________________
(૧) જ્ઞાનાદિ કાર્ય વિના નિષ્કારણ જવાનું કે હરવા ક્રવાનું હોય નહિ; કેમ કે એમાં રાગ અને પ્રમાદની વૃદ્ધિ તથા પોતાના સ્વાધ્યાયાદિ કર્તવ્યમાં હાનિ,..યાવત બહિર્ભાવિ વગેરે પોષાય માટે જ આવસ્યહી બોલવામાં આ ઉપયોગ છે કે હું સંયમ-જીવનના આવશ્યક કાર્યાર્થેિ બહાર જઉં છું. જ્ઞાન-દર્શન-ચારિત્રને અપોષક કાર્ય સાધુએ કરવાના હોય જ નહિ.
(૨) બીજું “ગુરુ-આજ્ઞાથી' કહ્યું; એ. સાધુ જીવનમાં ગુર્વાજ્ઞા પૂર્વક જ બધું કરવાનું એમાં સૂચવે છે.
(૩) ત્રીજું, આગમની રીતે ગમન કહ્યું, તે સમિતિ-પાલન સાથે, પણ દોડાદોડ નહિ, સંભ્રમ કે મૂચ્છ નહિ, વગેરે સાચવવાનું સૂચવે છે. કેમકે દોડાદોડમાં સમિતિ ન સચવાય, યા કદાચ ઠોકર Iઇ જવાય; સંભમમાં કોઇ સાથે અથડાઇ પડે, તથા મચ્છ-મમતામાં ગોચરી દોષિત ઉપાડે,..આવા બધા દોષોનો સંભવ છે. આવશ્યકી એ સાધુજીવનના પ્રતિક્રમણાદિ આવશ્યકોથી યુક્ત સાધુની જ સાચી ગણાય; તેમજ બહાર જતાં પહેલાં લઘુનીતિ-વડીનીતિની સંજ્ઞા ટાળીને પછી આવરૂહી' કહી બહાર નીકળવાનું.
જ્ઞાનાદિના કારણે ઉપાશ્રયની બહાર ગયા વિના ચાલે તેમ ન હોય, એવો પ્રસંગ આવી લાગે ત્યારે- “આ અવશ્ય કરવા યોગ્ય છે તેથી હું જાઉં છું.' -આ પ્રમાણે ગુરૂ પ્રતિ નિવેદન કરવું, એનું નામ છે- “આવશ્યકી.'
(૫) નેBધિકી- બહારથી આવી મુકામમાં પેસતાં નિસીહી કહેવી જોઇએ. એ નિષેધના નિષેધ માટે કહેવી જોઇએ ગુરુની અવગ્રહ ભૂમિનો ઉપભોગ યતનાપૂર્વક અર્થાત્ અસત્ પ્રવૃત્તિનો ત્યાગ કરીને જ થાય, તો જ તે ઇષ્ટ ફ્લ સાધક બની શકે. મકાન માંથી નીકળતા પેસતાં આવસ્યહી. નિસીહી બોલવાનું ખાસ લક્ષ જોઇએ.
ઉપાશ્રયની બહાર કરવા યોગ્ય વ્યાપારો પૂર્ણ થઇ જાય એટલે સાધુ ફ્ર ઉપાશ્રયમાં આવી. જાય. એ વખતે ઉપાશ્રયમાં પેસતાં સાધુ નિસિહી બોલે છે. અર્થાત-બહારના વ્યાપારના નિષેધ દ્વારા ઉપાશ્રયપ્રવેશની જે સૂચના, એનું નામ છે- “મૈષેલિકી.”
(૬) આકરછના - જ્ઞાનાદિની સાધના કરતાં કાંઇ પ્રયોજન ઉપસ્થિત થયે ગુરુને યા ગરુસંમત સ્થવિરાદિને તે માટે પૂછવું, રજા માગવી, એ આકચ્છના. એથી (૧) કાર્ય શ્રેયસ્કર બને છે. પ્રશંસાઈ થાય છે, (૨) ગીતાર્થ પાસેથી કાર્યવિધિનું જ્ઞાન મળે છે; (૩) જૈન દર્શનની વિશિષ્ટ વસ્તુ પર બહુમાન વધે છે, “અહો સંકલ જીવહિતકારી આ કેવી સુંદર વસ્તુ જૈન મતમાં બતાવી છે !' ને (૪) ગુરુ અને જિનેશ્વર દેવ પર શ્રદ્ધા વધે છે. (૫) આ શુભ અધ્યવસાય રૂપ હોવાથી મહાન મંગળ છે તેથી જે કાર્ય માટે પૂછવા ગયા તે કાર્યની આડેના વિપ્ન એથી દૂર થાય છે, તેમજ (૬) શુભ અનુબંધ યાને લાભોનો પ્રવાહ ઊભો થાય છે. આવા વિશિષ્ટ લાભ હોવાથી સામાન્ય, વિશેષ બંને જાતના કાર્યમાં પૃચ્છા કરવાનું સાસ્ત્રનું માન છે.
અમુક પ્રવૃત્તિ કરતાં પહેલાં- “હે ભગવન્! હું આ કરૂં છું.' -આ પ્રકારે ગુરૂને પૂછવું, એનું નામ છે- “પ્રચ્છના.”
(0) પ્રતિકૃચ્છા - ગુરુએ શિષ્યને કોઇ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય તેને બનાવવાના અવસરે શિષ્ય ક્રીથી ગુરુને પૂછવું કે “આપે માવેલ કાર્ય માટે જાઊં છું અગર કાર્ય શરૂ કરું છું આને પ્રતિપૃચ્છા કહેવાય. આ કરવાનું કારણ એ છે કે કદાચ તેવી જરૂર ન હોય અગર બીજી રીતે
Page 105 of 211