છે. જે જીવો આ પવિત્ર પગથીઆના પ્રદેશને પ્રાપ્ત થયેલા હોય, તેમને ધન્યવાદ ઘટે છે, અને તેમણે પ્રાપ્ત કરેલ મનુષ્ય જન્મ સર્વ રીતે કૃતાર્થ થયેલું છે. હું પણ મારા હૃદયમાં આશા રાખું છું કે, આ આત્મા તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાને સદા ભાગ્યશાળી થાય.” દશમું સૂનમ સપરાય ગુણસ્થાન નવમાં ગુણસ્થાનકમાં બાદર કષાયોને ઉદયથી ભોગવી એનો સંપૂર્ણ નાશ કરે છે અને સંવલન લોભ કષાયનો પણ બાદર એટલે સ્થલ રૂપે રહેલા યુગલોને પણ ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરી જ્યારે સૂક્ષ્મ કીટ્ટી રૂપે સંજ્વલન કષાય ઉદયમાં ભોગવવાનો બાકી રહે ત્યારે નવમું ગુણસ્થાનક સમાપ્ત થાય છે અને જીવ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના અધ્યવસાયને પામે છે. આ ગુણસ્થાનકમાં રહેલો જીવ ક્ષપકશ્રેણિવાળો જે હોય તે સંજ્વલન લોભનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરી રહેલો તે સંજ્વલન લોભનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરી રહેલો હોય છે એ પુરૂષાર્થમાં એક એક સમયે સંજ્વલન લોભ કષાયનો જે રસ હોય છે તે રસ કીટ્ટીઓનાં અનંતા અનંતા ટુકડા કરીને તેમાંથી એક ટુકડો રાખીને બાકીના અનંતા ટુકડાઓને ભોગવીને નાશ કરે છે બાકી રહેલા એક ટુકડાના પાછા અનંતા ટુકડા કીટ્ટીઓ રૂપે કરે છે અને તેમાંથી એક ટુકડો રાખીને અનંતાનો નાશ કરે છે એ રીતે હજારો વાર સુધી સમયે સમયે અનંતા અનંતા ટુકડાઓ Page 179 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy