________________
(૮) તૃષ્ણાને વશપડી કાળાં કામ, છેતરપીંડી, પાપધંધા, ઉપકારીનો દ્રોહ, ગુણી ઉપર દ્વેષ-એવું એવું પણ બને છે.
લોભવશ કનકરથ રાજા પોતાના જન્મતા પુત્રના અંગછેદ કરાવતો જેથી એ રાજ્યગાદીને લાયક ન રહે. ચલણીએ પોતાના જ પુત્ર બ્રહ્મદત્તને લાખના ઘરમાં રાખી ઘર સળગાવ્યું. કોણિકે ઉપકારી પિતા શ્રેણિકને કેદમાં પુરી ફ્ટકા મરાવ્યા, વિનયરને ધર્મી ગુણીયલ અને પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું ખૂન કર્યું ! લોભ-તૃષ્ણા-મમતા શું શું અકાર્ય નથી કરાવતા ! કહો કે બધું કરાવે છે, એથી ભયંકર પાપો થાય છે, અને સર્વગુણો નાશ પામે છે, “પાપનો બાપ લોભ છે.'
(૯) સર્વગુણ વિનાશoો ભોમ: એમ પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે. (૧૦) લોભમાં પૂર્વના મહામૂલા પુણ્ય ઘસાઇ જાય છે.
(૧૧) લોભ મમતાના પાપોથી ભયંકર કર્મબંધ અને અનેક દુર્ગતિના ભવોમાં ભટકવાનું થાય છે.
માટે તો પૂર્વના પુણ્યનો નાશ, ગુણનાશ, પાપબંધ, અને બીજા ચિંતા-રાસ-નકામી વેઠ વગેરેના દુઃખોથી બચવા ઇચ્છનાર મુનિએ બધાના મૂળભૂત લોભથી પાછા ફ્રી નિર્લોભ, નિરીચ્છ, નિસ્પૃહ બનવાનું છે. એથો આત્માનંદ ઉપરાંત જગતના સન્માન મળે છે. “ન માગે દોડતું આવે? મોટા સમ્રાટ રાજાના પણ પૂજ્ય બનાય છે. આ લોભમુક્તિ ખૂબ અનુભવવી જોઇએ. તેમાં જેટલો કાપ તેટલું નક્કર સુખ.
૫ - તપ
યતિધર્મમાં પાંચમો છે તપ, તપ એ તો સંયમી સાધુનું આભૂષણ છે. મહાવ્રતો એ મુનિનું નિર્મળ શરીર. પરંતુ એના પર શોભાકારી અલંકાર છે તપ. તપ વિશાલ અર્થમાં-છ બાહ્ય અને છ અત્યંતર. એમ બાર પ્રકારે છે. બાહીમાં -
(૧) ખાવાના ટંકના ત્યાગ. (૨) ભૂખ છતાં થોડા કોળીયાનો ત્યાગ. (૩) ખાવાની કેટલીક વસ્તુઓના ત્યાગ. (૪) રસનો ત્યાગ. (૫) કાયાને કષ્ટિ. (૬) મન-વચન-કાયાનું સંગોપન. અભ્યત્તર તપમાં -
(૧) પ્રગટ કે છૂપા ગુનાના એકરારપૂર્વક ગુરૂ પાસેથી પ્રાયશ્ચિતનું ગ્રહણ અને સેવન. (૨) વિનય. (૩) વૈયાવચ્ચ. (૪) સ્વાધ્યાય. (૫) ધ્યાન. (૬) કાયોત્સર્ગ.
આ બધોય તપ ખાસ સેવવા યોગ્ય છે. તપના લાભ -
(૧) તપથી મન ખૂબજ કાબુમાં આવે છે. (૨) તપ ચીકણાં કર્મને પણ તપાવી નાશ પમાડી દે છે. (૩) ઇન્દ્રિયો શાંત થાય છે. (૪) આત્મા ભવિષ્ય માટે આશ્વાસન અનુભવે છે. (૫) તપથી અનેક વિધાશક્તિ અને લબ્ધિઓ પ્રગટ થાય છે.
Page 138 of 211