________________
શ્રી ષોડકશાસ્ત્રમાં પણ એક વાત કહી છે. –જેમ આરોગ્ય પ્રાપ્ત થતાં વ્યાધિવિકારો હવે પ્રવર્યા રહેતા નથી, એવી રીતે ધર્મઆરોગ્ય પ્રાપ્ત થતાં પાપ-વિકારો હવે પ્રવર્તતા નથી. (લોકોત્તર ભાવો ઔદાર્યાદિઓ ધર્મ-આરોગ્યની અવસ્થા છે એ પ્રાપ્ત થતાં) અતિ વિષયતૃષ્ણા, દ્રષ્ટિસંમોહ, ધર્મપથ્યમાં અરુચિ અને ક્રોધની ખણજરૂપી પાપવિકારો શાંત થઇ જાય છે.
પાપવિકારો : વિષયતૃષ્ણા-દ્રષ્ટિસંમોહ-ધર્મપથ્યની અરુચિ-ક્રોધખણજ :
(૧) અતિવિષયતૃષ્ણા - એ આત્માનો એક એવો પાપી વિકાર છે કે જેથી જીવ ગમ્ય-અગમ્ય, ભોગ્ય-અભોગ્ય, વિષયનો વિવેક ભૂલીને શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શને વિષે બધે જ અત્યંત અણધરાએલો રહે છે.
(૨) દ્રષ્ટિસંમોહ - એવો અધમ વિકાર છે કે જેથી ળને આશ્રીને સમાન એવી પણ બે પ્રવૃત્તિમાં નામભેદે વીપરીત દ્રષ્ટિ રખાય છે, અને તે દ્રષ્ટિને પાછી આગમમાન્ય તરીકે સમજવામાં આવે છે. દા.ત. સ્વૈચ્છિક હિંસા અને યજ્ઞસંબંધી હિંસા, બંનેમાં ળ સ્વયં માંસભક્ષણ સમાન છે. પરંતુ યજ્ઞીયહિંસાની પ્રવૃત્તિને વિધિપ્રવૃત્તિ તરીકે જુદા જુદા નામથી સંબોધી, એમાં નિષિદ્ધ એવી સ્વૈચ્છિક હિંસાથી વીપરીતદ્રષ્ટિ વેદવિહિત તરીકેની દ્રષ્ટિ એમાં રાખે છે, (અને લેશપણ પાપરૂપ ન માનતાં એ હિંસા આચરે છે.) આ દ્રષ્ટિનો સંમોહ છે. અથવા દ્રષ્ટિસંમોહ એટલે આંતરિક ભાવને આશ્રીને સમાનતા છતાં બે પ્રવૃત્તિમાં નામ જૂદા અને બે પૈકી એક કરતા બીજામાં શાસ્ત્રદ્રષ્ટિએ વિપરીતદ્રષ્ટિ રાખવી તે. દા.ત. ઉપરોક્ત જ યજ્ઞહિંસામાં હાર્દિક ભાવતો સ્વૈચ્છિક હિંસાની જેમ સંકલિષ્ટ જ છે, કષાયકલુષિત જ છે. પરંતુ નામ વિધિવાવિહિત સમજી આ યજ્ઞવાળી હિંસાને વીપરીત દ્રષ્ટિ યાને વેદનિષિદ્ધ નહિ પણ વેદવિહિત તરીકેની દ્રષ્ટિથી જુએ છે. આ દ્રષ્ટિસંમોહ છે. પરંતુ જીન મંદિરાદિ સંબંધી કોઇ ક્ષેત્ર-ધન વગેરેનો આરંભ કરતો હોય એમાં સાંસારિક સ્વાર્થના ક્ષેત્ર-ધનાદિના આરંભ કરતો હોય એમાં સાંસારિક સ્વાર્થના ક્ષેત્ર-ધનાદિના આરંભ કરતા હાર્દિક ભાવ જૂદો છે. સમાન નથી. ભાવ આમાં શુભ છે કેમકે એમાં દેવદ્રવ્યની રક્ષાવૃદ્ધિથી સ્વપરની ભાવ-આપત્તિ આત્મિક દુ:ખ નિવારવાનો અધ્યવસાય પ્રવર્તમાન છે, તેથી જ જો કે સાંસારિક આરંભ કરતાં આ આરંભને વીપરીત દ્રષ્ટિએ જુએ, અર્થાત્ ત્યાજ્ય નહિ પણ ઉપાદેય સમજે છતાં એમાં દ્રષ્ટિસંમોહ નથી. આમાં ળની પણ સમાનતા નથી. સાંસારિક આરંભનું ફળ તો સ્વભોગ્ય છે, ત્યારે મંદિરના આરંભનું ફળ તો સ્વભોગ્ય નથી. એટલે ભાવથી ફળને આશ્રીને પણ સમાનતા ન હોવાથી અહીં દ્રષ્ટિસંમોહ નથી.
(૩) ધર્મપથ્યની અરુચિ - એવી છે કે એમાં ધર્મશ્રવણ તરફ અવજ્ઞા-બેપરવાઇ હોય છે. તત્ત્વ-પારમાર્થિક પદાર્થના રસાસ્વાદથી વિમુખતા હોય છે. અને ધાર્મિક આત્માઓ સાથે સંપર્ક હોતો. નથી.
(૪) ક્રોધની ખણજ - નું લક્ષણ એ છે કે સાચા-ખોટા દોષને સાંભળીને વસુરહસ્ય વિચાર્યા વિના તરત જ અંદર બહાર ઉકળાટ ઉછળી આવે.
અસમાધિ સ્થાન સામાન્યથો ઘરખટલામાં ક્સેલા શ્રાવકને પણ અસમાધિથી બચવાનું કહ્યું છે, તેથી જ અસમાધિકારક કેટલાય પ્રસંગોમાં શ્રાવકે આવવાનું નથી, તો પછી વિશ્વમાં અતિ ઉચ્ચ કોટિના ચારિત્ર જીવન પામેલાએ અસમાધિથી બચવા માટેનું તો પૂછવું જ શું ? અસમાધિમાં અપ્રશસ્ત
Page 132 of 211