________________
તું મારો પુત્ર નથી' મિત્રને કહેવું કે “તું મારો મિત્ર નથી' ઇત્યાદિ. અથવા ક્રોધાવિષ્ટનું સત્ય વચન પણ અસત્ય છે, વ્યવહારથી સત્ય હોવા છતાં ફ્લોપયોગી સત્યત્વ તેમાં નથી, કારણ કે સંકિલષ્ટાચરણને શાસ્ત્ર નિળ જ માનેલું છે, અથવા સ્થિતિબન્ધ કે રસબન્ડમાં કારણ યોગ્ય નથી, કિન્તુ કષાય છે. ક્રોધાવિષ્ટને ક્રોધથી કિલષ્ટ કર્મબન્ધ થાય છે, પણ સત્યથી તેને સ્વતંત્રપણે શુભબન્ધ થતો નથી, કિન્તુ અશુભ ફ્લજનક થાય છે.
(૨) માનનિઃસૃત - અભધનવાળો કહે છે કે હું બહુ ધનવાળો' છું અને અલ્પ જ્ઞાનવાળો કહે કે હું “મહાજ્ઞાની છું-ઇત્યાદિ અથવા માનાવિષ્ટ જે બોલે છે તે બધું અસત્ય જ છે, કારણ કે નિફ્લા અને મહાબલ્વનું કારણ છે. સત્યનું કાર્ય (શુભ બન્ધરૂપ) થતું નથી અને અસત્યનું કાર્ય (કર્મબન્ધા રૂપ) થાય છે તેથી પરમાર્થથી તે અસત્ય જ છે.
(૩) માયા નિઃસૃત - ઐન્દ્રજાલિક કહે કે “હું દેવેન્દ્ર છું' અથવા માયાવિષ્ટની સઘળી ભાષા અસત્ય છે કારણ કે તેથી સત્યનું કાર્ય શુભ બન્ધ થતો નથી, અને અસત્યનું કાર્ય કર્મબન્ધ થાય
છે.
(૪) લોભનિઃસૃત - ખોટા તોલાંને સાચાં તોલાં કહેવાં, ખોટાં માપાં ને સાચાં માપાં કહેવાં, અથવા લોભાવિષ્ટની સઘળી વાણી અસત્ય જ છે, સત્યનું કાર્ય શુભ બન્ધ છે નહિ અને અસત્યનું કાય અશુભ બન્ધ રહેલો છે.
(૫) પ્રેમનિઃસૃત – પ્રિયતમનું પ્રિયતમાની આગળ કહેવું કે હું તારો દાસ છું. પ્રેમ મોહોદયજનિત પરિણામ વિશેષ હોવાથી અશુભ કર્મબન્ધનો હેતુ છે, તેથી અસત્ય છે.
) ટ્રેનિ:સત - દ્વેષાવિષ્ટનું સઘળું વચન અસત્ય છે જેમકે “જિનેશ્વર કૃતકૃત્ય નથી” જિનેશ્વરનું ઐશ્વર્ય ઐન્દ્રજાલિક છે, ઇન્દ્ર જાલિયા વગેરે વિધાતિશય વડે પણ ઐશ્વર્ય બતાવે છે, તેમ જિનેશ્વર ઇન્દ્રજાલિક છે પણ કર્મક્ષય કરવા વડે કૃતાર્થ થયેલ નથી, એ પ્રમાણે ભગવદ્ગુણમત્સરિનું વચન અસત્ય છે. (પરગુણ અસહન રૂપ માત્સર્ય તે દ્વેષ છે અને તે સિવાયનો અપ્રીતિ રૂપ પરિણામ તે ક્રોધ છે. એટલો ક્રોધ અને દ્વેષમાં ક છે.)
(0) હાસ્યનિઃસૃત - હાસ્યમોહોદયજનિત પરિણામ વિશેષથી બાધિત અર્થવાળું મૃષા બોલે તે હાસ્યનિઃસૃત અસત્ય છે, જેમકે- “જોયેલી વસ્તુ પણ મેં જોયેલી નથી' આદિ કહેવું તે.
(૮) ભયનિઃસૃત - ભયથી વિપરીત કહેવું-ચોરી કરી હોય છતાં રાજ્યની આગળ ચોરી કરી નથી એમ કહેવું તે.
(૯) આખ્યાયિકાનિ:સૂત -રામાયણ મહાભારતાદિ ગ્રન્થોમાં જે અસબંધ્ધ વચનો કહ્યાં છે તે આખ્યાયિકાનિઃસૃત અસત્ય છે. વેદાદિ શાસ્ત્રોમાં જે વચનો કહ્યાં છે તે કાલાસુરાદિએ લોકોને ઠગવા માટે કહ્યાં છે માટે તે આખ્યાયિકાનિઃસૃતમાં નહિ પણ માયાનિઃસૃતમાં અતભવ પામે છે.
(૧૦) ઉપઘાતનિઃસૃત -પર અશુભ ચિન્તન પરિણત અભ્યાખ્યાનાદિ “અચોરને ચોર કહેવો.' ઇત્યાદિ ઉપઘાતનિઃસૃત અસત્ય છે.
અસત્ય પણ પ્રશસ્ત પરિણામથી બોલાય તો સત્ય છે, જેમકે પ્રવચનદ્રષ્ટિ રાજાદિકને લબ્ધિધર સાધુ ક્રોધથી કહે કે “તું રાજા નથી' અથવા કામાતુર સ્ત્રીની પ્રપંચ જાળમાંથી બચવા માટે શીલધુરંધર પુરુષ માયાથી કહે કે “હું પુરુષ નથી' તે અસત્ય નથી. અહીં નૃપપદની પ્રશસ્ત નૃપમાં કે પુરુષપદની અપ્રશસ્ત પુરુષમાં લક્ષણા થઇ શકે નહિ, અન્યથા બધે જ લક્ષણા કરવાથી કોઇ પણ
Page 147 of 211