________________
આઠમો યતિધર્મ શૌચ છે. શૌચ એટલે પવિતવ્યા. તે અહીં માનસિક પવિત્રતા, આત્મિક પવિત્રતા લેવાની છે. મુનિ સાવધ યોગમાત્રના ત્યાગી હોય છે. એટલે કે ઝીણામાં ઝીણી હિંસા, જૂઠા વગેરેના સવશે ત્યાગી હોય છે, તેથી એજ એમની મહાન સાચી પવિત્રતા છે. તેથી શારીરિક કે વસ્ત્રાદિ સંબંધી ઉજ્જવલતાની એની આગળ કાંઇ કિંમત આંકતા નથી તેમ એમને એની કાંઇ જરૂર પણ નથી હોતી. શોચના લાભ -
(૧) મન પવિત્ર રાખવાથી ઘણી સારી તત્વવિચારણા કરી શકાય છે. (૨) તત્વ વિચારણાને આત્મસ્પર્શી બનાવી શકાય છે.
(૩) પવિત્ર મનમાં જ પરમાત્માનો વાસ રહે છે. એટલે કે પરમાત્માનું ધ્યાન સચોટ અને સતત જાગતું રહે છે.
(૪) પવિત્ર મનવાળાને પોતાનો આત્મા બહુ ફોરો-હલકો ફૂલ જેવો લાગે છે. (૫) મૈત્રી આદિ ઉચ્ચ ભાવનાઓ ભાવવી સહેલી પડે છે. (૬) મહાપુરુષોના ઉપદેશ સારી રીતે ઝિલાય છે. (૭) આખુંય જીવન પવિત્ર અને ઉજળું બને છે.
(૮) મોહની ગાંઠો તૂટી જાય છે, અને અવસર મળતાં કેવળજ્ઞાન લેવામાં વાર લાગતી નથી. સાધ્વી ચંદનબાળાના શિષ્યા મૃગાવતીજી પવિત્ર મનવાળા હતા તો સમવસરણેથી સહેજ મોડા આવ્યા બદલ મળેલા ગુણીના ઠપકા ઉપર એમણે કેવળજ્ઞાન લીધું. મન મેલું હોત તો ?
અપવિત્ર મનના અપરંપાર નક્શાન -(૧) તંદુલિયો મચ્છ અપવિત્ર મનથી મરીને નરકે જાય, છે. (૨) પ્રસન્નચંદ્ર વાષિએ મન બગાડ્યું તો સાતમી નરકના દળીયાં ભેગા કર્યા. (૩) સારા સંયોગમાં પણ મન જો અપવિત્ર રહે તો લાભને બદલે નુક્શાન વહોરાય છે. ત્યારે (૪) બગડેલા મનવાળાનો ખરાબ સંયોગમાં તો ડૂચો જ નીકળી જાય છે.
પવિત્રતાના ઉપાયો (૧) મન પવિત્ર રાખવા માટે શ્રદ્ધા સંવેગથી યુક્ત તત્વજ્ઞાન, અર્થાત શેય-હેય ઉપાદેયનું સચોટ ભાન બહુ સહાયક નીવડે છે. કેમકે એમાંથી દરેક દુન્યવી પ્રસંગોના આગળ પાછળના સાચા રહસ્ય જાણવા મળે છે, તેથી એના પર મન બગાડવાનું રહેતું નથી. મન કેમ બગડે છે ? પૂર્વના શુભાશુભ કર્મ આપણે જોતા નથી. તેમ વર્તમાન પ્રવૃત્તિ કે પ્રસંગથી ભવિષ્યમાં કેવા પાપ કે પુણ્ય ઊભાં થવાના છે તેનો વિચાર નથી કરતા તેથી મન બગડે છે. આ જરા ઊંડા ઉતરીને વિચારતાં સમજાય એવું છે.
(૨) બીજો ઉપાય એ છે કે મનમાં સદા તીર્થકર દેવો વગેરેના ચારિત્ર પ્રસંગો રમતા રાખવા. જોઇએ. સાથે એ પ્રસંગોના હેતુ, એનાં ળ વગેરે પણ ખ્યાલમાં રાખવું જોઇએ.
(૩) ત્રીજો ઉપાય - એ છે કે આત્માના અસલી શુદ્ધ સ્વરૂપનો ખૂબ ખૂબ વિચાર કેળવી એ સ્વરૂપ પર ખૂબ રાગ અને મમત્વ કેળવવું જોઇએ.તેથી કર્મલિત આત્માની કોઇપણ સુખી અવસ્થાની કિંમત ન લાગે. પછી તેના અંગે મન જે બગડતું હતું તે નહિ બગડે.
આ ત્રણ સચોટ ઉપાયો છે. જબરજસ્ત ઉપાયો છે માટે તેનો જીવનમાં ખૂબ અભ્યાસ કરી મનને પવિત્રતાના સરોવરમાં ઝીલતું રાખવું.
Page 141 of 211