________________
યતિઓએ રાત્રિનાસમયે નહિ ચાલવું જોઇએ, પરન્તુ જ્યારે તે માર્ગ સૂર્યના કિરણોથી સ્પર્શાય, ત્યાર બાદ જ તેવા પણ માર્ગે જરૂર મુજબ ઉપયોગથી ચાલવું જોઇએ. સૂર્યનાં કિરણોનો સ્પર્શ થવાથી, સંપાતિમ જીવોનો નાશ થઇ જ જાય છે, એટલે સૂર્યનાં કિરણોના યોગે સમ્માતિમ જીવોનો અભાવ હોય છે અને લોકો ખૂબ ચાલતા હોવાથી, અન્ય જીવોનો પણ અભાવ હોય છે : એથી એવે રસ્તે, દિવસના અને તે પણ જરૂરી કારણે, ઉપયોગપૂર્વક ચાલતા મુનિઓ પોતાના અહિંસાધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરી શકે છે.
સ, જીવદયાના પાલન માટે અજબ જેવી કાળજી રાખવામાં આવી છે.
અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ધર્મને જે અજોડ કહેવામાં આવે છે. તે વિના. કારણે નથી. યોગ્ય આત્માઓ વિવેકપૂર્વક અભ્યાસ કરે, તો તેમને શ્રી જૈનશાસન અજોડ લાગ્યા વિના રહે જ નહિ. તેમને અવશ્ય ખાત્રી થાય કે સ્વપરના કલ્યાણનો આ જ એક વાસ્તવિક માર્ગ છે. સુન્દર ભવિતવ્યતા તથા લઘુકર્મિતાના યોગે મોક્ષનું અર્થિપણું હોય, એ માટે સદ્ધર્મને શોધવાની તીવ્ર વૃત્તિ હોય અને આગ્રહરહિતપણું આદિ હોય, તો આ શાસનની યથાર્થવાદિતા સમજાવી મુશ્કેલ નથી. હવે આ રીતિએ જન્તુઓની કાળજી ધરાવનાર આ શાસને, જન્તુઓને અભયદાન દેવા માટે જ દીક્ષિત થયેલા મુનિઓનું શરીર, કે જે ધર્મશરીર છે, તેની રક્ષા માટે ખૂબ જ કાળજી કરી છે. માં જેમ પોતાના બચ્ચાને ખાડા-ટેકરા કુદવાની મના કરે, તેમ ઉપકારિઓએ પણ મુનિઓને ખાડા-ટેકરાવાળા વિષમ માગને નહિ લંઘતાં, થોડું અધિક ચાલવું પડે તો તેમ કરીને પણ, એવા પ્રદેશોને નહિ લંઘવા એમ માવ્યું છે : કારણ ક-એવા લંઘન આદિ કરવામાં ધર્મશરીરને હાનિ પહોંચવાનો સંભવ છે. એને હાનિ પહોંચવાથી મોક્ષમાર્ગ રૂપ રત્નત્રયીની આરાધનામાં આવવાનો પણ સંભવ છે. વળી તેવી રીતિએ લંઘવામાં જીવદયાના હેતુને પણ નુક્શાન પહોંચે, તો તે અસંભવિત નથી. આરીતિએ જન્તુઓની અને સંયમ સાધક શરીરની પણ રક્ષા માટે આ પ્રથમ સમિતિ અતિશય જરૂરી છે, એમાં શંકાને અવકાશ છે ?
સ, જરા પણ નહિ ! હવે ઉપકાર આદિના નામે, કેટલાકો રેલવિહાર આદિની જે વાતો કરે છે, તે કેવી લાગે છે
?
સ. આવા ઉત્તમ આચારના પાલનનું જ્યાં વિધાન છે, ત્યાં એ વસ્તુઓનો વિચાર પણ ભયંકર છે.
ઉત્તમ આચારને માનનારા આમ જ માને છે અને વર્તે છે, પણ પાપાત્માઓ આવા માર્ગની પણ અવગણના કરીને ઉન્માર્ગે ચાલે છે અને એનો પ્રચાર કરવાનું પણ કારમું પાપ આચરે છે. રાત્રિના સમયે ભટકનારા અને રેલવિહાર આદિના કરનારા વેષ ધારિઓ જ્યારે સન્માર્ગનો પણ વિરોધ કરે છે, ત્યારે તેઆ ધ્યાના પરિણામથી પણ પરવરેલા હોય એવા લાગે છે. એવાઓને આ સમિતિનું વર્ણન પણ ખટકે એ સ્વાભાવિક જ છે.
સ. તેવા પાપી આત્માઓને ખટકે, કેમકે તેમનું પાપ ઉઘાડું પડી જાય ને ? મારા જેવાને તો આ બહુ જ ગમે છે.
જે આત્માઓ કોઇ પણ કુલમાં ઉત્પન્ન થવા છતાં પણ, તથા પ્રકારની યોગ્યતાને ધરનારા હોય છે અને સમ્યગ્દર્શનને પામેલા નહિ હોવા છતાં પણ, ભદ્રિક્તા આદિ ગુણોને ધરનારા હોય છે,
Page 113 of 211