________________
પાંચ સમિતિઓમાં પહેલી સમિતિનું નામ છે- “ઇર્યાસમિતિ.” “ઇર્યા' નો અર્થ થાય છે-ગતિ. ગતિ એટલે ગમન કરવું. મુનિઓ, એ બસ જીવો કે સ્થાવર જીવો અથ જીવ માત્રને અભયદાન આપવા માટે જ દીક્ષિત થયેલા છે. તેઓ વિના પ્રયોજને તો ચાલતા પણ નથી : પરન્તુ સંયમના પાલનને માટે ચાલવું એ પણ આવશ્યક છે. એવી આવશ્યક્તા જ્યારે જ્યારે ઉભી થાય, ત્યારે ત્યારે શાસ્ત્રવિધિ મુજબ ઉપયોગપૂર્વક ચાલવું-એનું નામ “ઇર્યાસમિતિ' કહેવાય છે. જીવોની રક્ષા, એ તો મુનિઓનું વ્રત જ છે. મુનિઓ પોતાના કારણે કોઇ પણ જીવને હાનિ ન પહોંચે, એની કાળજીવાળા હોય છે અને એથી સંયમપાલન માટે આવશ્યક પ્રયોજને પણ ગમનાગમન કરતાં, સાચા યતિઓ જીવરક્ષાની કાળજી ધરાવે છે. આવા વ્રતધારી મુનિઓનું શરીર એ ધર્મશરીર છે અને એ ધર્મશરીરની રક્ષા એ પણ વિહિત છે. આ હેતુથી આવશ્યક પ્રયોજન પડયે પણ ચાલતા મુનિઓએ, જીવોની રક્ષાના નિમિત્તે અને પોતાના શરીરની રક્ષાના નિમિત્તે પગના અગ્રભાગથી આરમ્ભીને યુગ માત્ર ક્ષેત્ર એટલે ગાડાની ધુંસરી પ્રમાણ ક્ષેત્ર સુધી બરાબર જોઇને ચાલવાનો વિધિ છે. આ વિધિનો અમલ કરનારને ઇર્ષાસમિતિના પાલક કહેવાય છે.
સ, જીવદયાના પાલન માટે આ પણ ઘણી જ જરૂરી વસ્તુ છે.
આ વસ્તુના જાણ ચાલવામાં કેવા વિવેકી હોય, એ જ વિચારવાનું છે. ઇર્યાસમિતિના પાલક મનિઓ, આગળ ઘૂસરા પ્રમાણ જગ્યાનું નિરીક્ષણ કરતા ચાલે. માર્ગમાં આવતાં જીવવાળાં અનાજ વિગેરે બીજો, નાના પ્રકારની વનસ્પતિ, પાણીનાં સ્થાનો, માટી અને અન્ય જીવો આદિ ઉપર પગ ન આવી જાય-એની સાવચેતી તો એવા મહાપુરૂષોમાં પૂરેપૂરી હોય જ. ખાડા આદિને પણ ચાલે ત્યાં સુધી મુનિઓ લંઘે જ નહિ. આ સમિતિના પાલક મુનિઓ, તેવા કોઇ આવશ્યક પ્રયોજને ચાલવું પડે ત્યારે પણ કેવા માર્ગે ચાલે, એ માટેય ઉપકારિઓએ સુંદર વિધાન કર્યું છે. ઉપકારિઓ ક્રમાવે છે કે-મુનિઓ તે જ માર્ગે ચાલે, કે જે માર્ગ લોકોથી ખૂબ ખૂંદાયેલો હોય લોકો જે માર્ગે ન ચાલતા હોય, તે માર્ગે ચાલવું એ પણ મુનિઓ માટે ઉન્માર્ગ કહેવાય છે. લોકો જે પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા માને છે કે- “આ પ્રમાણેના સુંદર સમતાની પ્રાપ્તિમાં કારણભૂત બને એવા ઉદાર અને અનુત્તર શ્રી વિજયના વૃત્તને એકતાનતા પૂર્વક સાંભળીને, હે ગુણશાલી ભવ્યજનો ! જન્મના છેદ માટે, એટલે કે-મુક્તિને માટે તમે “પ્રકૃતિસૌમ્ય' નામના ગુણને ધારણ કરો !” આ કથન દ્વારા શ્રી વિજયના ચરિતના હેતુને સ્પષ્ટ કરવા સાથે, ભવ્ય જીવોને જન્મ છેદવાનું જ ઉપકારી માવે છે. જન્મ જ દુ:ખનું આશ્રયસ્થાન છે : કારણ કે-સુંદર જીવન દ્વારા જો મરતાં આવડે, તો એ મુક્તિ માટે થાય છે. જન્મેલાને મુક્ત થવા માટે મરણની જરૂર છે, પણ કર્મક્ષય સાધ્યા પછી મરેલાને મુક્ત થવા માટે જન્મની જરૂર નથી, માટે ઉપકારી જન્મના છેદ માટે જ આ “પ્રકૃતિસૌમ્ય' ગુણનો આશ્રય કરવાનું માને છે.
જે માર્ગે લોકો ખૂબ ચાલતા હોય, તે માર્ગે છએ કાયના જીવો હોવા સંભવિત નથી : એ કારણે લોકો જે માર્ગે ખૂબ ચાલતા હોય તેવા માર્ગે મુનિઓએ ચાલવું, કે જેથી છ કાયના જીવોની વિરાધના થાય નહિ. એવા પણ માર્ગે જો રાત્રિના ચાલવામાં આવે, તો રાત્રિના સમયે ઉત્પન્ન થઇ થઇને પડેલા જે સમ્પતિમ ત્રસ જીવો, તેની વિરાધના થાય : એ કારણે ઉપકારિઓએ માવ્યું છે કે-એવા પણ માર્ગે રાત્રિના વખતે મુનિઓએ ચાલવું નહિ. લોકો દ્વારા અત્યન્ત ખૂંદાએલા માર્ગે પણ
Page 112 of 211