SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આખો દિવસ ખૂલ્લા મોઢે રહી વધારે ટંક કરે, અથવા પ્રમાદ, લોભ ઇત્યાદિ વશ દેવદ્રવ્યાદિનું સીધું યા આડકતરી રીતે (દેવદ્રવ્ય ખાનારના ત્યાંથી ભિક્ષા લાવીને) ભક્ષણ કરે આ બધામાં ચિત્તમાં ખૂબ જ અસમાધિ પોષાય છે. (૮) એષણાદોષ - ગોચરી પાણી આદિમાં એક યા બીજે ગવેષણાનો દોષ લગાડે, પણ દોષ ટાળવાનો પ્રયત્ન ન રાખે એમ ? ગ્રાસેષણામાં રાગાદિ દોષ લગાડે ત્યાં બધે ચિત્ત અસમાધિવાળું બને છે. (૯) રત્નાધિકનો અવિનય - ચારિત્રપર્યાય અધિકના સાથે અવિનયથી બોલે તે પણ અસમાધિસ્થાન છે. (૧૦) જ્ઞાનવૃદ્ધાદિકનો ઉપઘાત - એટલે જ્ઞાનવૃદ્ધ-વયોવૃદ્ધ વગેરેનો ઉપઘાત કરે, એમને ઉદ્વેગ પમાડે તે પણ અસમાધિસ્થાન છે. (૧૧) અકાલ સ્વાધ્યાય - કાળે સ્વાધ્યાયના જ્ઞાનાચારની કે એ ક્રમાવનાર જનાજ્ઞાની ઉપર અથવા શ્રુતજ્ઞાન ઉપર ભક્તિ બહુમાન ન હોવાથી અગર ૨ હોવાથી અકાળે સ્વાધ્યાય કરવાનું બને છે તેથી ત્યાં ચિત્ત સ્પષ્ટપણે અસમાધિમાં છે. (૧૨) સાવધભાષાદિ - જીવની અજતનાને અથવા બીજા સંસારી પાપને પ્રેરે એવી ભાષા તે સાવધભાષા; તેમજ સાચા જૂઠાના ખ્યાલ વિનાની ભાષા એય સાવધભાષા તથા વિકાળે એટલે પાછલી રાત્રે પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે ઊંચા સ્વરે બોલે જેથી આજુબાજુના મનુષ્ય-તિર્યંચ જાગી જઇ અસંયમમાં પ્રવર્તમાન થાય; આ બધું પણ અસમાધિસ્થાન છે. કેમકે ચિત્તની તેમાં જીવ રક્ષા અને સંયમ પ્રત્યે બેદરકારી છે અથવા ગૃહસ્થની ભાષા બોલે. (૧૩) નિશ્ચયભાષા - સાધુ-સાધ્વી જેમાં સંદેહ હોય અગર ખબર જ ન હોય ત્યાં “આ આમાં છે,-આમ થશે' એવી નિશ્ચયાત્મભાષા ન બોલે, પરંતુ પૂરી સંભવિત હોવાની ખબર હોય એવી બાબતમાં પણ નિર્ણયાત્મક “જ'કારવાળી ભાષા પણ ન બોલે, કેમકે વિચિત્ર ભવિતવ્યતાથી બીજું જ બની જાય તો અસત્ય લાગે. નિશ્ચયાત્મક ભાષા બોલવી એ અસમાધિસ્થાન છે. (૧૪) ભેદકારી ભાષા - પોતાના સ્વાર્થવશ અગર ઇર્ષ્યાથી સમુદાયમાં એકને કાંઇ ને બીજાને બીજે ભળાવે જેથી એમને પરસ્પરમાં વૈમનસ્ય થાય-દિલ ઊંચા થાય; એવી ભેદકારી ભાષા પણ અસત્રાધિજન્મ અને અસમાધિપ્રેરક છે. (૧૫) નિંદા - અન્ય સાધુ-સાધ્વી આ શ્રાવક શ્રાવિકાની હલકાઇ ગાય, ઘસાતું બોલે વગેરે નિંદા કરવીએ ભારે અસમાધિનું સ્થાન છે. (૧૬) ચિડીયો સ્વભાવ - એમાં વાતવાતમાં ચિડાઇ જાય, રિસાઇ જાય. આવેશ, ક્રોધ આવી. જાય એ પણ અસમાધિ સ્થાન છે. (૧૭) જેની તેની સાથે કષાય માંડે - ગુસ્સો કરે, અભિમાન દેખાડે, પ્રપંચ રમે, હરામશ્કરી કરે એ અસમાધિસ્થાન છે. (૧૮) આગંતુક સાથે કલહ - ટંડો, ઝગડો, રગડો કરે, નવા આવેલ સાધુ-સાધ્વી ખમાય નહિ. આ પણ અસમાધિ સ્થાન છે. ' (૧૯) જૂનું યાદ કરી કષાયની દીરણા કરે - અત્યારે એ યાદ કરવાનું કોઇ નથી, છતાં યાદ કરી કરી પણ કષાયમાં ચઢે, આવું યાદ કરવું એ પણ અસમાધિનું સ્થાન થયું. Page 134 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy